Author: Vikram Raval

તા.12-11-2025 બુધવાર મેષ આજે કામ વગરની તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે. યાદ રાખો બૂરાઈનો વહેલો મોડો અંત થાય જ છે. તમારા માતા પિતા આજે તમારી ફિજૂલખર્ચી જોઈ ચિંતિત થયી શકે છે અને તમને તેમના ગુસ્સા નો ભોગ બનવો પડી શકે છે. તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા, નહીંતર તમારૂં બજૅટ વેરવિખેર થઈ જશે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. આ રાશિ ના લોકોએ આજે મફત સમય માં આધ્યાત્મિક પુસ્તકો નો…

Read More

Mumbai,તા.11 દિલ્હીમાં આતંકી ષડયંત્રની ગંભીર આશંકા વચ્ચે એક ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. 10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં શરૂઆતમાં 8 લોકોના મોત થયા હતા અને જેનો મૃત્યુઆંક આજે વધીને 13 પર પહોંચી ગયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. હવે આ દુ:ખદ ઘટના પર સિનેમા જગતના અનેક સ્ટાર્સે દુ:ખ વ્યક્ત કર્યું છે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકો અને પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુને દિલ્હી બ્લાસ્ટની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પોતાના X એકાઉન્ટ પર એક્ટરે…

Read More

Bihar તા.11 બિહાર વિધાનસભામાં આજે બીજા અને અંતિમ તબકકા માટે મતદાન યોજાય રહ્યું છે. 122 બેઠકો માટે 9 પ્રધાનો સહીત 1302 ઉમેદવારોના ભાવી ઘડાશે. પ્રથમ તબકકાની જેમ આજના બીજા તબકકામાં પણ રેકોર્ડબ્રેક વોટીંગ થવાના સંકેતો હોય તેમ બપોર સુધીમાં જ સરેરાશ મતદાનનો આંકડો 50 ટકાને પાર થઈ ગયો હતો. બિહરામાં બીજા તબકકાનાં મતદાનમાં ગયાજી, ઔરંગાબાદ, નવાદા, ભાગલપુર, સહીતનાં અનેક સંવેદનશીલ ક્ષેત્રોની બેઠકો પણ સામેલ છે. 122 બેઠકો પરથી ચૂંટણીમાં 1302 ઉમેદવારો 12 નો જંગ છે તેમાં 1165 પુરૂષ, 136 મહિલા અને એક ટ્રાન્સજેન્ડર ઉમેદવાર સામેલ છે. 3.7 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તેમાં 1.95 કરોડ પુરૂષ અને 1.74 કરોડ  મતદારો…

Read More

Gondal તા.11 દેશ વિદેશમાં પ્રખ્યાત ગોંડલનાં ગોંડલીયા મરચાની સિઝન શરૂ થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌ પ્રથમ 3000 ભારીની આવક સાથે મરચાની આવકનાં શ્રીગણેશ થયા છે. ગત સવારે યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી, આસિસ્ટન સેક્રેટરી હિતેશભાઈ સાવલીયાની ઉપસ્થિતિમાં મરચાની હરાજી શરૂ કરવામાં આવી હતી.હરરાજીમાં મુહૂર્તમાં 1893 મરચાની 3 ભારી ના 20 કિલોના ભાવ રૂ।,001 સુધીના ભાવ બોલાયો હતો. ભુણાવા ગામના વિપુલભાઈ વોરા નામના ખેડૂતને મુહૂર્તનો ભાવ મળ્યો હતો. જયારે  યાર્ડ માં બીલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપારેલીયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો હતો.યાર્ડમાં મરચાની હરરાજીમાં સારા માલના સરેરાશ ભાવ 3000 થી લઈ 3500 સુધીના ભાવ બોલાયા હતા.આ વખતે કમોસમી વરસાદના કારણે…

Read More

Mumbai,તા.11 સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત શાહરૂખ ખાનની આગામી ફિલ્મ `કિંગ’ ભારતની સૌથી મોંઘી એક્શન ફિલ્મ બની ગઈ છે, જેનું પ્રોડક્શન બજેટ રૂ।.350 કરોડ છે. આ હાઇ એક્શન થ્રિલરમાં છ મોટા પાયે એક્શન સિક્વન્સ દર્શાવવામાં આવશે, જે આનંદ અને તેની ટીમ દ્વારા ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યાં છે. તેમાંથી, ત્રણ આંતરરાષ્ટ્રીય સ્થળોએ ફિલ્માંકિત કરવામાં આવશે, જ્યારે બાકીનાં ત્રણ માટે સેટ તૈયાર કરવામાં આવશે. દરેક સિક્વન્સ ભારતીય એક્શન સિનેમાના ધોરણને ઉન્નત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. સિનેમેટિક સ્પેક્ટેકલ સાથે અત્યાધુનિક કોરિયોગ્રાફીનું મિશ્રણ પણ હશે.રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને માર્ફ્લિક્સ પિક્ચર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ 2026 માં રિલીઝ થવાની છે, અને આ ફિલ્મ એક નવો…

