- ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સે બીસીજીસીએલ પાસેથી રૂ.૫૪૦૦ કરોડનો એલઓએ મેળવ્યો…!!!
- ડિસેમ્બરમાં ભારતમાં ગ્રાહક ભાવ ફુગાવો વધીને ૧.૫૦% થવાની શક્યતા છે…!!!
- રેલ વિકાસ નિગમને ૨૦૧.૨૩ કરોડ રૂપિયાનો એલોએ મેળવવામાં ફાયદો…!!!
- Q3FY26 માં કોન્સોલિડેટેડ ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં 6% નો વધારો નોંધાવતા જેએસડબ્લ્યુ સ્ટીલ વધ્યું…!!!
- ભારત ઇલેક્ટ્રોનિક્સે ૫૯૬ કરોડ રૂપિયાના વધારાના ઓર્ડર મેળવવા માટે આગળ વધ્યું…!!!
- શુક્રવારે અમેરિકન ડોલર સામે રૂપિયો નબળો પડ્યો…!!!
- Somnath Mahadev મંદિર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં શિવઆરાધના
- Una ના ડમાસા ગામે પથ્થરની ખાણ ઝડપાઈ
Author: Vikram Raval
Prabhaspatan, તા.9 સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી ડો. પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયાસહિતના મહાનુભાવો જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી અને ઉમેશ બારોટે સોમનાથ મહાદેવની આરાધના અને ભજનો સાથે આપણી સંસ્કૃતિ, ધરોહર અને સનાતન ધર્મને સંગીતના સૂરોના તાંતણે બાંધી અહોભાવ સાથે શિવ ભક્તિમાં તરબોળ કરતા ગીતોની રમઝટ બોલાવી હતી. ઉપસ્થિત પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની શિવ ભક્તિમાં લીન બન્યા હતા અને સંગીતમાં ઝૂમ્યા હતા. પ્રેક્ષકોએ પણ આત્મીયતાથી આ કાર્યક્રમ સાથે જોડાઈ શિવ ભક્તિના અનેક ગીતોની સાથે તાળીઓ સાથે કલાકારોના સૂરમાં સૂર પુરાવ્યો…
Una ,તા.9 ઉના તાલુકાના ડમાસા ગામમાં ગેરકાયદેસર પથ્થરની ખાણ ઝડપાઈ છે. પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે રાત્રિ દરમિયાન આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં રૂ।.5 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, ડમાસા ગામના સર્વે નંબર 132 પર નાનજીભાઈ ભાણજીભાઈ સોલંકી દ્વારા કોઈ પણ પૂર્વ પરવાનગી વિના બિલ્ડિંગ લાઇમ સ્ટોનનું ખનન કરવામાં આવી રહ્યું હોવાનું જણાયું હતું. ટીમે સ્થળ પરથી એક ચકરડી અને એક જનરેટર જપ્ત કર્યા હતા. ઉના પંથકમાં ગેરકાયદેસર પથ્થર અને રેતી ચોરીની વ્યાપક ફરિયાદોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી,…
Prabhaspatan તા.9 સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથમાં શિવ ભક્તિનું અનોખું પર્વ બન્યું છે. અતુટ આસ્થાના 1000 વર્ષ અંતર્ગત સોમનાથમાં ત્રિ દિવસીય કાર્યક્રમોમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સ્વાભિમાન પર્વ શૌર્ય સભા-શોર્ય યાત્રા અને ઓમકાર મંત્ર સહિતના કાર્યક્રમોને લઈને સોમનાથ પરિસરમાં અખંડ ઓમકાર જાપ અને અખંડ શિવ ભજન ના કાર્યક્રમોનો આજે પ્રારંભ થયો હતો. જેમાં જુનાગઢ થી યોગ બોર્ડના મહિલા સભ્યો તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના મહિલા પ્રતિનિધિઓ યોગ, વ્યાયામ શિક્ષકો અને મહિલા કાર્યકર્તાઓ સહિત 500 બહેનોએ અખંડ શિવધૂનમાં ભાગ લીધો હતો. કરતાલ, લોક કંઠના શિવ ભક્તિ ગીતો ભાવમય રીતે ગવાતા હતા ત્યારે સોમનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓએ પણ…
