- Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી
- Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર
- Jamnagar: એક વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી એક યુવાનનું વિજ આંચકો લાગતાં મૃત્યુ
- Upleta: ખાખીજાળીયા ગામની સીમમાંથી જુગારની કલમ પકડાઈ, 11ની ધરપકડ
- Upleta: વડાળી ગામનો શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો
- Rajkot: જિલ્લામાં પાંચ સ્થળોએ જુગારના દરોડા, પાંચ મહિલા સહિત 27 શકુની ઝડપાયા
- Rajkot: લોક અદાલતમાં ૬૦ ટકા કેસનો સમાધાનથી નિકાલ
- Rajkot: ગાયત્રી નગર મેઇન રોડ પર બાઈક સાથે અકસ્માત બાદ સારવારમાં દમ તોડ્યો
Author: Vikram Raval
Moti Paneli,તા.13 ઉપલેટા તાલુકાના મોટી વસ્તી ધરાવતા ગામ મોટી પાનેલીમાં ગ્રામ પંચાયત હસ્તકની મિલ્કતો ની ભાડેથી આપવા અંગે જાહેર હરાજી નું આયોજન કરવામાં આવેલ. વર્ષો થી પંચાયત હસ્તકની આ મિલકતો લગતા વળગતા વેપારી કે સંસ્થાઓ પંચાયત પાસેથી વ્યાજબી ભાડેથી પોતાના ધંધા રોજગાર ચલાવવા વાપરે છે અને દર વર્ષે નિર્વિવાદ રીતે વેપારીઓ સમયસર ભાડુ ચૂકવી રહ્યા છે ચાલુ સાલ પણ પંચાયત દ્વારા મિલ્કતો નું જાહેરનામું બહાર પાડી ભાડેથી રાખવા માંગતા ગ્રામજનો પાસે ડિપોઝીટ ની રકમ લઈ શરતો અનુસાર જાહેરમાં બોલી લગાવવાની જાહેરાત કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો અને જે મિલ્કતો ભાડેથી આપવામાં આવી છે તે નિર્વિવાદ રીતે…
Jamnagar તા ૧૩, જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી ૪૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, જયારે મકાનમાલિક આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે. કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા દિનેશ ગોરાભાઈ ચૌહાણ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાક મકાનમાં ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે ગઈકાલે ઉપરોક્ત રહેણાક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી ૪૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો…
Jamnagar,તા ૧૩, જામનગર તાલુકાના બેરાજા ગામમાં એક ખેડૂતે પોતાની વાડીના શેઠે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો, જે સ્થળે એક યુવાનને વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે વાડી માલિક સામે બેદરકારી દાખાવવા બદલ ગુનો નોંધ્યો છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના બેરાજા ગામમાં રહેતો ભુપત હરજીભાઈ ઠુંગા નામનો ૩૨ વર્ષનો માલધારી યુવાન કે જે ગઈકાલે પોતાના ઘેટા બકરા ચરાવવા માટે ગામની ઉગમણી સીમ વિસ્તારમાં જગા ડેમની કેનાલની બાજુમાં ગૌચરની જમીન વિસ્તારમાં પહોંચ્યો હતો. જ્યાં બેરાજા ગામના જ ખેડૂત કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ નામના ખેડૂતે વાવેતર કર્યું…
ઉપલેટા ધોરાજી અને રાજકોટના પટરો રમવા આવતા: રોકડ, ૧૨ મોબાઇલ અને ચાર બાઈક મળી ₹4.26 લાખનો મુદ્દામાલ કબજે Upleta,તા.13 ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામની સીમમાં ધમધમતી જુગાર ની કલમ પર ભાયાવદર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ઉપલેટા, ધોરાજી અને રાજકોટના શખ્સ સહિત 11 શકુનીની ધરપકડ કરી રોકડ મોબાઈલ અને ચાર બાઇક મળી રૂપિયા 4.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની બદી ડામી દેવા નવનિયુક્ત એસપી વિજયસિંહ ગુર્જરે આપેલી સૂચનાને પગલે ભાયાવદર પોલીસ મથકના પી.આઈ વીસી પરમાર સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે ઉપલેટા દ્વારકાધીશ સોસાયટીમાં રહેતો મનોજ મેરામણ સુવા નામના શખ્સ ખાખીજાળીયા ગામના…
ભાયાવદર પોલીસે ચાર ટુ વ્હીલર ચોરીનો ભેદ ઉકેલયો: 90,000 નો મુદ્દામાલ કબજે Upleta,તા.13 ઉપલેટા તાલુકાના વડાળી ગામના ભાવેશ સેજા વાંદા નામનો શખ્સને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ ચાર ટુ-વ્હીલર નો ભાયાવદર પોલીસે ભેજ ઉકેલી રૂપિયા 90,000 નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવોને અટકાવવા અને હવાનું ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આપેલી સુચના ને પગલે ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે ગત તારીખ 26 27 અને 28 ના રોજ ખોડીયાર મંદિર ખાતે યોજાયેલા લોકમેળામાંથી ચાર બાઈક ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી હતી.જેને પગલે ભાયાવદર પોલીસ…
