New Delhi,તા.10
વાહન કંપનીઓના ખાતામાં અનુમાનિત 2500 કરોડ રૂપિયાનો સંચિત ક્ષતિપૂર્ણ ઉપકર (સેસ) 22 સપ્ટેમ્બરે નવા જીએસટી દરો લાગુ થવાની સાથે જ સમાપ્ત થઈ જશે. એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી હતી.
હાલ વાહનો પર 28 ટકા જીએસટી લાગે છે જે માલ અને સેવા કર (જીએસટી)નો સૌથી ઉંચો દર છે. તેના પર વાહનના પ્રકારના આધારે એક ટકાથી લઈને 22 ટકા સુધીનો ક્ષતિપૂર્તિ ઉપકર (સેસ) પણ લગાવવામાં આવે છે, જે હવે 22 સપ્ટેમ્બરથી નહીં લાગે.

