Author: Vikram Raval

Vadodara,તા.૧૩ ભાજપની ગણતરી શિસ્તબદ્ધ પાર્ટી તરીકે થાય છે. બાહુબલી ફિલ્મના ‘મેરા વચન હી હૈ શાસન’ ડાયલોગની જેમ પાર્ટી હાઈકમાન્ડથી જે આદેશ છુટે છે, તેને નેતાઓ માને છે અને પાળે છે. પરંતુ લોકસભાની ચૂંટણી બાદથી પાર્ટીની અંદરની સ્થિતિ બદલાઈ છે. ભાજપમાં આંતરિક ખેંચતાણ, બળવાખોરીએ માથું ઉંચક્યું છે. પાર્ટીના મેન્ડેટના આદેશથી વિરુદ્ધ જઈને ચૂંટણી લડનાર જયેશ રાદડિયાનો કિસ્સો ઈફ્કોવાળી તરીકે ગુજરાતના રાજકારણમાં ચર્ચાતો કિસ્સો બન્યો છે. ભાજપે પોતાના આદેશ માટે મેન્ટેડ પ્રથા શરૂ કરી હતી, પરંતું હવે આ જ પ્રથા માથાનો દુખાવો બની છે. મેન્ટેડમાં ભાજપની આબરુ ધૂળધાણી થઈ રહી છે. ગુજરાતની અનેક સહકારી સંસ્થામાં હવે ઈફકોવાળી થઈ રહી છે. ગુજરાતમાં અનેક…

Read More

Surat,તા.૧૩ સુરતના ઉધનામાં રેલ્વે કોલોની નજીક ખુલ્લા મેદાનમાં ૫-૬ ફૂટ પાણી ભરેલા ખાડામાં ૮ વર્ષનું બાળક પડી જતાં મોત થયું છે. રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડતા સમયસર બચાવ ન થતાં તેનું અકાળ મોત નિપજ્યું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત જીલ્લાના ઉધનામાં રેલ્વે કોલોની નજીક પાણી ભરેલા ૫ થી ૬ ફૂટ ઊંડા ખાડામાં રમતા રમતા ૮ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ઇબાદુલ નામનો બાળક મિત્રો સાથે રમતો હતો, ત્યારે અચાનક બાળક રમતા-રમતા પાણી ભરેલા ખાડામાં પડ્યો હતો. લોકોએ તાત્કાલિક બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો…

Read More

Surat,તા.૧૩ સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રૂરલ સ્ટડીઝ વિષયમાં પીએચ.ડીની પરીક્ષા આપી હતી. જેમાં પ્રફુલ્લ પાનસેરિયાએ ૨૦૦માંથી ૧૨૮ ગુણ મેળવ્યા હતા અને પીએચ.ડી માટે ક્વોલિફાય થયા છે. કુલ ૭૪૬માંથી ૩૩૦ ઉમેદવારો પીએચ.ડીની પ્રવેશ પરીક્ષામાં ક્વોલિફાય થયા હતા.

Read More

Palanpur,તા.૧૩ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને અલગ વાવ-થરાદ જિલ્લો બનાવાની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી વિભાજનને લઈને વિરોધ ચાલી રહ્યો છે. દિયોદર અને ધાનેરામાં લોકો બનાસકાંઠાના વિભાજનનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે દિયોદરમાં સ્થાનિકોએ ધરણાં કાર્યક્રમ યોજીને બનાસકાંઠાના વિભાજનનો વિરોધ કર્યો અને ઓગડ જિલ્લાની માગણી કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, એક વ્યક્તિના અહમને લીધે આ નિર્ણય લેવાયો છે. તમામ લોકોનો અભિપ્રાય લીધો હોત તો વિરોધ ન થયો હોત. સાંસદ ગેનીબેન ઠાકોરે ધરણા સ્થળની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ઓગડ જિલ્લા સંકલન સમિતિએ…

Read More

Vadodara,તા.૧૩ વડોદરાના ડભોઈ નગરના ભૂતપૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા સુભાષ ભોજવાણી અને ભરત ભોજવાણીએ નકલી પેઢીનું નામ બનાવી, ડભોઈ તલાટીની સહી કરી અને તેને અસલી પેઢીના નામ તરીકે સરકારી કચેરીમાં રજૂ કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. મળતા અહેવાલ અનુસાર ડભોઇ મામલતદાર પી.આર. સંગાડાની ફરિયાદ મુજબ, ઓફિસ કેસના હુકમ અને દસ્તાવેજોને ધ્યાનમાં લેતા, ડભોઇના સીતાપુર ગામની સર્વે નંબર ૫૫૭ વાળી ખેતીની જમીન ૭ જૂન, ૨૦૧૬ ના રોજ ગ્રામ પરિવર્તન નોંધ નંબર ૩૭૨૩ દ્વારા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ દ્વારા વેચવામાં આવી છે. ઇસ્માઇલ ચિતુભાઇ મલેક દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે વેચનાર જન્મથી ખેડૂત નહોતો. આ કેસમાં જમીન વેચનાર જન્મજાત…

