ત્રિપલ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે રહેતા અજયભાઈ લાભુભાઈ કંડોળિયા અને તેની સાથે ઓફિસમાં કામ કરતા જગદીશભાઈ તેમના મોટર સાયકલ પર તથા અન્ય એક મોટર સાયકલમાં આકાશભાઈ ગોહિલ અને દિલીપભાઈ ડાભી ગત રાત્રિના સુમારે ભાવનગરથી પાંચપીપળા ગામે ધામક કામે જવા નીકળ્યા હતા. દરમિયાનમાં બન્ને મોટર સાયકલ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ વે પર આવેલ કોબડી પુલ પર પહાંેચતા સામેથી આવી રહેલ ખુલ્લી બોડીવાળા ટ્રક નં.જીજે.૦૪.એએક્સ. ૯૪૯૪ના ચાલકે પોતાનો ટ્રક પૂરપાટ ઝડપે ચલાવી સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રક રોડ વચ્ચેનું ડીવાઈડર ઓળંગી બાઈક સાથે ધડાકાભેર અથડાયો હતો. જેના કારણે બે પૈકી એક મોટર સાયકલ પર સવાર અજયભાઈ કંડોળિયાને માથા તથા પગના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે, બાઈકચાલક જગદીશભાઈને ગંભીર ઈજા થતાં તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે, આ અકસ્માત બાદ ટ્રકમાં રાખેલ લોખંડની એન્ગલ ઉડીને સવસ રોડ પર જઈ રહેલા ટ્રેક્ટર ઉપર પડતા ટ્રેકટરના આગળના ભાગે નુકસાન થયું હતું. બનાવ અંગે મૃતક અજયભાઈના ભાઈ વિજયભાઈ લાભુભાઈ કંડોળિયાએ ટ્રકના ચાલક વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જી તેમના ભાઈનું મોત નિપજાવ્યાની અને અન્યને ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી છે.
Trending
- 07 નવેમ્બર નું પંચાંગ
- 07 નવેમ્બર નું રાશિફળ
- WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો
- ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court
- Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો
- દેશને મળશે ૪ નવી Vande Bharat train, PM મોદી ૮ નવેમ્બરે બતાવશે લીલી ઝંડી
- જંગલરાજમાં એક પણ પુલ બન્યો નથી : વડાપ્રધાન મોદી
- ભારતે ૪૮ રને જીતી ચોથી ટી-૨૦ મેચ, ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું

