New Delhi,તા.05
આવકવેરા વિભાગે હાલમાંજ પુરા થયેલા નાણાંકીય વર્ષ 2024/25 માટે જે બે આવકવેરા ફોર્મ- આરટીઆઈ-વન અને આરટીઆઈ-4 સહજ તથા સુગમ જાહેર કર્યા છે તેની પ્રાથમીક માહિતી બાદ હવે આઈટી વિભાગે જાહેર કર્યુ છે કે, આ રીટર્ન ફાઈલ કરવાની સાથે તેના સંબંધીત દસ્તાવેજો પણ ડિજીટલ સ્વરૂપમાં ઓનલાઈન આ આવકવેરા ફોર્મ ભરવા સાથેજ અપલોડ કરવાના રહેશે.
આરટીઆઈ-1 એ એકજ પાનાનું ફોર્મ છે પણ તેની સાથે ડીજીટલ દસ્તાવેજો માટે ખાસ વ્યવસ્થા છે અને રૂા.50 લાખથી ઓછી નોકરી, એક જ ઘરની ભાડા આવક તથા વ્યાજ વિ.ની આવકવેરા અને તે રૂા.1.25 લાખ સુધીની મર્યાદામાં હાલ તથા લોંગ ટર્મ કેપીટલ ગેઈનમાં રૂા.5000નો ફાયદો હોય તેણે આ ફોર્મ ભરવાના છે પણ આવકવેરા વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે, રિટર્ન દાખલ કરતા પુર્વે કુલ આવક તેના પરની કર જવાબદારી અને તેમાં જે કરમુક્તિની વિવિધતા છે તે પુરી રીતે ચકાસી લેવી જોઈએ અને તેના સપોર્ટ કરતા દસ્તાવેજો ડીજીટલી અપલોડ કરે પછી જો કર ભરવાની જવાબદારી બનતી હોય કે રિફંડ લેવાનુ થતુ હોય તો તે નિશ્ચિત કરે જેથી રિટર્ન પ્રોસેસીંગ ઝડપી બનશે.
આવકવેરા વિભાગે આ નવા રિટર્નથી હવે એડવાન્સ સીસ્ટમનો અમલ શરૂ કર્યો છે. જેમાં રિટર્નની સાથે જે સપોર્ટ દસ્તાવેજો હોય તે સાથે જ અપલોડ કરવાના રહે છે. જેથી રીટર્નમાં જે દાવા કરાયા હોય તેની ચકાસણી સરળ-ઝડપી બનશે. આવકવેરાએ આ માટે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ શરૂ કર્યા છે.
જે વ્યક્તિ આ પ્રમાણે રીટર્ન દાખલ કરતા હોય તો તેના રોકાણ તેના દેવા અને અન્ય કર છૂટ કે જવાબદારીના દસ્તાવેજો સાથે જ અપલોડ કરવાના રહે છે. રિટર્ન દાખલ કરતા સમયે તમારા તમામ બેન્ક ખાતાની માહિતી પણ આપવાની રહેશે અને એન્યુઅલ ઈન્ફનેશન સીસ્ટમ મુજબની માહિતી પણ વાર્ષિક ધોરણે આપવાનું રહેશે.
આરટીઆઈ-4 જે સુગમના નામે ઓળખાય છે. તે વ્યક્તિગત- હિન્દુ અનડિવાઈડેડ ફેમીલી (એચયુએફ) તથા પેઢી (ફર્મ) દ્વારા દાખલ હોય છે. તમારે રિટર્ન ફાઈલ કરતા સમયે જે એન્યુઅલ ઈન્ફર્મેશન સીસ્ટમ હેઠળ વર્ષમાં કરવામાં આવેલા લેવડ-દેવડની માહિતી આપવાની રહે છે. જેમાં મ્યુચ્યુઅલ ફંડ, શેર ક્રેડીટકાર્ડ, સંપતિનું ખરીદ વેચાણ સાથે જોડાયેલી માહિતી આપવાની રહે છે.
ફોર્મ-26 એ.એસ. અત્યંત મહત્વનું છે. કારણ કે તે કર સાથે જોડાયેલી સતાવાર માહિતી આપે છે. રિટર્ન ભરતા સમયે આ ફોર્મમાં જે વિવિધ સૂચનાઓ કે માહિતી છે તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. તમારા પેનકાર્ડ નંબર પરથી થયેલી કરકપાત, એડવાન્સ ટેકસ ટીસીએસ, રીફંડ અને હાઈ વેલ્યુ ટ્રાન્જેકશનની માહિતી આપવાની રહે છે.
જેના પરથી તમો નિશ્ચિત કરી શકો છો કે તમારે કેટલો કર ભરવાનો છે. આવા રિફંડ લેવાનું છે. તમારા ટીડીએસ, ટીસીએસની ચકાસણી થવી જોઈએ જેથી ખોટા પ્રશ્ન જવાબમાં તમોએ પડવુ પડે નહી.