Mumbai,તા.06
એપરલ ક્ષેત્ર માટે ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી)ના દરમાં નોંધપાત્ર ફેરબદલ કરવાની ગુ્રપ ઓફમિનિસ્ટર્સ દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તનો જો અમલ કરાશે તો, તેનાથી એપરલ ઉદ્યોગ મુશકેલીમાં મુકાશે એમ ધ કલોથિંગ મેન્યુફેકચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા ચિંતા વ્યકત કરવામાં આવી છે.
નવી દરખાસ્ત પ્રમાણે રૃપિયા ૧૫૦૦ની કિંમત સુધીના રેડીમેડ ગારમેન્ટસ પર પાંચ ટકા જીએસટી ચાલુ રહેશે પરંતુ રૃપિયા ૧૫૦૦થી રૃપિયા ૧૦,૦૦૦ સુધીના ગારમેન્ટસ પર ૧૮ ટકા અને રૃપિયા ૧૦,૦૦૦થી ઉપરની કિંમતના ગારમેન્ટસને ૨૮ ટકા જીએસટી બ્રેકેટમાં આવરી લેવા સૂચવાયું છે.
આ દરખાસ્ત સામે ચિંતા વ્યકત કરતા એસોસિએશને જણાવ્યું હતું કે, આનાથી એપરલ ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર પડશે ખાસ કરીને ઉત્પાદન, ભાવ તથા માગ પર અસર જોવા મળશે. એપરલ પરના જીએસટી દરમાં વધારાથી આ ક્ષેત્રનો વેપાર અસંગઠીત ચેનલ્સ તરફ વળી જશે એમ એસોસિએશન દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. આ દરખાસ્તના અમલથી ટેકસટાઈલ ઉદ્યોગ જે અગાઉથી જ દબાણ હેઠળ છે તેમાં એક લાખ રોજગાર ગુમાઈ જશે અને નાના તથા મધ્યમ સ્તરના ઉપક્રમોને આવક તથા નફામાં ઘટાડો થશે.
ઊંચા જીએસટી બ્રેકેટને કારણે ગારમેન્ટસની કિંમતમાં વધારો થશે જે ભાવ પ્રત્યે સંવેદનશીલ ખાસ કરીને મહિલાઓ માટે રેડીમેડ કપડા ખરીદવાનું મુશકેલ બનાવશે એવો પણ નિવેદનમાં દાવો કરાયો છે.
દરમિયાન રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (રાય) દ્વારા પણ સદર દરખાસ્ત સામે નારાજગી વ્યકત કરવામાં આવી છે. દરખાસ્તના અમલથી રિટેલ ક્ષેત્ર તથા ઉપભોગતાના માનસ પર દૂરગામી પરિણામો જોવા મળશે.