સાપર – વેરાવળ, ભાયાવદર જેતપુર અને કોલકીમાં જુગારની બાજી ઉંધી વાળતી પોલીસ Rajkot,તા.13 રાજકોટ જિલ્લામાં 5 સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં કોટડા સાંગાણી તાલુકાના સાપર વેરાવળ વિસ્તારમાં ત્રણ સ્થળોએ, ભાયાવદર, ઉપલેટા અને જેતપુર શહેરમાં જુગાર રમતી 5 મહિલા સહિત 27 શખ્સની ધરપકડ કરી જુગારના પટમાંથી મોબાઈલ અને રોકડ મળી રૂપિયા 1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની બધી ડામી દેવા નવનિયુક્ત એસપી વિજયસિંહ ગુર્જરે આપેલી સૂચનાને પગલે સ્થાનિક અને મહત્વની બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં સાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર બી રાણા સહિત સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ…
Rajkot,તા.13 રાજકોટ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકોની જુદી જુદી કોર્ટમાં આજે રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય મેગા લોક-અદાલતમાં કુલ 37,000 સમાધાન યોગ્ય કેસોમાંથી બપોર સુધીમાં 27% જેટલા કેસોમાં સમાધાન સાધવામાં સફળતા મળી હોવાનું અને સાંજ સુધીમાં 60 ટકા કેટલા કેસોમાં સમાધાન સાધવામાં સફળતા મળશે એમ મનાય છે. અકસ્માત વળતરના કેસોમાં બપોર સુધીમાં જ અનેક કેસોમાં સમાધાન સધાતા કરોડો રૂપિયાના ચેક અરજદારોને અર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં જામનગર રોડ ઉપર ઘંટેશ્વર નજીક આવેલા…
Rajkot,તા.13 રાજકોટ શહેરમાં જીવલેણ વાહન અકસ્માતો ના બનાવો નિરંતર નોંધાઈ રહ્યા છે અને મહામુલી માનવ જિંદગીઓ અકસ્માતના ખપરમાં મોમાઈ રહી છે કોઠારીયા નગર ગોકુલ નગરમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા એસટીના કંડકટર નું સ્કૂટર અને બાઇકની ટક્કર બાદ ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યાનો બનાવ પોલીસ તપતરે નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગાયત્રી નગર મેઇન રોડ પર સ્કૂટર લઈને જઈ રહેલા કોઠારીયા રોડ ગોકુલ નગરમાં રહેતા નિવૃત્ત એસટી કંડકટર માણેકલાલભાઈ મોહનલાલ ભડીયાદરા ૭૭ નું સ્કૂટર ગાયત્રી મેઇન રોડ પર સામેથી આવતી બાઈક સાથે ધડાકાભેર અથડાય પડી હતી, જમીન ઉપર ભટકાયેલા માણેકલાલ ઘટના સ્થળે બેભાન થઈ ગયા હતા…
શરાબી પતિ માર્ કૂટ કરતો હોવાની ફરિયાદને લઈને પોલીસે તપાસ હાથ ધરી: પરિવારજનોનો હત્યાના આક્ષેપ Rajkot,તા.13 પ્રેમ લગ્નનો કરુણ અંજામ…. જેવા એક બનાવમાં હજુ છ મહિના પહેલા જ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમી ના જીવનભરના સાથ ના વચન પર વિશ્વાસ કરી પ્રેમ લગ્ન કરનાર નવોઢાએ ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધા ના બનાવમાં યુવતીના પિતાએ પોતાની દીકરીએ આપઘાત નહીં પરંતુ સાસરિયાઓએ ગળે ફાંસો દઈ મોતને ઘાટ ઉતારી દીધાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર મફતિયાપરા નજીક ઇન્દિરા નગરમાં રહેતી વૈશાલીબેન જયદીપભાઇ રાઠોડ ૨૦, એ ગઈકાલે તા,૧૨ના રોજ રાત્રે ૯વાગે પોતાના ઘરમાં જ પંખામાં…
ઉપરના રૂમમાં પૌત્રી કપડાં સુકવવા માટે જતા દાદાને લટકતી હાલતમાં જોઇ જતા પરિવાર સ્તબ્ધ Rajkot,તા.13 શહેરના મવડી પ્લોટ શેરી નંબર ચારમાં રહેતા વૃદ્ધે પેટની બીમારીથી કંટાળી જઈ ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. વધુ વિગત મળતી વિગતો મુજબ, મવડી પ્લોટ શેરી નંબર 4 માં રહેતા સંજુબા વિસુભા ગોહિલ (ઉ.વ 63) નામના વૃદ્ધે ગઈકાલ સમી સાંજના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગેની જાણ કરાતા 108 ના ઇએમટીએ અહીં આવી જોઈ તપાસી વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. બનાવને લઇ માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ હર્ષદભાઈ પરમાર તથા સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે…