Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી
    • સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ
    • જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે
    • મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે
    • Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી
    • Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે
    • Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા
    • Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»સ્થિતપ્રજ્ઞ પુરૂષનાં લક્ષણો ભાગ-૩
    ધાર્મિક

    સ્થિતપ્રજ્ઞ પુરૂષનાં લક્ષણો ભાગ-૩

    Vikram RavalBy Vikram RavalApril 18, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અર્જુનને ઉદાહરણ સાથે તત્વને સમજાવતાં ભગવાન ગીતા(૨/૫૮)માં સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બેસે છે? તેનો જવાબ આપતાં કહે છે કે.. 

    યદા સંહરતે ચાયં કૂર્મોઽગાંનીવ સર્વશઃ

    ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા 

    જેવી રીતે કાચબો બધી બાજુથી પોતાના અંગોને સમેટી લે છે એવી જ રીતે જ્યારે આ કર્મયોગી સંયમી-જ્ઞાની પુરૂષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને બધી રીતે હટાવી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઇ જાય છે.તે મનથી પણ વિષયોનું ચિંતન કરતો નથી.જો તેનો ઇન્દ્રિયોની સાથે સહેજપણ માનસિક સબંધ ચાલુ રહે તો તે સ્થિતપ્રજ્ઞ નથી.અહી કાચબાનું દ્રષ્ટાંત આપવાનું તાત્પર્ય એ છે કે જ્યારે કાચબો ચાલે છે ત્યારે તેનાં છ અંગો ચાર પગ-પુંછડી અને મસ્તક દેખાય છે પરંતુ જ્યારે તે પોતાનાં અંગોને સમેટી લે છે ત્યારે ફક્ત તેની પીઠ દેખાય છે તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ પણ પાંચ ઇન્દ્રિયો અને મન-આ છયેને પોતપોતાના વિષયોમાંથી હટાવી લે છે.જો તેનો ઇન્દ્રિયો વગેરે સાથે સહેજપણ માનસિક સબંધ ચાલુ રહે તો તે સ્થિતપ્રજ્ઞ નથી. 

    ઇન્દ્રિયો બેફામ દોડતા ઘોડા છે.જો આ ઘોડા લગામ વિનાના હોય તો તે જીવાત્મારૂપી અસવારને પછાડી દે અથવા ખોટી દિશામાં દોડીને લઇ જાય છે.ઇન્દ્રિયસુખોનું પ્રબળ આકર્ષણ હોય છે તેથી ઇન્દ્રિયો તેમને ભોગવવા જબરજસ્તી ખેંચાઇ જાય છે.મન તેની લગામ છે.મનરૂપી લગામ મજબૂત હોય તો જ ઇન્દ્રિયોને રોકી શકાય છે,મન વૈરાગ્યથી મજબૂત બને છે.વૈરાગ્ય વિનાનું મન બેફામ અને ચંચળ બને છે. 

    ફક્ત ઇન્દ્રિયોનું વિષયોથી હટી થવું એ જ સ્થિતપ્રજ્ઞનું લક્ષણ નથી-આ વાત સમજાવતાં ભગવાન ગીતા(૨/૫૯)માં બતાવે છે કે.. 

    વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ

    રસવર્જં રસોઽપ્યસ્ય પરં દ્રષ્ટવા નિવર્તતે.. 

    જો જીવાત્મા નિરાહાર રહે એટલે કે આહાર છોડી દે તો ઇન્દ્રિયો વિષયો ભોગવવાનું સામર્થ્ય ખોઇ બેસે છે એટલે કે તે વિષયહીન થઇ શકે પણ તેનો વિષયરસ તો રહી જ જાય છે.આ રસની નિવૃત્તિ તો પરમાત્માના દર્શનથી જ થાય છે. 