Somnath,તા.9 ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જ્યારે ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે એક એવા વીર યોદ્ધાનું સ્મરણ અનિવાર્ય બને છે . જેમણે સોમનાથની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. એ નામ એટલે વીર હમીરજી ગોહિલ. સોમનાથનો ઇતિહાસ માત્ર આક્રમણોનો જ નહીં, પરંતુ તે આક્રમણો સામે લડીને ખમીર બતાવનારા વીરોનો પણ ઇતિહાસ છે. જ્યારે આતતાયી ઝફરખાનની સેનાએ સોમનાથ પર આક્રમણ કર્યું, ત્યારે લાઠીના રાજકુંવર હમીરજી ગોહિલે સોમનાથના શિવલિંગની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો હતો. નવી પરણેલી પત્નીનો સાથ અને રાજગાદીનો મોહ ત્યજીને તેઓ સોમનાથના રક્ષણ માટે નીકળી પડ્યા હતા. માર્ગમાં વેગડાજી ભીલ…
Bangladesh,તા.9 IPL માંથી ખેલાડીઓને બાકાત રાખવાના BCCIના નિર્ણયના વિરોધમાં બાંગ્લાદેશે ભારતને મોટો ફટકો માર્યો છે. બાંગ્લાદેશે ભારતીયો માટે બધી વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે, પરંતુ વિદ્યાર્થી અને વ્યવસાયિક વિઝા સેવાઓ ચાલુ રહેશે. બાંગ્લાદેશ સરકારે દિલ્હી, અગરતલા, મુંબઈ, ગુવાહાટી અને ચેન્નાઈમાં તેના દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને સામાન્ય વિઝા સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવના પ્રતિબિંબ તરીકે જોવામાં આવી રહ્યો છે. એ નોંધવું જોઈએ કે ભારતે બાંગ્લાદેશ પહેલા તેની વિઝા સેવાઓ સ્થગિત કરી હતી, જે આગામી સૂચના સુધી સ્થગિત રહેશે. શેખ હસીનાના વિરોધી ઉસ્માન હાદીની હત્યા બાદ, બાંગ્લાદેશમાં હિંસા અને તણાવ ફાટી નીકળ્યો. વિરોધીઓ…
Americaતા.8 અમેરિકાના મિનિયાપલીસમાં અત્યારસુધીનું સૌથી મોટું ઈમિગ્રેશન ઓપરેશન શરૂ થવા જઈ રહ્યું છે જેમાં પહેલીવાર એક-એક ઘરમાં ઘૂસીને ICEના એજન્ટ્સ ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પકડશે. સાથે જ વર્ક પરમિટ વિના કામ કરતા અને તેમને કામ પર રાખનારા ઓનર્સ સામે પણ કડક કાર્યવાહી કરાશે. આમ તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને શિકાગો, કઅ, મેમ્ફિસ અને શાર્લટ સહિતના શહેરોમાં આવા મોટા ઓપરેશન્સ હાથ ધર્યા છે પરંતુ આ ઓપરેશન જેવી તૈયારી હજુ સુધી કરવામાં નથી આવી. ફેડરલ ઈમિગ્રેશન ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે મિનિયાપલીસ એરિયામાં થનારા ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ માટે બે હજાર જેટલા એજન્ટ્સને તૈનાત કરવામાં આવી રહ્યા છે. તેની તૈયારીના જે વિડીયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર…
