Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jasdan માં બાળકી પર દુષ્કર્મ આચરનાર રાક્ષસને ફાંસીની સજા મળી

    January 17, 2026

    Rajkot કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર, સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં નવી ઉર્જા, નવા ચહેરાઓનો સમાવેશ

    January 17, 2026

    India ફરી એકવાર યુએનમાં પાકિસ્તાનને ઠપકો આપ્યો, કાશ્મીર પર શાહબાઝ-મુનીરના એજન્ડાને ફૂંકી માર્યો

    January 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jasdan માં બાળકી પર દુષ્કર્મ આચરનાર રાક્ષસને ફાંસીની સજા મળી
    • Rajkot કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર, સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં નવી ઉર્જા, નવા ચહેરાઓનો સમાવેશ
    • India ફરી એકવાર યુએનમાં પાકિસ્તાનને ઠપકો આપ્યો, કાશ્મીર પર શાહબાઝ-મુનીરના એજન્ડાને ફૂંકી માર્યો
    • Putin ને ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ અને ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનને ફોન કર્યો
    • US President Donald Trump હવે વેનેઝુએલા અંગે અલગ વલણ અપનાવ્યું
    • South Korean ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂન સુક-યેઓલને ફટકો, કોર્ટે તેમને ૫ વર્ષની જેલની સજા ફટકારી
    • 18 જાન્યુઆરીનું પંચાંગ
    • 18 જાન્યુઆરીનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, January 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Navratri ના છઠ્ઠા નોરતે ર્માં કાત્યાયની દેવીની ઉપાસના કરીએ
    ધાર્મિક

    Navratri ના છઠ્ઠા નોરતે ર્માં કાત્યાયની દેવીની ઉપાસના કરીએ

    Vikram RavalBy Vikram RavalApril 3, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચંદ્રહાસોજ્જવલકરા શાર્દૂલવરવાહના

    કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની..

    નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના છઠ્ઠા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ ર્માં કાત્યાયની દેવીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં સંયમ-સાધનાને ધારણ કરનાર દરેક સ્ત્રી કાત્યાયની રૂપ છે,  

    આદ્યશક્તિ ર્માં દુર્ગાનું નામ કાત્યાયની દેવી પડવાની કથા પુરાણોમાં વર્ણિત છે.કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા.તેમના પૂત્ર ઋષિ કાત્ય થયા.આ કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન થયા. તેમને ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં કરતાં ઘણા વર્ષો સુધી ઘણી જ કઠીન તપસ્યા કરી.તેમની તપસ્યાથી પ્રસન્ન થઇ માતા ભગવતીએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા.મહર્ષિ કાત્યાયનની ઇચ્છા હતી કે ર્માં ભગવતી તેમના ઘેર પૂત્રીના રૂપમાં જન્મ લે.ર્માં ભગવતીએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.મહર્ષિ કાત્યાયનના ત્યાં આદ્યશક્તિ ર્માં દુર્ગાજીએ પૂત્રીના રૂપમાં જન્મ ધારણ કર્યો હતો તેથી તેમનું નામ પડ્યું કાત્યાયની દેવી પડ્યું છે.ર્માં કાત્યાયની અમોઘફલદાયિની છે.

    બીજી અન્ય કથા એવી છે કે જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી ઉપર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ ત્રિદેવે પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરનો નાશ કરવા માટે એક દેવીશક્તિને ઉત્પન્ન કર્યા.મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી હતી.ર્માં કાત્યાયની દેવીએ મહિષાસુરનો વધ કરીને ત્રણે લોકને તેના અત્યાચારથી બચાવ્યા હતા.  

    ભગવાન શ્રીકૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે વ્રજની ગોપીઓએ કાલિન્દી(યમુના) નદીના કિનારે તેમની પૂજા કરી હતી.ર્માં કાત્યાયની વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે.તેમનો વર્ણ સોના જેવો તેજસ્વી અને દિવ્ય છે.તેમને ચાર હાથ છે.માતાજીનો જમણી તરફનો ઉપર તરફનો હાથ અભયમુદ્રામાં તથા નીચે તરફનો વરમુદ્રામાં છે.ડાબી તરફના ઉપરના હાથમાં ચંદ્રહાસા નામની તલવાર તથા નીચે તરફના હાથમાં કમળ-પુષ્પ સુશોભિત છે.

