Author: Vikram Raval
તા.14-06-2025 શનિવાર મેષ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવા ની અપેક્ષા છે. પોતાના સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમત ની યોજના બનાવી શકો છો। રાત્રી ના સમયે આજે તમને ધન લાભ થવા ની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. આજે તમે ઘર ના નાના સભ્યો સાથે ગપસપ કરી ને તમારા મફત સમય નો સારો ઉપયોગ કરી શકો છો. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ…
તા.14-06-2025 શનિવાર તિથિ તૃતીયા (ત્રીજ) – 15:49:44 સુધી નક્ષત્ર ઉત્તરાષાઢા – 24:22:52 સુધી કરણ વિષ્ટિ ભદ્ર – 15:49:44 સુધી, ભાવ – 27:55:01 સુધી પક્ષ કૃષ્ણ યોગ બ્રહ્મ – 13:12:11 સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:22:39 સૂર્યાસ્ત 19:19:50 ચંદ્ર રાશિ ધનુ – 05:39:04 સુધી ચંદ્રોદય 22:07:00 ચંદ્રાસ્ત 07:42:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 31 મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:57:10 અશુભ સમય દુર મુહુર્ત 05:22:39 થી 06:18:28 ના, 06:18:28 થી 07:14:17 ના કુલિક 06:18:28 થી 07:14:17 ના દુરી / મરણ 11:53:21 થી 12:49:09 ના રાહુ કાળ 08:51:57 થી 10:36:36 ના કાલવેલા/અર્ધ્યામ…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૬.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૯૧ સામે ૮૦૪૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૩૫૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૧૮ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૩૭ સામે ૨૪૫૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.1 લાખને પારઃ ચાંદીમાં રૂ.243ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.512નો ઉછાળો મેન્થા તેલમાં નરમાઇનો માહોલઃ નેચરલ ગેસમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.27926 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.220334 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.19103 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23105 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.248264.06 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.27926.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.220334.42 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 23105 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4167.03 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના…
ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ પ્રમાણે વિષય આધારિત પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે Ahmedabadતા.૧૩ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી -૨૦૨૪ની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીનું આજે ૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ પ્રમાણે વિષય આધારિત પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર વેબસાઈટ પર માહિતી પુરી પાડવામાં આવી છે. રાજ્યમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું આજે(૧૩ જૂન) પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ઉમેદવારને કોઈપણ પ્રકારનો વાંધો જણાય તો તેઓ…
રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે જેમાં એક દિવસ શાળાઓ બંધ કરીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે Rajkot તા.૧૩ અમદાવાદમાં ગતરોજ ૧૨ જૂનના રોજ જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી હતી તેમાં મોટી સંખ્યામાં મુસાફરોનાં મોત થયાં છે. સાથે જ આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. જેથી તેમના નિધનને લઈને રાજકોટમાં શાળા સંચાલકો દ્વારા સ્વેચ્છાએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે. જેમાં એક દિવસ શાળાઓ બંધ કરીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આજે રાજકોટની ૬૦૦થી વધારે સ્કૂલો બંધ રહેવાની છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે…
Ahmedabad, તા.૧૩ અમદાવાદ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ કોટાના એક પરિવારના હૃદયના ધબકારા વધારી દીધા હતા. અકસ્માત સમયે કોટાનો એક યુવાન પણ ત્યાં હાજર હતો. એર ઈન્ડિયાનું આ વિમાન જે બિલ્ડિંગ પર પડ્યું હતું, ત્યાથી માત્ર ૨૦ મિનિટ પહેલા જ નીકળ્યો હતો આ યુવક. આ યુવક કોટોના દિગોડનો નિવાસી છે અને અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. દુર્ઘટનાના થોડા સમય પહેલા મયંક આ જ બિલ્ડિંગની કેન્ટિનમાંથી ભોજન લઈ રહ્યો હતો કે જ્યાં થોડા સમય પછી વિમાન ક્રેશ થયું હતું. પરંતુ માત્ર ૨૦ મિનિટ પહેલા મયંક ત્યાથી નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો. મયંકે કહ્યું કે, હું ૧૨…
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાને લઈને ખાસ વ્યવસ્થા Ahmedabad, તા.૧૩ ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની ૧૨૪૭૨ જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર (PSI)ની ૪૭૨ જગ્યા માટે કુલ ૧,૦૨,૯૩૫ ઉમેદવારોએ ૧૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ લેખિત પરીક્ષા આપી હતી. જ્યારે હવે લોકરક્ષક કેડરની ૧૨ હજાર જગ્યા પરની ભરતી માટે આગામી ૧૫ જૂન ૨૦૨૫ના રોજ ૨.૪૭ લાખથી વધુ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, SRPF સહિતની ૧૨૦૦૦ જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા…
ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી કહ્યું છે કે, અમે વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ New Delhi, તા.૧૩ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરૂવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા ૨૪૨ લોકો સહિત ૨૬૫ લોકોના મોત થયા છે, ત્યારે આ દુઃખ ઘટનાને ધ્યાને રાખી દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (ન્ૈંઝ્ર)એ આજે મહત્ત્વની જાહેરાત કરી છે. એલઆઈસીએ કહ્યું છે કે, ‘અમે વિમાન અકસ્માતમાં સામેલ પીડિતોના સંબંધીઓને દાવાની પતાવટ પ્રક્રિયામાં રાહત આપી છે અને આ પ્રક્રિયાને ઝડપી કરી દીધી છે. કંપનીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી કહ્યું છે કે, અમે વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ…
ભારતની વિમેન્સ ટીમ ૨૮મી જૂને નોટ્ટિંગહામ ખાતેની ટી૨૦ સાથે આ પ્રવાસનો પ્રારંભ કરશે અને તેની બીજી મેચ પહેલી જુલાઈએ રમાશે મુંબઈ, તા.૧૩ ઇંગ્લેન્ડમાં પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવા જનારી ભારતીય વિમેન્સ ટીમમાં ગુરુવારે ઇજાગ્રસ્ત સૂચિ ઉપાધ્યાયને સ્થાને અનુભવી લેફ્ટ આર્મ સ્પિનર રાધા યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ ૨૮મી જૂનથી ઇંગ્લેન્ડ સામે ટી૨૦ સિરીઝનો પ્રારંભ કરશે. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે ૨૦ વર્ષીય સ્પિનર સૂચિ ઉપાધ્યાયે ગયા મહિને શ્રીલંકા સામેની સિરીઝ સાથે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો પરંતુ હવે તે ઇજાને કારણે ઇંગ્લેન્ડ સામે રમી શકે તેમ નથી.ભારતીય ક્રિકેટ બોર્ડની મહિલા ટીમની પસંદગી સમિતિએ સૂચિને સ્થાને રાધા…