Moscow,તા.09 અમેરિકાના વેનેઝુએલા પર કબ્જા તથા આ દેશનું ક્રુડતેલ વહન કરી રહેલા રશિયન ઓઈલ ટેન્કર પર અમેરિકા-સાથી દેશોએ બળજબરીથી કબ્જો કરવા ઉપરાંત રશિયા સંબંધીત ક્રુડ ઓઈલ તથા સંરક્ષણ ઉત્પાદનો સંબંધી પ્રતિબંધ મુકતા ખરડાને અમેરિકી સંસદમાં રજુ કરાતા જ હવે રશિયા પણ યુક્રેન મુદે નિર્ણાયક બની રહ્યું છે. આ યુદ્ધમાં પુરી સરસાઈ મેળવવા અણુ હુમલાની પણ તૈયારી કરી રહ્યુ હોવાનો અહેવાલ ન્યુયોર્ક ટાઈમ્સે આપ્યો છે. યુક્રેને જે રીતે રશિયાની વ્યુહાત્મક ન્યુકલીયર ટેસ્ટ સાઈટને સતત નિશાન બનાવવાનું શરૂ કર્યુ છે તે પછી રશિયા હવે યુક્રેન પર મર્યાદીત અસર કરતો અણુ હુમલો કરી શકે છે. રશિયાએ અગાઉ રશિયાએ જે મધ્યમ અંતરના બેલેસ્ટીક મિસાઈલનો…
Iran, તા.9 ઇરાનમાં એકાદ પખવાડિયાથી મોંઘવારી-નબળા ચલણ સામે ચાલતો વિરોધ હવે વિદ્રોહમાં ફેરવાયો હોય તેમ સમગ્ર દેશમાં હિંસક તોફાનો ફરી વળ્યા છે. આંદોલનકારીઓએ પાટનગર તહેરાનને પણ ઘેરી લીધું છે. ફફડેલી સરકારે એરસ્પેસ તથા ઇન્ટરનેટ બંધ કરી દીધા છે. તોફાનોનો મૃત્યુઆંક 45 પર પહોંચ્યો છે. ઈરાનમાં આર્થિક સંકટ સામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હવે સરકાર વિરોધી વિદ્રોહમાં ફેરવાઈ ગયા છે. રાજધાની તેહરાન સહિત મશહદ અને ઈસ્ફહાન જેવા મોટા શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સુરક્ષાદળો સાથે અથડામણના અહેવાલો પરિસ્થિતિ વણસતી જોઈને, ખામૈની શાસને દેશવ્યાપી ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરી દીધું છે અને સમગ્ર દેશનું એરસ્પેસ પણ બંધ કરી દીધું છે. રાજધાની…
New Delhi,,તા.09 દિલ્હીમાં સતત વધી રહેલા હવાના પ્રદુષણમાંથી મુક્તિના કોઈ સંકેત નથી તે વચ્ચે દિલ્હી હાઈકોર્ટે નાગરિકોને તેમના ઘરોમાં સ્વચ્છ હવા મળી રહે તે હેતુથી એર પ્યોરીફાયરના ભાવ ઘટાડવા તેના પરનો 18% નો જીએસટી દુર કરવા દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપેલા આદેશને નકારતા સરકારે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે આ પ્રકારના કરવેરા કે નાણાકીય બાબતોમાં અદાલતો દરમ્યાનગીરી કરી શકે નહી. એર પ્યોરીફાયરને મેડીકલ ડીવાઈઝ જાહેર કરી તેના પરનો જીએસટી ઘટાડવા કે દુર કરવા હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું. પરંતુ સરકારે તેને એક વ્યાપક અર્થમાં લીધુ છે અને જણાવ્યું છે કે કરવેરા સંબંધમાં અદાલતોને દરમ્યાનગીરી કરવાનું બંધારણ પણ છુટ આપતું નથી. સરકારે…
New Delhi,, તા.9 દેશમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને સ્લીપર બસોને બનાવવામાં આચારવામાં આવતી અનિયમિતતાને રોકવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સખ્ત એકશનના મૂડમાં છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાઈવેટ બસ બોડી બિલ્ડરો (વેન્ડરો) દ્વારા બસો બનાવવામાં આચરવામાં આવેલ મોટા સ્તરે લાપરવાહી, સુરક્ષા ધોરણો પર ખરી ન ઉતરવા છતા ફિટનેસ સર્ટીફીકેટ જાહેર કરવા અને અન્ય પ્રકારના ગોટાળાની શંકા જોઈ કેટલાક મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરવામાં આવશે. જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે રાજયો અને કેન્દ્રશાસિત રાજયોના ટ્રાન્સપોર્ટ મંત્રીઓ અને કમિશ્નરોની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ તેમણે મીડિયાને કહ્યું હતું કે અમારા પ્રયાસો છતા પણ…
