Author: Vikram Raval

Mumbai ,તા.૨૯ કૃતિ સેનન તાજેતરમાં તેની એક જાહેરાત માટે સમાચારમાં છે. જ્વેલરી બ્રાન્ડની રક્ષા બંધનની જાહેરાતમાં બ્રેલેટ પહેરવા બદલ તેણીને ટ્રોલ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. આ મુદ્દો એટલો ગરમાયો કે રાજકીય પક્ષોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ. અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે પણ રક્ષાબંધનની જાહેરાતમાં ખુલ્લા કપડાં પહેરવા બદલ કૃતિ સેનન પર નિશાન સાધ્યું હતું. આ વિવાદ બાદ કંપનીએ જાહેરાત દૂર કરી દીધી હતી અને હવે આ વિવાદ સેલિના જેટલી સુધી પહોંચી ગયો છે. સેલિના જેટલીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રક્ષાબંધનની ઉજવણી કરતો એક વીડિયો શેર કર્યો હતો, જેની હવે ટીકા થઈ રહી છે. સેલિના જેટલી…

Read More

New Delhi,તા.૨૯ દુલીપ ટ્રોફીનો પહેલો સેમિફાઇનલ પૂર્વ ઝોન અને ઉત્તર પૂર્વ ઝોન વચ્ચે રમાયો હતો. આ મેચમાં, ઇશાન કિશનના નેતૃત્વ હેઠળ પૂર્વ ઝોને ઉત્તર પૂર્વ ઝોનને એક ઇનિંગ્સ અને ૨૧૦ રનથી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. આ મેચમાં, પૂર્વ ઝોનના ઉપ-કપ્તાન વૈભવ સૂર્યવંશીએ બેટથી સારું પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ તેણે બે વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મેચ પછી, વૈભવે તેની બોલિંગ વિશે ચર્ચા કરી અને તેની બે મહત્વપૂર્ણ વિકેટ પાછળની રણનીતિ સમજાવી. બીસીસીઆઇએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ પર વૈભવ સૂર્યવંશીનો એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં, વૈભવે સમજાવ્યું કે મેચમાં એક સમયે, વિરોધી ટીમ વિકેટ ગુમાવી રહી…

Read More

Kolkata,તા.૨૯ પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા પહેલા, વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) દ્વારા આપવામાં આવેલા કેટલાક સૂચનોએ વિવાદ ઉભો કર્યો છે.વિહિપની પશ્ચિમ બંગાળ શાખાએ દુર્ગા પૂજા ઉજવણીના પરંપરાગત ધાર્મિક સ્વભાવને જાળવવા પર ભાર મૂક્યો છે. સંગઠનનું કહેવું છે કે પંડાલોમાં થીમ હોઈ શકે છે, પરંતુ થીમને અનુરૂપ દેવી દુર્ગાની મૂર્તિમાં ફેરફાર કરવો અયોગ્ય છે. વિહિપના પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રચારક, રક્તિમ દાસે જણાવ્યું હતું કે દેવી દુર્ગાનું ચિત્રણ શાસ્ત્રો અને પરંપરાઓ અનુસાર થવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે પંડાલની સજાવટ માટે અલગ અલગ થીમ અપનાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ મૂર્તિના દેખાવમાં મનસ્વી ફેરફારો ન કરવા જોઈએ. વિહિપ સાથે સંકળાયેલા સ્વામી નિર્ગુણાનંદ બ્રહ્મચારીએ કહ્યું…

Read More

Rajkot.તા. ૨૯ રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પી.જી.વી.સી.એલ.) તથા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો)ના  વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ આજે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં થઈ રહ્યું છે. જે પૈકી મંત્રીશ્રીએ માધાપર અને બેડીનાકા પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝનનું રીબીન કટ કરીને ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે મંત્રીશ્રીનું કુમકુમ તિલકથી પરંપરાગત સ્વાગત કરાયું હતું. મંત્રીશ્રીએ કચેરીઓની મુલાકાત લઈ, નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપી હતી. તેમજ પર્યાવરણ જતન અર્થે વૃક્ષારોપણ કર્યું હતું. આ અવસરે કચેરીઓને રંગોળી અને ફૂલોથી સુશોભિત કરી હતી. આ તકે ધારાસભ્યો શ્રી ઉદયભાઈ કાનગડ અને શ્રી ડો. દર્શિતાબેન શાહ, પી.જી.વી.સી.એલ. એમ.ડી. શ્રી એમ. ડી. ચુડાસમા સહિત અધિકારીઓ…

Read More

New Delhi,તા.29 અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ શાખા અને AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2026ના સ્ટ્રેટેજિક પાર્ટનર ‘અદાણી ફાઉન્ડેશન’ દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે દેશ-વિદેશના લગભગ ૨,૦૦૦ પ્રતિનિધિઓ માટે વેલકમ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક પ્રભાવ માટે એશિયાના સૌથી મોટા પ્લેટફોર્મ ‘AVPN’ની આ ૧૩મી ગ્લોબલ કોન્ફરન્સ પ્રથમ વખત ભારતમાં યોજાઈ રહી છે, જેમાં વિશ્વભરના પરોપકારીઓ, નીતિ-નિર્માતાઓ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ એક મંચ પર એકત્રિત થયા હતા. સભાને સંબોધતા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે, “જ્યારે વિશ્વ ભારત અને એશિયા તરફ વિકાસના નવા એન્જિન તરીકે જોઈ રહ્યું છે, ત્યારે વૈશ્વિક પરોપકારી નેતાઓનું સ્વાગત કરવું એ ગૌરવની વાત છે. અદાણી…

