અમદાવાદમાં ૫૧ જેટલા બિલ્ડિંગમાં પરીક્ષાનું સ્થળ ફાળવવામાં આવ્યું છે ૧૮ હજાર જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે
Ahmedabad,તા.૨૦
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૩ જૂનથી ૩ જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં ૫૧ જેટલા બિલ્ડિંગમાં પરીક્ષાનું સ્થળ ફાળવવામાં આવ્યું છે. ૧૮ હજાર જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. જેમાં ધોરણ ૧૦ના ૧૦૪૪૫ અને ધો.૧૨માં ૭૭૨૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૨૬૮૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા બાદ લેવામાં આવતી પૂરક પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી ૨૩મી જૂનથી ૩ જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે અમદાવાદમાં ૫૧ બિલ્ડિગોમાં સ્થળ ફાળવવામાં આવ્યુ છે. જેમાં ધોરણ ૧૦ના ૧૦૪૪૫ અને ધો.૧૨ના ૭૭૨૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં ૨૬૮૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ૮૫૦૦ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે.
શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી રહેલી આ પરીક્ષામાં ધોરણ ૧૦ અને ખાસ કરીને ધો. ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બધા વિષયની પૂરક પરીક્ષા આપી શકશે.ઉલ્લેખનીય છે કે, બોર્ડ પરીક્ષાઓમાં એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ એક, બે કે તેથી વધુ વિષયોમાં નાપાસ થયા છે.નાપાસ વિદ્યાર્થીઓ માટે વર્ષ ન બગડે અને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષાનો પણ વિકલ્પ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાખવામાં આવ્યો છે.