Read More

Rajkot, તા.11 પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કટારીયા ચોકડીએ આવાસ ક્વાર્ટરમાં આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, કટારીયા ચોકડી નજીક સરસ્વતી પાર્ટી પ્લોટ પાસે આવાસ ક્વાર્ટરમાં રહેતા 35 વર્ષીય યુવાને ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતો ત્યારે ફીનાઇલ પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. યુવકે જણાવ્યું કે, તે કડિયાકામ કરે છે. વર્ષ 2013માં તેના લગ્ન બામણબોરની યુવતી સાથે થયા હતા. તેને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. જે હાલ તેના સાથે રહે છે. પત્નીને અફેર હોય, એક વર્ષ પહેલા નોટરી લખાણ કરી છૂટાછેડા આપી દીધા હતા. પત્ની…

Read More

Rajkot, તા.11 ભગવતીપરાની સુખસાગર સોસાયટીમાં પરિણિતા જ્યોતિ વાઘેલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પહેલા પરિવારે બેભાન હાલતમાં મોતનું કહ્યું હતું. પણ બાદમાં પોલીસ તપાસમાં આત્મહત્યાનો ખુલાસો થયો હતો. આત્મહત્યા પાછળ ઘરકંકાસ કારણભૂત હોવાનું અનુમાન છે, જોકે પોલીસે તપાસ યથાવત રાખી છે. મળતી માહિતી મુજબ, જ્યોતિબેન વિશાલભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 35, રહે. ભગવતીપરા સુખસાગર શેરી નંબર 2) આજે સવારે 6:00 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે, જ્યોતિના લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા. તેને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. પતિ સફાઈ કામ…

Read More

Rajkot, 11 પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશન અમલી બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, પીએમ જનમનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચનું રાજ્ય બન્યું છે. ભારત સરકાર દ્વારા પીએમ જનમનના અમલીકરણ સંદર્ભે દેશના જુદા જુદા રાજ્યોની પ્રગતિને ધ્યાને લઇને જે રેંકિંગ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. ભારત સરકાર દ્વારા તારીખ 17 ઓક્ટોબર, 2025ના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત નેશનલ કોન્ક્લેવમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી…

Read More

Rajkot,તા.11 ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા  કરવામાં આવી હતી. પરીણામે આગામી 14મી નવેમ્બરથી એક સાથે આ બે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક સાથે ચાર જિલ્લાના યતાયાતની આ સુવિધા સૌરાષ્ટ્રના વિકાસના અનેક નવા દ્વાર ખોલશે. અને લાખો મુસાફરોને મોટી રાહત મળશે. રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની મંજૂર થયેલી બે ટ્રેન પૈકી બીજી ટ્રેન ડેઇલી ચાલશે જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે.…

Read More

New Delhi,તા.11 પાટનગર દિલ્હીના મધ્યમાં લાલ કિલ્લા મેટ્રો રેલવે સ્ટેશન પાસે ગઈકાલે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ તથા લોકોના મોતમાં ત્રાસવાદી ફીદાયીન હુમલો જ હોવાનું નિશ્ચિત થતા હવે તપાસનો ધમધમાટ મચી ગયો છે અને સમગ્ર તપાસનું નેતૃત્વ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને સોપાયુ છે. હવે સમગ્ર કેસ અનલોફુલ એકટીવીટી પ્રીવેન્શન એકટ- યુએપીએ હેઠળ ચાલશે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહના નિવાસે આજે સવારે ઈન્ટેલીજન્સ બ્યુરો દિલ્હી પોલીસ એનઆઈએ તથા એનએલજીની એક ઉચ્ચ કક્ષાની બેઠક મળી હતી અને લગભગ દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં આ તમામ એજન્સીઓના વડા ઉપસ્થિત હતા તથા ગૃહ સચીવ પણ સામેલ થયા હતા. શ્રી શાહ સમક્ષ એજન્સીઓએ રીપોટીંગ કર્યા બાદ તમામ…

Read More