    મનુષ્ય નિરાહાર બે રીતે થાય છે.પોતાની ઇચ્છાથી ભોજનનો ત્યાગ કરી દેવો અથવા બિમારી આવવાથી ભોજનનો ત્યાગ કરી દેવો અને તમામ વિષયોનો ત્યાગ કરીને એકાંતમાં બેસવું એટલે કે ઇન્દ્રિયોને વિષયોથી હટાવી લેવી.ભોગોની સત્તા અને મહત્તા માનવાથી અંતઃકરણમાં ભોગોના પ્રત્યે એક સૂક્ષ્મ ખેંચાણ-પ્રેમ અને મીઠાશ પેદા થાય છે તેનું નામ રસ છે.કોઇ લોભી માણસને રૂપિયા મળી જાય અને કામી વ્યક્તિને સ્ત્રી મળી જાય તો તેના અંતઃકરણમાં પ્રસન્નતા જન્મે છે એ જ રસ છે.ભોગ ભોગવ્યા પછી માણસ કહે છે કે ખુબ મઝા આવી-આ એ રસની સ્મૃતિ છે.આ રસ અહમમાં રહે છે.આ રસનું સ્થૂળરૂપ રાગ- સુખાસક્તિ છે. 

    વ્યક્તિઓના ત્રણ પ્રકાર છે.વિષયોનો અતિભોગી-વિષયોનો મધ્યમ ભોગી અને વિષયોનો સદંતર ત્યાગી.પહેલો અને ત્રીજો પ્રકાર જીવનના છેડા છે જે યોગ્ય નથી.ગીતા બધા માણસોની વાત કરતી નથી, સાધકની વાત કરે છે.દેહદમનવાદી લાંબા સમય સુધી આહારનો ત્યાગ કરવાની સાધના કરતા હોય છે. આવા ત્યાગથી વિષયો ભોગવવાનું સામર્થ્ય ક્ષીણ થઇ જતું હોય છે તે સ્વાભાવિક છે.તેનો વિષયરસ મૂળમાંથી જતો નથી.રસનાં બીજ આહાર શરૂ કરતાં જ ફરીથી ઉગી નીકળતાં હોય છે.એક અનુભવ પ્રમાણે ઉપવાસીનું મન વધુ વિકારી થઇ જતું હોય છે.તેનામાં નિષ્ક્રિયતા ભલે આવે પણ નિરસતા આવતી નથી. રસની નિવૃત્તિ તો પરબ્રહ્મ પરમાત્માની અનુભૂતિ થયા પછી જ થતી હોય છે.જેમ જેમ વધુને વધુ હરીરસ પ્રાપ્ત થાય છે તેમ તેમ તેનો વિષયરસ ઓછો થતો જાય છે આને વૈરાગ્ય કહેવાય છે.આમાં હરીરસનું સાતત્ય હોવું જરૂરી છે.હરીરસ એટલે પ્રભુ નામસ્મરણ,કિર્તન,ધ્યાન, સત્સંગ વગેરે.

     પ્રભુ પરમાત્મા સાથે જોડાવવા સૌ પ્રથમ પરમાત્મા તત્વની અનુભૂતિ (આત્મા-૫રમાત્માનું જ્ઞાન) ૫રમ આવશ્યક છે.૫રમાત્મા તત્વની અનુભૂતિ,દર્શન,શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ(સંત) જ કરાવી શકતા હોય છે કે જે તત્વદર્શી હોય.આ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તેની વિધિ બતાવી છે કે 

    તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા

    ઉ૫દેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિન તત્વદર્શિન (ગીતાઃ૪/૩૪) 

    તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવા તત્વદર્શી જ્ઞાની(જેને ૫રમાત્મા તત્વનું દર્શન કર્યું છે) પાસે જઇને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી, તેમની સેવા કરવાથી અને સરળતાપૂર્વક પ્રશ્નો કરવાથી તે તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષો તને તે તત્વજ્ઞાનનો ઉ૫દેશ કરશે.કર્મોનો સ્વરૂ૫થી ત્યાર કરીને જિજ્ઞાસાપૂર્વક શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ(સંત)ની પાસે જઇને વિધિપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવું..આ પ્રચલિત પ્રણાલી છે.

