Author: Vikram Raval

New Delhi, તા.18 UGC-NEET પરીક્ષા સાથે સબંધિત 40થી વધુ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી દીધી છે. આજે આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરીવાર પરીક્ષાનું આયોજન કરાવવા પર એક શરત પણ રાખી છે. કોર્ટનું કહેવું છે કે, ‘ઠોસ આધાર’ પર એ સાબિત થવું જરૂરી છે કે, મોટા સ્તર પર પરીક્ષા પ્રભાવિત થઈ છે. CJI ચંદ્રચૂડે કહ્યું કે, માત્ર એટલા માટે કે, 23 લાખમાંથી માત્ર 1 લાખને જ પ્રવેશ મળશે એ આધાર પર અમે ફરીવાર પરીક્ષાનું આયોજન કરાવવાનો આદેશ ન આપી શકીએ. ફરીવાર પરીક્ષા એ ઠોસ આધાર પર થવી જોઈએ કે, આખી પરીક્ષા જ પ્રભાવિત થઈ છે. અરજદાર તરફથી હાજર…

Read More

New Delhi, તા.18 જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું અને તેમની સાથે વિશ્વાસઘાત થયું હોવાનું પણ જણાવ્યું હતું. તેમના નિવેદન બાદ શંકરાચાર્યને ચોતરફથી ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે BJP સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પણ આ મુદ્દે સામે આવીને વિરોધ કરી રહી છે. કંગનાએ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું સમર્થન કર્યું છે. શંકરાચાર્યની નિંદા કરતા રણૌતે કહ્યું કે, “સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શિંદેને દેશદ્રોહી અને વિશ્વાસઘાતી કહીને દરેકની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રાજકારણ માટે ગઠબંધન, જોડાણ અને પાર્ટીનું વિભાજન થવું ખૂબ જ સામાન્ય અને બંધારણીય છે. કોંગ્રેસ પાર્ટી…

Read More

New Delhi, તા.18 દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. જેમાં યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની શુક્રવારે એક બેઠક યોજાઈ હતી. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવો નિર્ણય એ છે કે હવે વિદ્યાર્થીઓ ડીયુમાં એક સાથે બે ડિગ્રી મેળવી શકશે. ડીયુમાં યુજી લેવલ પર રશિયન પ્રોગ્રામનો સમાવેશ 12 જુલાઈએ કુલપતિ પ્રો. યોગેશ સિંહની અધ્યક્ષતામાં એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં યુજીસીએફ 2022 ના આધારે આર્ટસ ફેકલ્ટીના સ્લેવોનિક અને ફિન્નો-યુગ્રિયન સ્ટડીઝ વિભાગ હેઠળ બીએ (ઓનર્સ) માં રશિયન ભાષાના અભ્યાસક્રમને પણ મંજૂરી આપવામાં આવી છે. યુજી સ્તરે ડીયુમાં પ્રથમ વખત રશિયન પ્રોગ્રામનો સમાવેશ…

Read More

Uttar Pradesh, તા.18 ઉત્તર પ્રદેશની 10 વિધાનસભા બેઠકો પર થનારી પેટાચૂંટણીમાં સપા અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને પાર્ટીઓ વચ્ચે આ અંગે વાતચીત પણ થઈ ગઈ છે. આ સંસદ સત્ર દરમિયાન બંને પાર્ટીઓના પ્રમુખ નેતા તેના પર અંતિમ મહોર પણમ લગાવી દેશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કોંગ્રેસ સપા સાથે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ ગઠબંધન કરી શકે છે. આ ગઠબંધન હેઠળ સપા માટે બંને રાજ્યોમાં કેટલીક બેઠકો છોડી દેવામાં આવશે. આટલું જ નહીં સપા અને કોંગ્રેસ વચ્ચે યુપી વિધાનસભા પેટા-ચૂંટણી માટે પણ વાતચીત શરૂ થઈ ગઈ છે. જોકે, પેટા-ચૂંટણીમાં કોંગ્રેસ અને સપા…

Read More

Maharashtra , તા.18 મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારની ઘર વાપસી નક્કી છે. જો કે શરદ પવારે સ્પષ્ટતા કરી દીધી છે કે અજિત પવારની પરિવારમાં વાપસી થઈ શકે છે પરંતુ શું પાર્ટીમાં વાપસી થશે કે નહીં તે માટે કેટલીક શરત છે. શરદ પવારે કહ્યું છે કે અજિત  પવારને ઘરમાં તો સ્થાન છે, પરંતુ પક્ષમાં તેની વાપસી થશે કે નહીં તે પક્ષના નેતાઓ સાથે વાતચીત કર્યા પછી નક્કી થશે. કારણ કે, એ જ નેતાઓ સંકટમાં મારી સાથે રહ્યા હતા. મહારાષ્ટ્રના પાવર કોરિડોરમાં અજિત પવારની ઘર વાપસીની ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ એ છે કે ગત દિવસોમાં પવાર પરિવારમાં મુલાકાતોનો સિલસિલો વધી ગયો છે. પહેલા…