    દુર્ગાપૂજાના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત હોય છે.યોગસાધનામાં આ આજ્ઞાચક્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે.આ ચક્રમાં સ્થિત મનવાળા સાધક ર્માં ના ચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે છે.પરીપૂર્ણ આત્મ સમર્પણ કરનાર ભક્તોને સહજ રીતે ર્માં કાત્યાયનીનાં દર્શન થાય છે.ર્માં કાત્યાયની દેવીની ભક્તિ અને ઉપાસના દ્વારા ભક્તોને ઘણી જ સુગમતાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ-આ ચાર પુરૂષાર્થની પ્રાપ્તિ થાય છે, તે આલોકમાં સ્થિત રહેવા છતાં પણ અલૌકિક તેજ અને પ્રભાવથી યુક્ત બની જાય છે.તેમના રોગ શોક સંતાપ ભય વગેરે કાયમના માટે વિનષ્ટ થઇ જાય છે.જન્મ-જન્માંતરના પાપોનો નાશ કરવા માટે ર્માં ની ઉપાસનાથી અધિક સુગમ અને સરળ માર્ગ બીજો કોઇ નથી.તેમનો ઉપાસક નિરંતર તેમના સાનિધ્યમાં રહીને પરમપદનો અધિકારી બની જાય છે એટલે અમારે સર્વભાવથી ર્માં ના શરણાગત બનીને તેમની પૂજા-ઉપાસના કરવી જોઇએ.કુમારીકાઓએ મનગમતો જીવનસાથી મેળવવા અને સુખી લગ્ન જીવન માટે નોરતાના છઠ્ઠા દિવસે આદ્યશક્તિ ર્માં કાત્યાયની દેવીની ઉપાસના કરવી જોઇએ.માતા કાત્યાયનીને મધ ખૂબ જ પ્રિય હોય છે એટલા માટે આ દિવસે લાલ રંગના કપડાં પહેરીને માતાને મધ ચઢાવીએ.તમારા જુસ્સા અને પ્રેમને વ્યક્ત તથા નિર્ભય બનવા લાલ રંગના કપડા પહેરવા જોઇએ. 

    આલેખનઃ

    વિનોદભાઇ માછી નિરંકારી

    નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    બોધકથા..મૃત્યુ અટલ છે,મૃત્યુથી કોઇ ભાગી શકતો નથી.

    January 16, 2026
    લેખ

    ઉત્તરાયણ…મંગલમય મૃત્યુનું રહસ્ય

    January 13, 2026
    લેખ

    ભક્તિ ભાવથી ભરપુર ભક્તિ પર્વ સમાગમનું દિવ્ય આયોજન

    January 13, 2026
    લેખ

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026
    લેખ

    જીવન એટલે આંખમાં આંસુ સાથે દુનિયામાં આવવું અને બીજાની આંખમાં આંસુ આપીને દુનિયામાંથી વિદાઇ લેવા સુધીની યાત્રા

    January 9, 2026
    લેખ

    બોધકથા સુંદર અને દુર્લભ સત્ય કથા

    January 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jasdan માં બાળકી પર દુષ્કર્મ આચરનાર રાક્ષસને ફાંસીની સજા મળી

    January 17, 2026

    Rajkot કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર, સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં નવી ઉર્જા, નવા ચહેરાઓનો સમાવેશ

    January 17, 2026

    India ફરી એકવાર યુએનમાં પાકિસ્તાનને ઠપકો આપ્યો, કાશ્મીર પર શાહબાઝ-મુનીરના એજન્ડાને ફૂંકી માર્યો

    January 17, 2026

    Putin ને ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ અને ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનને ફોન કર્યો

    January 17, 2026

    US President Donald Trump હવે વેનેઝુએલા અંગે અલગ વલણ અપનાવ્યું

    January 17, 2026

    South Korean ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂન સુક-યેઓલને ફટકો, કોર્ટે તેમને ૫ વર્ષની જેલની સજા ફટકારી

    January 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jasdan માં બાળકી પર દુષ્કર્મ આચરનાર રાક્ષસને ફાંસીની સજા મળી

    January 17, 2026

    Rajkot કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર, સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં નવી ઉર્જા, નવા ચહેરાઓનો સમાવેશ

    January 17, 2026

    India ફરી એકવાર યુએનમાં પાકિસ્તાનને ઠપકો આપ્યો, કાશ્મીર પર શાહબાઝ-મુનીરના એજન્ડાને ફૂંકી માર્યો

    January 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.