Surendranagar,તા.29
આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે દૃષ્ટિ કરીએ તો જણાય છે કે ઋષિ મુનિઓના આશ્રમમાં બાળપણથી જ બાળકોને મુખપાઠ દ્વારા સંસ્કારિત કરવામાં આવતા કે જેના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્ય કંડારવાનો એક મજબૂત આધાર તૈયાર થતો હતો.
તેમાંથી જ ભારતને મહાન રાજાઓ, વિદ્વાનો, પંડિતો વૈજ્ઞાનિકો અને ઋષિમુનિઓ મળ્યા છે. આજે ટેકનોલોજીના અસંયમિત ઉપયોગથી સુ-સંસ્કારોને ભૂલતા આ યુગમાં, મુખપાઠની પરંપરાથી આજના બાળકો ગભરાઈને દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ આપણી સનાતન વૈદિક પરંપરાને બી.એ.પી.ર 1.પી.એસ. સ્વામિના રાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ફરીથી જીવંત કરી બતાવી છે.
ગત વર્ષે દિવાળીના દિવસો દરમિયાન તેઓએ એક સંકલ્પ જાહેર કર્યો હતો કે, આવતી દિવાળી સુધીમાં બીએ.પી.એસ. ( સંસ્થાની બાળસંસ્કાર પ્રવૃત્તિનાં 10,000થી વધુ બાળ બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરે. આ સંકલ્પ, તેઓએ એક પત્રના માધ્યમ દ્વારા તેઓએ વ્યક્ત કર્યો હતો.
સત્સંગદીક્ષા એક એવો અભિનવ સંસ્કૃત-ગુજરાતી ગ્રંથ છે, જે મહાન સંતવિભૂતિ મહંત સ્વામી મહારાજે સનાતન શાસ્ત્રોના સારરૂપે 315 શ્લોકોમાં પ્રસ્તુત કર્યો છે. સદાચાર, વ્યસનમુક્તિ પ્રામાણિકતા અને ચારિત્ર્ય વગેરે નૈતિક મૂલ્યો, ભક્તિ સત્સંગ-સદ્ધાંચન વગેરે આધ્યાત્મિક મૂલ્યો. ભેદભાવ વિના સર્વજન સમ.આદર, સર્વધર્મ સમ-આદર,
રાષ્ટ્રીય ભાવના વગેરે વિવિધ પ્રેરણાઓ આ ગ્રંથ દ્વારા તેઓએ જન સામાન્યમાં સિંચવાનો પુરુષાર્થ કર્યો છે. લાખો લોકો પોતાના નિત્ય પ્રાત ક્રમમાં આ સત્સંગદીક્ષા ગ્રંથનો પાઠ કરે છે. મહંત સ્વામી મહારાજના સંકલ્પે 15,000 કરતાં વધારે બાળકોએ આ ગ્રંથનો સંસ્કૃતમાં મુખપાઠ પૂર્ણ કર્યો છે અને વધુ 25,000 જેટલાં બાળ બાલિકાઓ આ મુખપાઠના મહાન યજ્ઞમાં જોડાયા છે.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના એ સંકલ્પ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની મ બાળપ્રવૃત્તિ દ્વારા ગત વર્ષથી 8500 થી અધિક બાળ બાલિકા સેન્ટરના 17,500 થી અધિક બાળ બાલિકા પ્રવૃત્તિ કાર્યકર્તાઓએ મર્યકર્તાઓએ વૈદિક અને શાશ્વત પરંપરાનું પુનરાવર્તન કરવાનું મુખપાઠનું અભિયાન મ શ કર્યું. આજે 1 વર્ષ બાદ કુલ 15,666 બાળ.બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના 615 સંસ્કૃત શ્લોકોનો ‘ સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જી દીધો છે.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ દિલ્હીના ભારતીય મ ) કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિએ મહંત સ્વામી મહારાજને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સંભવતઃ આ એક વિશ્વવિક્રમ છે કે જેમાં 3 વર્ષથી લઈને 13 વર્ષ સુધીના 15000 થી વધુ બાળકોએ સમગ્ર સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ એક વર્ષમાં પૂર્ણ કર્યો છે.
આ મુખપાઠ યજ્ઞમાં 3 વર્ષથી 13 વર્ષ સુધીનાં બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. આમ બાળકો અને બાલિકાઓને મુખપાઠ કરાવવામાં તેઓના વાલીઓની પણ ખૂબ મહેનત જોવા મળી હતી. ઘણા બાળકો ખૂબ જ નાના હતા કે જેઓ હજુ લખી કે વાંચી શકતા નથી છતાં પણ તેમણે પોતાની માતાના + સહયોગથી માત્ર સાંભળીને શ્લોક યાદ રાખી પોતાની કાલી ઘેલી ભાષામાં મુખપાઠ પૂર્ણ કર્યો હતો.
વાલીઓ બાળકોના અભ્યાસની સાથે સમયની અનુકુળતા કરી, બાળકોને મુખપાઠ કરાવતા. આ સમગ્ર (મુખપાઠ દરમિયાન વાલીઓને બાળકોમાં રહેલ પ્રતિભાનો પરિચય થયો હતો. વાલીઓએ એ પણ અનુભવ્યું હતું કે, મુખપાઠ કરવાથી બાળકોના અભ્યાસમાં પણ પ્રગતિ જોવા મળી હતી. મુખપાઠ દરમિયાન ઘણા બાળકોએ શારીરિક તકલીફોની વચ્ચે. સારા-નરસા પ્રસંગોની વચ્ચે પણ દ્રઢતાપૂર્વક, ગુરુને રાજી કરવાની ભાવનાથી મુખપાઠ પૂર્ણ કર્યો હતો.
બાળકોની આવી ધગશ અને મહેનત જોઈ; કાર્યકરો અને વાલીઓએ પોતાની હથેળી અને સુશોભિત વસ્ત્રો પર બાળકોના પગલા પડાવી અભિવાદિત કર્યા હતા. બાળકોને મુખપાઠ પૂર્ણ થયા બાદ વિવિધ ઈનામો પણ અપાયાં હતાં.
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંપૂર્ણ મુખપાઠ કરનાર તમામ 15,666 બાળકો અને બાલિકાઓનો અભિવાદન સમારોહ મિશન રાજીપો અભિવાદન મહોત્સવ તા. 29 ઓક્ટોબર, બુધવારે સાંજે 6ઃ30 વાગ્યાથી ઓનલાઈન માધ્યમ દ્વારા યોજાશે. જેમાં દરેક બાળ બાલિકા વિદ્વાન પોતાના ! ઘરેથીજ એમના માતા-પિતા, સગા-સંબંધી, મિત્રો, શિક્ષકો અને પાડોશીઓ સાથે જોડાશે.
આ અભિવાદન સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ તમામ બાળકો પર અંતરના આશિષ વરસાવી. વિશિષ્ટ રીતે અભિવાદન કરશે.આ સમગ્ર મુખપાઠ આયોજનમાં બી.એ.પી.એસ. સંસ્થાના બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયના સંતો સ્થાનિક બાળ પ્રવૃત્તિ સંભાળતા પૂજ્ય નિત્યમંગલ સ્વામી અને બાળ કાર્યકરોની ટીમે ખૂબજહેમત ઉઠાવી છે.

