- Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- કામનામાં રચ્યા-પચ્યા લોકોને પોતાના સ્વરૂપનું ભાન થતું નથી
- ધર્મનું થોડું ઘણું આચરણ જન્મ-મૃત્યુરૂપી મહાન ભયમાંથી રક્ષણ કરે છે
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Ahmedabad માં બહુમાળી ઈમારતમાં આગ
- Kolkata Knight Riders આઠ વર્ષ બાદ દિલ્હીને હોમ પીચમા હરાવી
- આજે Chennai Super Kings and Punjab Kings વચ્ચે ટક્કર
- 14 વર્ષની વયે 101 રનની ઇનિંગ્સ રમનાર પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ વિજેતા બન્યો Vaibhav Suryavanshi
Author: Vikram Raval
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૪.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૮૮ સામે ૮૦૩૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૮૭૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૨૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૨૫ સામે ૨૪૬૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૪૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
જે લોકોની બુદ્ધિ વ્યાવસાયિક નથી,તેની ક્રિયા કેવી હોય છે અને તેની માનસિકતા કેવી હોય છે તે સમજાવતાં ભગવાન ગીતા(૨/૪૨-૪૪)માં કહે છે કે.. યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદન્ત્યવિપશ્તિઃ વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ૪૨ કામાત્માનઃ સ્વર્ગપરા જન્મકર્મફલપ્રદામ્ ક્રિયાવિશેષબહુલાં ભોગૈશ્વર્યગતિં પ્રતિ ૪૩ હે પાર્થ ! જેઓ કામનાઓમાં તન્મય થયેલા છે,જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ શ્રેષ્ઠ વસ્તુ છે,જેઓ કર્મફળનાં પ્રશંસક વેદવાક્યોમાં પ્રિતિ સેવે છે અને જેઓ ભોગો સિવાય બીજું કશું છે જ નહી અમે બોલનારા છે એવા અવિવેકી માણસો આ પ્રકારની જે પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેનારી છે તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ…
કર્મયોગની શરૂઆત કરતાં પહેલાં તેની મહત્તા સમજાવતાં ભગવાન ગીતા(૨/૪૦)માં કહે છે કે.. નેહાભિક્રમનાશોઽસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત.. મનુષ્યલોકમાં આ સમબુદ્ધિરૂપ ધર્મના આરંભનો એટલે કે બીજનો નાશ થતો નથી અને તેના અનુષ્ઠાનનું અવળું ફળ પણ થતું નથી અને આ ધર્મનું થોડુંઘણું પણ આચરણ જન્મ-મૃત્યુરૂપી મહાન ભયમાંથી રક્ષણ કરે છે. મનુષ્યલોકમાં મનુષ્ય જ સમબુદ્ધિ પ્રાપ્ત કરવાનો અધિકારી છે.મનુષ્ય સિવાય બીજી બધી ભોગ યોનિઓ છે,તેમાં વિષમતા(રાગ-દ્વેષ)નો નાશ કરવાનો અવસર જ નથી કેમકે ભોગ રાગ-દ્વેષપૂર્વક જ થાય છે.સંસારમાં વિષમતાનું હોવું એ જ વિપરીત ફળ છે.આ સમબુદ્ધિરૂપી ધર્મનું થોડુંક પણ અનુષ્ઠાન થઇ જાય, થોડી પણ સમતા જીવનમાં કે આચરણમાં આવી જાય તો મનુષ્ય…
અખાત્રીજના દિવસે એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.1839 અને ચાંદીના વાયદામાં રૂ.3,172નો કડાકો ક્રૂડ તેલનો વાયદો રૂ.93 લપસ્યોઃ નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.25265.22 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.156211.88 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21336.40 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21576 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.181478.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25265.22 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.156211.88 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21576 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1141.59 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21336.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.95353ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95353 અને નીચામાં રૂ.93721ના મથાળે અથડાઈ, રૂ.95592ના આગલા બંધ સામે રૂ.1839 ઘટી રૂ.93753ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની…
