Kolkata,તા,05
પ.બંગાળમાં સતા ગુમાવવાની સાથે મમતા બેનરજીએ તેના ગઢ જેવી ભવાનીપુર બેઠક ગુમાવી ને પણ ભાજપે અગાઉથી જ આ રાહ માટે વ્યુહ ગોઠવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે એક જાહેરસભામાં જ કહ્યું હતું કે દીદીને તેના ઘરમાં પણ હરાવવાનો છે અને 2021માં જે સુવેન્દુ અધિકારીએ મમતાને નંદીગ્રામમાં પરાજીત કર્યા.
તેઓએ ભવાનીપુરમાં પણ મમતાને 15000થી વધુ મતોએ હરાવ્યો. આ બેઠક પર મમતાને 58000 મતોની લીડ 2021માં મળી હતી. જે 15000ની ખાધમાં પલ્ટાઈ ગઈ છે. મમતાએ તેના જ ભદ્રલોકમાં હરાવી શકાય તે ભાગ્યે જ કોઈ એ કલ્પના કરી હશે. મમતા બેનરજી ભવાનીપુરના કાલીઘાટમાંજ રહે છે અને તેમની રાજકીય કારકિર્દી પણ અહીથી જ શરૂ થઈ છે.
ભવાનીપુર એ મીની ઈન્ડીયા છે અને પહેલા પોસ્ટલ બેલેટમાં સુવેન્દુ અધિકારીને સરસાઈ મળી પણ ઈવીએમ કાન્ટીંગમાં એક તબકકે મમતાની લીડ 19000 સુધી પહોંચી જે તેને અજેય ગણાવાઈ પણ તે ધીમે ધીમે ઘટીને 2900 થઈ પછી 18થી20માં રાઉન્ડમાં સુવેન્દુ અધિકારી 11000ની સરસાઈ ધરાવતા થયા પણ ભાજપે ચુંટણી પુર્વે જ ભવાનીપુરનો પુરો પોલીટીકસ મેપ બનાવી લીધો હતો.
બંગાળી હિન્દુ અને હિન્દી ભાષી વ્યાપારી સમુદાયને ટાર્ગેટ કર્યો અને બુથ લેવલ સુધી મુસ્લીમ મતો સામે હિન્દુ મતોનું ધ્રુવીકરણ કર્યુ અને મમતા બહાર નીકળી શકે નહી તે ચક્રવ્યુહ ગોઠવ્યા છે. સુવેન્દુના નામાંકન સમયે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી એ પણ રોડ-શો યોજયો. મમતા માનતા હતા કે ભવાનીપુરની પુત્રી તરીકે તેને મતદારો કદી પરાજીત થવા દેશે નહી.
મમતાએ ઈમોશનલ કાર્ડ ખેલ્યા કે ભાજપ વાળા મને અહી રેલી યોજવા દેતા નથી. તેઓએ પોતે સ્ટેજ છોડી જવાનું `નાટક’ પણ કર્યુ. સુવેન્દુ અધિકારીએ જીત બાદ દાવો કર્યો કે આ હાર મમતા બેનરજીના રાજકીય નિવૃતિ છે.
તેઓએ હિન્દુત્વની જીત કરી- હિન્દુ-શિખ-જૈન-બૌદ્ધ તમામના મત મળ્યા અને ડાબેરી સમર્થકોએ પણ અધિકારીને મત આપ્યા. મમતા ફરી મુસ્લીમ મતો પર આધારીત હતી. જેમાં પણ તેઓ કોન્સોલીડેટ કરી શકયા નહી.