     જ્યાંસુધી અંતઃકરણમાં સહેજપણ ભોગોની સત્તા અને મહત્વ છે,ભોગોમાં રસવૃત્તિ છે ત્યાં સુધી પરમાત્માનો અલૌકિક રસ પ્રગટ થતો નથી.તત્વનો બોધ થતાં રસ નષ્ટ થઇ જાય છે પરંતુ તત્વબોધ થતાં પહેલાં તેની ઉપેક્ષા વિચાર સત્સંગ અને સંતકૃપાથી રસ નિવૃત્ત થઇ જાય છે અને જેમની રસબુદ્ધિ નિવૃત્ત થઇ છે એવા તત્વજ્ઞાની મહાપુરૂષોના સંગથી પણ રસવૃત્તિ નિવૃત્ત થાય છે.રસની નિવૃત્તિ ના થાય તો રસબુદ્ધિ રહેવાથી પ્રયત્ન કરવા છતાં બુદ્ધિમાન મનુષ્યની પણ મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક હરી લે છે તેથી તેની બુદ્ધિ પરમાત્મા તત્વમાં પ્રતિષ્ઠિત થતી નથી તેના માટે તમામ ઇન્દ્રિયોને વશમાં કરીને પ્રભુ પરાયણ થઇને બેસવું કેમકે જે સાધકની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. 

    રસની નિવૃત્તિ ના થાય તો કંઇ આપત્તિ આવે છે? તે સમજાવતાં ભગવાન ગીતા(૨/૬૦)માં કહે છે કે.. 

    યતતો હ્યપિ કૌન્તેય પુરૂષસ્ય વિપશ્ચિતઃ

    ઇન્દ્રિયાણિ પ્રમાથિની હરન્તિ પ્રસભં મનઃ 

    કારણ કે રસબુદ્ધિ રહેવાથી પ્રયત્ન કરવાવાળા વિદ્વાન બુદ્ધિમાન મનુષ્યની પણ મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક હરી લે છે,વિષયોની તરફ ખેંચી લે છે એટલે કે તે વિષયોની તરફ ખેંચાઇ જાય છે,આકર્ષાઇ જાય છે.આનું કારણ એ છે કે જ્યાં સુધી બુદ્ધિ પરમાત્મા તત્વમાં સ્થિત નથી, બુદ્ધિમાં સંસારની જરા પણ સત્તા રહે છે,વિષયેન્દ્રિય સબંધથી સુખ થાય છે,ભોગવેલા ભોગોના સંસ્કારો રહે છે ત્યાં સુધી સાધન પરાયણ બુદ્ધિમાન વિવેકી પુરૂષની પણ ઇન્દ્રિયો સર્વથા વશમાં નથી રહેતી.ઇન્દ્રિયોના વિષયો સામે આવતાં ભોગવેલા ભોગોના સંસ્કારોના કારણે ઇન્દ્રિયો મન-બુદ્ધિને પરાણે વિષયો તરફ ખેંચીને લઇ જાય છે તેથી ક્યારેય પોતાની ઇન્દ્રિયો ઉપર મારી ઇન્દ્રિયો વશમાં છે એવો વિશ્વાસ કરવો નહી અને ક્યારેય પણ આવું અભિમાન ન કરવું કે હું જીતેન્દ્રિય બની ગયો છું.“મનુષ્યે માતા-બહેન કે પૂત્રીની સાથે પણ એકાંતમાં બેસવું ના જોઇએ કેમકે બળવાન ઇન્દ્રિય સમુહ વિદ્વાનને પણ પોતાના વશમાં કરી લે છે.” (મનુસ્મૃતિઃ૨/૨૧૫) 

    આલેખનઃ

    વિનોદભાઇ માછી નિરંકારી

    નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    સંત અને ધર્મનિરપેક્ષ ધર્મસુધારક કબીરદાસની આજે જન્મ જયંતી

    June 10, 2025
    જામનગર

    Jamnagar: સનાતન સંસ્ક્રુતિમાં જેઠ પૂર્ણિમા પર વડપૂજનની સદીઓ જૂની પરંપરા

    June 10, 2025
    ધાર્મિક

    પારકી સ્ત્રીના મોહથી બચવાનો ઉપાય

    June 9, 2025
    લેખ

    ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે

    June 3, 2025
    ધાર્મિક

    Karma Katha…ભગવાનના ભક્ત ગરીબ કેમ હોય છે?

    June 2, 2025
    લેખ

    બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માની સ્તુતિ કરે છે

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025

    મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે

    June 16, 2025

    Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી

    June 16, 2025

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.