Read More

Mumbai , તા.18 ક્રિકેટની દુનિયાની બે દિગ્ગજ ટીમ ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આવતીકાલે T20 એશિયા કપ 2024નો મેચ શ્રીલંકાના દામ્બુલા ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 6:30 કલાકે શરુ થશે. ભારતે કુલ 17 T20 મેચ પાકિસ્તાન સામે રમી છે જેમાં જીત અને હારનો રેકોર્ડ 10-5 રહ્યો છે. અગાઉ પાકિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને 19 રનથી હરાવીને હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે આ વખતે ભારતની તુલનામાં પાકિસ્તાને વધુ T20I ક્રિકેટ મેચ રમી છે. જેમાં પાકિસ્તાને 19માંથી 7 મેચ જીતી છે. અને 12 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એશિયન ગેમ્સ પહેલા તેમણે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની…

Read More

Mumbai , તા.18 ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરને સુકાન સોંપવામાં આવી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024માં ચેમ્પિયન બનેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના તેઓ મેન્ટર હતા. જો કે ભારતીય ટીમના હેડ કોચ તરીકે નિમણૂક થતાં તેમણે આ જવાબદારીમાંથી વિદાય લીધી હતી. ટીમને અલવિદા કહેતા પહેલા ગૌતમ ગંભીરે તેના ચાહકોનો આભાર વ્યક્ત કરી સંદેશ આપ્યો હતો. જ્યારે તમે રડો છો, ત્યારે હું પણ રડું છું : ગંભીર  ગંભીરે કેકેઆર છોડતાં કહ્યું, “જ્યારે તમે હસો છો, ત્યારે હું પણ હસું છું. જ્યારે તમે રડો છો, ત્યારે હું પણ રડું છું. જ્યારે તમારી જીત થાય છે, તો તે મારી મારી…

Read More

Mumbai , તા.18 દેશના પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલી, એમએસ ધોની અને શુભમન ગિલ અંગે નિવેદનો આપવા બદલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર કોહલી-ધોનીના ચાહકોએ પ્રતિક્રિયા આપતાં તેને ટ્રોલ પણ કર્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે મીમ બનાવી અમિત મિશ્રાને ટ્રોલ કર્યો હતો કે, “તુ શું જોઈ રહ્યો છે, તને પણ ક્યાં કશું આવડે છે. જ્યારે અન્ય એક યુઝરે પોસ્ટમાં લખ્યું હતું કે, “વિરાટ-ધોની કો ટીમ સિલેક્શન નહીં આતા, શુભમન ગિલ કો કુછ નહીં આતા. રાહુલ કો કુછ નહીં આતા, આઈસીસી કો કુછ નહીં આતા, તુ ક્યા દેખતા હે, તેરેકો કુછ નહીં આતા.”…

Read More

Mumbai , તા.18 ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ બન્યા બાદ ગૌતમ ગંભીર ખેલાડીઓને આરામ આપવાના પક્ષમાં નથી. બીસીસીઆઈના નવા નિયમથી ટીમનો કોચ ગંભીર નાખુશ જણાઈ રહ્યો છે. ગંભીર નથી ઈચ્છતો કે કોઈ ખેલાડી માત્ર એક જ ફોર્મેટમાં રમે. ગંભીરનું માનવું છે કે જો તમે દેશ માટે રમી રહ્યા છો તો તમારે ત્રણેય ફોર્મેટમાં રમવા માટે તૈયાર રહેવું જોઈએ. તે કોઈ ચોક્કસ સિરીઝમાં આરામ આપવા કે વર્કલોડ મેનેજમેન્ટના પક્ષમાં નથી. બોર્ડ દ્વારા બનાવાયો નવો નિયમ બીસીસીઆઈએ ભારતીય ટીમના ત્રણ સીનીયર ખેલાડીઓને મોટી રાહત આપી છે. પરંતુ ગંભીર આ નિર્ણયના પક્ષમાં બિલકુલ નથી. બોર્ડના નવા નિયમ અનુસાર જે ખેલાડીઓ ભારત માટે નથી…

Read More

Mumbai , તા.18 ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝની અમુક મેચમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ સાથે મળીને ભારત માટે ઓપનિંગની જવાબદારી નિભાવી હતી. ઓપનિંગ કરતી વખતે અભિષેકે બીજી T20 મેચમાં સદી ફટકારી હતી. ઝિમ્બાબ્વે સામેની બે મેચમાં અભિષેકે ઓપનરની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ત્રણ મેચમાં તેણે નંબર 3 પર બેટિંગ કરી હતી. અભિષેકે આઈપીએલમાં પણ ઓપનિંગ કરી ચુક્યો છે. આ સ્થિતિમાં અભિષેક શ્રીલંકા સામેની T20 સીરીઝમાં ઓપનિંગ માટેનો દાવેદાર છે. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ જયસ્વાલ વનડે અને T20 બંને ફોર્મેટમાં ઓપનરની ભૂમિકા નિભાવી ચૂક્યો છે. ઝિમ્બાબ્વે સામેની છેલ્લી ત્રણ મેચોમાં જયસ્વાલે ગિલ સાથે ઓપનિંગ ભાગીદારી કરી હતી જે ઘણી સફળ…

Read More