Ahmedabad,તા.30 ઇન્દિરાબ્રિજ નજીક આવેલા આત્રેય ઓર્ચિડ ફ્લેટના જી બ્લોકમાં ચોથા માળે આવેલા મકાનમાં મંગળવારે સાંજે 6 વાગ્યે એસીમાં આગ લાગી હતી. જ્યારે ઘરમાં આગ લાગતા ફર્નિચર, ગાદલા સહિતનો સામાન આગની ઝપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી આગ બાજુના મકાનમાં અને પાંચમાં માળે આવેલા ચાર મકાનો એમ કુલ 6 મકાનોમાં આગ પ્રસરી હતી. જેથી ફ્લેટમાં કુલ 31 લોકો ફસાયા હતા. જેથી ફાયરબ્રિગ્રેડને જાણ કરાતા ફાયરની 23 ગાડીઓટો ઘટનાસ્થળે પહોચી હતી. જ્યારે ફાયરની ટીમ પહોચે તે પહેલા ચાર લોકો પાંચમાં માળેથી જીવ બચાવવા છલાંગ લગાવી હતી. ત્યારે ફ્લેટના રહીશોએ નીચે ગાદલા અને ચાદર સેફ્ટી તરીકે રાખતા ચારેય લોકોને…
New Delhi, તા.30 IPL 2025ની 48મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 14 રને બાજી મારી અરૂણ જેટલી સ્ટેડિયમમાં 2017 બાદ પહેલી વાર દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવ્યો હતો. છેલ્લાં આઠ વર્ષમાં આ મેદાન પર દિલ્હીએ કલકત્તાને ત્રણેય મેચમાં માત આપી હતી. કલકત્તાની ટીમે એક પણ 50 પ્લસ રનની ઇનિંગ્સ વગર નવ વિકેટે 204 રન ફટકાર્યા હતા. કેપ્ટન અને વાઇસ કેપ્ટનની શાનદાર પાર્ટનરશિપ છતાં દિલ્હી નવ વિકેટે 190 રન બનાવીને હાર્યું હતું. મેચ દરમ્યાન બન્ને ટીમના કેપ્ટન્સને ફીલ્ડિંગ દરમ્યાન આંગળીઓમાં ગંભીર ઇન્જરી થઈ હતી. ટોસ હારીને પહેલાં બેટિંગ કરનાર કલકત્તાએ સુનીલ નારાયણ (16 બોલમાં 27 રન) અને રહમાનુલ્લાહ ગુરબાઝ (12 બોલમાં 26…
New Delhi, તા.30 IPL 2025ની 49મી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. સીઝનની પહેલી ટક્કરમાં પંજાબે 18 રને જીત મેળવી હતી. તળિયાની ટીમ ચેન્નઈ પોતાની છેલ્લી બન્ને મેચ હારી છે, જ્યારે પંજાબ છેલ્લી બે મેચથી જીતી શક્યું નથી. એની કલકત્તા સામેની છેલ્લી મેચ વરસાદને કારણે નો-રિઝલ્ટ રહી હતી. આજે જીત મેળવીને પંજાબની ટીમ પ્લેઑફ રેસમાં મજબૂત બનીને પોતાનો મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ સામેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ બરાબર કરવાનો પ્રયાસ કરશે. ચેપોક સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે આઠ મેચ રમાઈ છે જેમાં બન્નેએ 4-4 જીત નોંધાવી છે. 2010માં હોમ ટીમ સામે પોતાની પહેલી સુપર ઓવર મેચ જીતનાર…
New Delhi, તા.30 પિન્ક સિટી જયપુરમાં રાજસ્થાન રોયલ્સે ઓપનર વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ગુજરાત ટાઈટન્સ સામે આઠ વિકેટે જીત નોંધાવી હતી. 101 રનની ઇનિંગ્સ રમનાર વૈભવ સૂર્યવંશી પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ વિજેતા બન્યો હતો. તે IPL માં આ અવોર્ડ જીતનાર 14 વર્ષ 32 દિવસની ઉંમરે યંગેસ્ટ પ્લેયર બન્યો હતો. તેણે આ મામલે અફઘાની ક્રિકેટર મુજીબ-ઉર-રહેમાનનો 2018નો રેકોર્ડ તોડયો હતો જેમાં તે પંજાબ કિંગ્સ તરફથી રમતાં 17 વર્ષ 39 દિવસની ઉંમરે રાજસ્થાન રોયલ્સ સામે પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ જીત્યો હતો. વૈભવે 101 રનની ઇનિંગ્સમમાંં સાત ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. તેણે દોડીને માત્ર સાત રન કર્યા હતા,…
New Delhi, તા.30 વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક સિદ્ધિ પાછળ તેની ફેમિલીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સોમવારે ગુજરાત ટાઈટન્સ સામેની જીત બાદ રાજસ્થાન રોયલ્સે શેર કરેલા એક વીડિયોમાં વૈભવ કહે છે, હું આજે જે કાંઈ છું એ મારાં મમ્મી-પપ્પાને લીધે છું. મારા પ્રેક્ટિસ-શેડ્યુલ માટે મારી મમ્મી રાત્રે 11 વાગ્યે સૂઈ ગયા પછી રાત્રે બે વાગ્યે ઊઠતી હતી, માંડ ત્રણ કલાક સૂવા મળતું હતું. એ પછી તે મારા માટે ભોજન બનાવતી હતી. મારા પપ્પાએ મને ટેકો આપવા નોકરી છોડી દીધી હતી. મારો મોટોભાઈ પોતાનું કામ સંભાળી રહ્યો છે અને ઘર માંડ-માંડ જ ચાલી રહ્યું છે છતાં પપ્પા મને સપોર્ટ આપી રહ્યા છે. ભગવાન…
New Delhi તા.30 ઈન્કમ ટેકસ રિટર્ન (આઈટી) ફોર્મમાં મોટો ફેરફાર આવનાર છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસેસ (સીબીડીટી) ઓછી ઈન્કમ દેખાડનાર અને પોતાની કમાણીથી વધુ ખર્ચ કરનારાને પકડવા માટે આઈટીઆર ફોર્મને પુરી રીતે બદલી રહ્યું છે. નવા આઈટીઆરમાં ટેકસ કલેમનાં બારામાં વધુ જાણકારી મેળવવામાં આવશે. આથી એ જાણવા મળશે કે કોઈ ખોટી રીતે ટેકસ બચાવવાની કોશીશ તો નથી કરી રહ્યોને. મોંઘી રજાઓ જેવા ખર્ચના બારામાં પણ જાણકારી માંગવામાં આવી શકે છે. આથી જે લોકોએ પોતાની અસલી કમાણી નથી બતાવી તેનો પતો મળી જશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભલે પુરી રીતે બદલાયેલુ આઈટીઆર ફોર્મ આવતા વર્ષથી લાગુ થાય પરંતુ આ વર્ષ માટે…