Morbi,તા.01
મોરબીના જોધપર ગામ નજીક આવેલ મચ્છુ 2 ડેમના રીપેરીંગ અને ગેટ બદલવાની કામગીરી કરવાની હોવાથી તા. ૦૨ એપ્રિલના રોજ બપોરે ૪ કલાકે ૨ દરવાજા ૨ ફૂટ ખોલી ૧૩૦૦ કયુસેક પ્રવાહ પ્રસાર કરવામાં આવશે જે તબક્કાવાર વધારીને ૩૫૦૦ કયુસેક સુધી કરવામાં આવશે જેથી મોરબી અને માળિયા તાલુકાના ૨૯ ગામોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે
જેમાં મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુલકા, જુના સાદુલકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળિયા તાલુકાના વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા (મી.) સહિતના ગામોને એલર્ટ રહેવા સુચના આપી છે જે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર ના કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા જણાવ્યું છે