Read More

Junagadh તા.૧૩ જૂનાગઢમાં કેશોદના ચર ગામે અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થ વડે ઘરમાં ઘૂસી આધેડની હત્યા કરતા ચકચાર મચી છે. પુત્રવધૂને રૂમમાં બંધ કરી હત્યારાઓએ હત્યાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાંં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં ગઈકાલ રાત્રે કેશોદ પંથકમાં ખૂની ખેલ ખેલાયો હતો. ચર ગાીમની વાડી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી પુત્રવધૂને રૂમમાં બંધ કરી દીધી હતી. બાદમાં અજાણ્યા કારણોસર આધેડ ખેડૂત ખીમાનંદ બોરખતરિયાની બોથડ પદાર્થ વડે નિર્મમ હત્યા કરી નાખી હતી. બાદમાં હત્યાની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોહીલુહાણ ઘર જોઈ લોકો ડરી ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક નજીકની પોલીસનો સંપર્ક સાધ્યો…

Read More

Gandhinagar,તા.૧૩ કૃષ્ણ ભૂમિ બેટદ્વારકા ડિમોલેશનના દાદાનું બલ્ડોઝાર ફરી વળ્યું છે. સમગ્ર બેટદ્વારકામાં સરકારી જમીનને ખુલ્લી પાડવામાં આવી છે. ૩૬,૯૦૦ ચોરસ મીટર જમીન, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૧૯,૩૫,૭૨,૦૦૦ એટલી ગણવામાં આવી રહી છે. જેમાં ૧૪૪ રહેણાક મકાનો અને એક અન્ય ધાર્મિક સ્થાનનું ડીમોલેશન કરવામાં આવ્યું છે. ત્યારે બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવાનો મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી મળી છે. દ્વારકામાં સતત બીજા દિવસે પણ ડિમોલિશન યથાવત છે. બાલાપર વિસ્તારમાં કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે ડિમોલિશનને લઈને સરકાર વિરૂદ્ધ એક્સ પર વિવાદીત પોસ્ટ કરાઈ છે. ગૃહ રાજ્યમંત્રીને ટેગ કરીને પોસ્ટ કરવામાં આવી છે. ત્યારે આ વિવાદીત પોસ્ટને…

Read More

સીએમ નીતીશ દહીં અને ચૂડા ખાવા માટે તેમના નાયબના ઘરે પહોંચ્યા Patna,તા.૧૩ મકરસંક્રાંતિના અવસર પર, બિહારમાં ચુરા-દહીના તહેવારને લઈને ઘણો ઉત્સાહ છે. નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ ૧૩ જાન્યુઆરીના રોજ તેમના સત્તાવાર નિવાસસ્થાને ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, મંત્રી વિજય ચૌધરી, વિધાનસભા અધ્યક્ષ નંદ કિશોર યાદવ, ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલ સહિત ઘણા દ્ગડ્ઢછ નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. વિજય સિંહાએ પોતે મહેમાનોને ચુરા-દહી પીરસ્યા. ખરેખર, બિહારમાં મકરસંક્રાંતિના તહેવાર પર ચૂડા-દહીનો તહેવાર ખાસ મહત્વ ધરાવે છે. રાજકીય વર્તુળોમાં તેને રાજકીય ખીચડી પણ કહેવામાં આવે છે. ચૂડા-દહીના નામે નેતાઓ પણ ખીચડી રાંધે છે. આ…

Read More

Patna,તા.૧૩ બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને પ્રશાંત કિશોરના ઉપવાસ સમાપ્ત કરવાની પહેલ કરી છે. પ્રશાંત કિશોરને વિદ્યાર્થીઓનું એક પ્રતિનિધિમંડળ મોકલવાનું કહેવામાં આવ્યું છે. આપણે સાથે મળીને ઉકેલ શોધવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરીશું. આ માહિતી પ્રશાંત કિશોરની ટીમ દ્વારા આપવામાં આવી છે. અગાઉ, સમાચાર આવ્યા હતા કે બિહાર પબ્લિક સર્વિસ કમિશનએ પ્રશાંત કિશોર સહિત ઘણા લોકોને કાનૂની નોટિસ ફટકારી છે. ૧૩ ડિસેમ્બરે રાજ્યભરમાં યોજાયેલી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિવાદ અંગે કમિશન સામે પાયાવિહોણા આરોપો લગાવનારાઓને આ નોટિસ મોકલવામાં આવી હતી.બીએસપીસી પરીક્ષા નિયંત્રક રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, “આયોગે રાજકારણીઓ, કોચિંગ સેન્ટરો સાથે સંકળાયેલા કેટલાક લોકો સહિત અનેક વ્યક્તિઓને…

Read More

New Delhi,તા.૧૩ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કેજરીવાલ પર શકુર બસ્તી ઝૂંપડપટ્ટી વિશે “ખોટા અને ભ્રામક” નિવેદનો આપવાનો આરોપ મૂક્યો. લેફ્ટનન્ટ ગવર્નરે કેજરીવાલને આમ કરવાથી દૂર રહેવા કહ્યું, નહીંતર દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કાર્યવાહી માટે તૈયાર રહેવા કહ્યું. હકીકતમાં, અરવિંદ કેજરીવાલે શનિવારે ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં શકુર બસ્તી ઝૂંપડપટ્ટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર ગંભીર આરોપો લગાવ્યા અને દાવો કર્યો કે ભાજપ ઝૂંપડપટ્ટીવાસીઓના કલ્યાણને બદલે તેમની જમીન સંપાદન કરવા માંગે છે. “ભાજપ પહેલા તમારા મત માંગે છે અને પછી ચૂંટણી પછી તમારી જમીન લેવા…

Read More