તિબેટની સરહદે આવેલા નેપાળના રસુવા જિલ્લામાં બુધવારે આવેલા વિનાશક પૂરના પાણી ગામડાઓમાં ઘૂસી ગયા
Kathmandu તા.૨૭
નેપાળના રસુવા જિલ્લામાં સરહદી વિસ્તારો રસુવાગઢી અને ભોટેકોશી નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ભીષણ પૂર બાદ નેપાળ સરકારે અસરગ્રસ્ત વિસ્તારને ત્રણ મહિના માટે આપત્તિગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલના નિવેદનને ટાંકીને સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે ભૂકંપના કારણે હિમપ્રપાત થયું જેના કારણે નેપાળમાં ભારે પૂર આવ્યું હોઈ શકે છે.તિબેટની સરહદે આવેલા નેપાળના રસુવા જિલ્લામાં બુધવારે આવેલા વિનાશક પૂરના પાણી ગામડાઓમાં ઘૂસી ગયા અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું હતું. વૈજ્ઞાનિકો બરફના હિમપ્રપાત અને અચાનક આવેલા પાણીના પ્રવાહ વચ્ચેની સંભવિત કડીની પણ તપાસ કરી રહ્યા છે. કાઠમંડુ પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, કાઠમંડૂ યુનિવર્સિટીના પ્રોફેસર અને આબોહવા સંશોધક રિજન ભક્ત કાયસ્થે જણાવ્યું હતું કે પ્રારંભિક મૂલ્યાંકનમાં કહેવામાં આવ્યું છે કે બરફના હિમપ્રપાતે લ્હેડે નદીનો રસ્તો રોકી દીધો હતો જેનાથી પાણી એકઠું થયું અને અચાનક પાણી ધસી આવ્યું હતું અને ભોટેકોશી નદીમાં આવ્યું હતું.કાયસ્થે જણાવ્યું હતું કે શરૂઆતના મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે નેપાળ અને ચીનના વૈજ્ઞાનિકો સાથેની ચર્ચાઓ પર આધારિત હતું. તેમણે એ પણ નોંધ્યું હતું કે તે જ સમયે તિબેટ બાજુ ભૂકંપ આવ્યો હતો.યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ સવારે ૮ઃ૩૭ વાગ્યે તિબ્બતના વિસ્તારમાં ૪.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જે ગોસાઈકુંડથી લગભગ ૪૭ કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. એએફપીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે તિબેટ તરફથી આવતી ભોટેકોશી નદીમાં સવારે ૯ વાગ્યે પૂર આવ્યું હતું, જેનાથી તિબેટ અને કાઠમંડુના દક્ષિણપશ્ચિમમાં નુવાકોટ જિલ્લાની સરહદે આવેલા રસુવા અને ધાડિંગ જિલ્લાઓને અસર થઈ છે.