Read More

Ahmedabad,તા.29: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના એક અંગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ ​​કર્ણાટકમાં ઉત્પન્ન થતી નવીનીકરણીય ઊર્જાને મહારાષ્ટ્રના મુખ્ય લોડ કેન્દ્રોમાં ખસેડવા માટે આશરે રૂ. ૪,૭૦૦ કરોડનો અંદાજિત મૂડી ખર્ચ ધરાવતો એક મુખ્ય ટ્રાન્સમિશન પ્રકલ્પ આજે પ્રાપ્ત કર્યો છે. આ પ્રકલ્પ સાતારા, પુણે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજીઅન (MMR) માં વધતા પમ્પ્ડ સ્ટોરેજ ઇકોસિસ્ટમને પણ આધાર આપશે. આ સાથે  કંપનીની  ટ્રાન્સમિશન ઓર્ડર બુક હવે લગભગ રુ.૮૫,000 કરોડ થઇ છે સાતારા નજીક ૪૫૦૦ મેગાવોટની ક્ષમતા સુધીના પમ્પ્ડ સ્ટોરેજ પોટેન્શિયલ ભાગ A” નામનો પશ્ચિમ ક્ષેત્રમાં નેટવર્ક વિસ્તરણ યોજના કહેવાતો ટેરિફ આધારિત આ…

Read More

New Delhi,તા.૨૯ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ભાજપ અને આરએસએસ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે સમાજમાં દરેક પગલે દલિતો ભેદભાવનો સામનો કરે છે. દેશમાં બે પ્રકારની વિચારધારાઓ છે. એક આંબેડકર સાહેબનું બંધારણ અને બીજું આરએસએસ અને ભાજપની વિચારધારા. ઉત્તરાખંડમાં મલ્લિકાર્જુન ખડગેની રેલી પછી રાહુલ ગાંધીએ શુદ્ધિકરણનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે આવા લોકો સામે એસસી/એસટી  એક્ટ હેઠળ એફઆઇઆર દાખલ થવી જોઈએ. રાહુલ ગાંધીએ ભાજપ પર અસ્પૃશ્યતાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત વિવિધતાનો દેશ છે, જેમાં હજારો જાતિઓ, અસંખ્ય ધર્મો, અસંખ્ય ભાષાઓ અને અસંખ્ય સંસ્કૃતિઓ છે. પરંતુ આઝાદીના ૮૦ વર્ષ પછી પણ દલિતો પર અત્યાચાર થઈ…

Read More

Rajkot,તા.૨૬ ફાકી અને તમાકુ ખાવાના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. તમે જે તમાકુ મોંમાં નાખો છો તે કેન્સરની ગેરેન્ટીવાળી ઝેરી તમાકુ હોઈ શકે છે. રાજકોટ ર્જીંય્ ટીમે લાતી પ્લોટમાંથી ડુપ્લીકેટ તમાકુ બનાવતી ગેરકાયદે ફેક્ટરી ઝડપી પાડી બે વેપારી ભાઈઓની ધરપકડ કરી છે. એસઓજી પીઆઇને બાતમી મળી હતી કે કુવાડવા રોડ, લાતી પ્લોટ શેરી નં.૧૧ માં ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન થાય છે. બાતમીના આધારે એએસઆઇ રાજેશભાઈ બાળા, સિદ્ધરાજસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદરકા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી હિરેન કાંતીલાલ સોનેજી અને રાજુ કાંતીલાલ સોનેજી બંને સગા ભાઈઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ગોડાઉનમાંથી ગોલ્ડ, બ્લેક,…

Read More

Rajkot,તા.૨૯ રાજકોટ શહેર પોલીસના ગુનાખોરી પર અંકુશ લાવવાના આદેશ બાદ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતો અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં બંધ આરોપીનું હથિયારોનું નેટવર્ક બહાર આવ્યું છે. આરોપી રીમાન્ડ દરમિયાન વધુ ગેરકાયદેસર હથિયારોનો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર,પીસીબી પોલીસને બાતમી મળી હતી કે શહેરમાં ગેરકાયદેસર દેશી હથિયારોનું વેચાણ થઇ રહ્યું છે. આ બાતમીના આધારે ૧૮ ઓગસ્ટના રોજ પીસીબીની ટીમે ૨ દેશી બનાવટની પિસ્ટલ અને ૧૧ જીવતા કારતુસ સાથે બે ઇસમ યાકિબ મામટી અને અરબાઝ કાજીને ઝડપી પાડ્યા હતા. આ ગુનાની તપાસ પીએસઆઇ આર.કે.જાડેજા કરતા હતા. પકડાયેલા યાકિબ મામટી અને અરબાઝની પૂછપરછમાં…

Read More

Patna,તા.૨૯ બિહારના બે શક્તિશાળી કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે અનામતને લઈને વિવાદ વધુ વકર્યો છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મોદી કેબિનેટમાં તેમના સાથી જીતન રામ માંઝીના રાજીનામાની માંગણી કરી છે. તેમણે માંગ કરી છે કે માંઝીના પુત્ર, બિહાર સરકારમાં મંત્રી સંતોષ કુમાર સુમન પણ રાજીનામું આપે. ચિરાગ પાસવાન દ્વારા જીતન રામ માંઝી અને તેમના પુત્ર સંતોષ કુમાર સુમનના રાજીનામાની માંગણીએ રાજકીય તોફાનને વધુ વેગ આપ્યો છે. ચિરાગ પાસવાને કહ્યું છે કે જો જીતન રામ માંઝી ક્રીમી લેયરનો ખ્યાલ રજૂ કરવા માંગે છે, તો જીતન રામ માંઝીએ પહેલા રાજીનામું આપવું જોઈએ. તેમના પુત્ર સંતોષ સુમનએ પણ બિહાર સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપવું…

Read More