Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વડાપ્રધાન Narendra Modi એ લોન્ચ કર્યું વિક્રમ-૧ રોકેટ

    November 27, 2025

    Bihar માં પ્રચંડ જીત બાદ હવે બંગાળનો વારો! ભાજપનો નવો નારો જહાં કમ વહાં હમ

    November 27, 2025

    દિવ્યાંગો માટે વિશેષ શો કરે Samay Raina : સુપ્રીમ કોર્ટનો આદેશ

    November 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વડાપ્રધાન Narendra Modi એ લોન્ચ કર્યું વિક્રમ-૧ રોકેટ
    • Bihar માં પ્રચંડ જીત બાદ હવે બંગાળનો વારો! ભાજપનો નવો નારો જહાં કમ વહાં હમ
    • દિવ્યાંગો માટે વિશેષ શો કરે Samay Raina : સુપ્રીમ કોર્ટનો આદેશ
    • OTT પ્લેટફોર્મ ઉપર વાંધાજનક કન્ટેન્ટને લઈને સુનાવણી હાથ ધરાઈ
    • જીવાત્મા વિષયોનું સેવન કેવી રીતે કરે છે..?
    • વૃક્ષનું જતન પ્રકૃતિનું રક્ષણ, જીવનનો આધાર
    • ભારતીય કાયદાઓમાં વિરોધાભાસી જોગવાઈઓની જટિલતા-આંતરરાષ્ટ્રીય વિશ્લેષણ
    • Sheikh Hasina ને બાંગ્લાદેશની કોર્ટ તરફથી ફટકો, ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં ૨૧ વર્ષની જેલની સજા ફટકારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Chaitri Navratri..ચોથા નોરતે માતા કૂષ્માણ્ડાની ઉપાસના
    ધાર્મિક

    Chaitri Navratri..ચોથા નોરતે માતા કૂષ્માણ્ડાની ઉપાસના

    Vikram RavalBy Vikram RavalApril 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સૂરાસંપૂર્ણકલશં રૂધિરાપ્લુતમેવ ચ

    દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે..

    નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના ચોથા દિવસે જેની ઉપાસના કરવામાં આવે છે તે માતા કૂષ્માંડાના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં નવા જીવને જન્મ આપવા ગર્ભ ધારણ કરનારી સ્ત્રી કૂષ્માંડા સ્વરૂપ છે.

    ર્માં દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ કૂષ્માણ્ડા છે.પોતાની મંદ હલ્કા હાસ્યના દ્વારા અંડ એટલે કે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કૂષ્માણ્ડા દેવી કહેવામાં આવે છે.જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ચારે તરફ અંધકાર પરીવ્યાપ્ત હતો ત્યારે આ દેવીએ પોતાના ઇષત્ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી એટલે સૃષ્ટિના આદિ-સ્વરૂપા,આદિ-શક્તિ કહેવાય છે.તેમનો નિવાસ સૂર્યમંડળના અંદરના લોકમાં છે.સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ ફક્ત તેમનામાં જ છે.તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્ય સમાન દેદીપ્યમાન અને ભાસ્વર છે.અન્ય કોઇ દેવી-દેવતા તેમના તેજની તુલના કરી શકતાં નથી.બ્રહ્માંડની તમામ વસ્તુઓ અને પ્રાણીઓમાં અવસ્થિત તેજ તેમની જ છાયા છે.કૂષ્માંડાનો અર્થ થાય છે જેના ચરણોમાં સમગ્ર સંસાર રહેલો છે.ર્માં આદ્યશક્તિના આ સ્વરૂપમાંથી જ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું છે તેમની પૂજા કરવાથી દરેક પ્રકારના રોગ અને શોકનો નાશ થાય છે.કૂષ્માંડા એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે કુમ્હડા એટલે કે કોળાની બલી આપવી.

    ર્માં કૂષ્માણ્ડાને આઠ હાથ છે એટલે તે અષ્ટભૂજા દેવીના નામથી વિખ્યાત છે.તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડલ ધનુષ્ય-બાણ કમળનું પુષ્પ અમૃતપૂર્ણ કલશ ચક્ર તથા ગદા છે.આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓ આપનાર જપમાળા છે.તેમનું વાહન સિંહ છે.

    નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડા દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત હોય છે એટલે આ દિવસે અત્યંત પવિત્ર અને અચંચળ મનથી માતા કૂષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા-ઉપાસના કરવી જોઇએ.માતા કૂષ્માંડા દેવીની ઉપાસનાથી ભક્તના તમામ રોગ-શોક વિનષ્ટ થઇ જાય છે.તેમની ભક્તિ કરવાથી આયુષ્ય બળ યશ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે.માતા કૂષ્માંડા દેવી અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે.જો મનુષ્ય સાચા હ્રદયથી તેમની શરણાગતિ સ્વીકારે છે તેમને અત્યંત સુગમતાથી પરમપદની પ્રાપ્તિ થાય છે.

    શાસ્ત્રો-પુરાણોમાં જે વિધિ-વિધાનનું વર્ણન કરેલ છે તે અનુસાર ર્માં દુર્ગાની ઉપાસના અને ભક્તિ કરવાથી સાધકને તેમની કૃપાનો સુક્ષ્મ અનુભવ થવા લાગે છે.દુઃખરૂપ સંસાર તેના માટે સુખદ અને સુગમ બની જાય છે.માતાજીની ઉપાસના મનુષ્યને સહજભાવથી ભવસાગરથી પાર ઉતરવા માટે સૌથી સુગમ અને શ્રેયસ્કર માર્ગ છે.માતા કૂષ્માંડા દેવીની ઉપાસના મનુષ્યને આધિ-વ્યાધિ અને ઉપાધિથી મુક્ત કરી તેમને સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ લઇ જાય છે એટલે પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ ઇચ્છનારે તેમની ઉપાસનામાં હંમેશાં તત્પર રહેવું જોઇએ.આ દિવસનો રંગ નારંગી છે જે ભક્તોને ઉત્સાહ આપે છે.

    યા દેવી સર્વભૂતેષુ મા કુષ્માંડા રૂપેણ સંસ્થિતા,નમસ્તેસ્યૈ નમસ્તેસ્યૈ નમસ્તેસ્યૈ નમો નમઃ

    આલેખનઃ

    વિનોદભાઇ માછી નિરંકારી

    નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    જીવાત્મા વિષયોનું સેવન કેવી રીતે કરે છે..?

    November 27, 2025
    લેખ

    મન સહિત ઇન્દ્રિયોને પોતાની માનવાથી જીવ અનેક યોનિઓમાં જાય છે.

    November 26, 2025
    ધાર્મિક

    જીવ અને ઈશ્વર હૃદયમાં જ છે પણ વાસનાના આવરણના લીધે તેનું મિલન થતું નથી.

    November 25, 2025
    લેખ

    ગુરુ તેગ બહાદુર સિંહનું બલિદાન-ધાર્મિક અસહિષ્ણુતા સામે વૈશ્વિક માનવ અધિકાર સંઘર્ષ માટે એક ઐતિહાસિક પાયો

    November 25, 2025
    લેખ

    સંસાર સાથે સબંધ વિચ્છેદ કરવાના સુગમ ઉપાય

    November 24, 2025
    ધાર્મિક

    જો મોક્ષની ઇચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દેવા જોઇએ

    November 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વડાપ્રધાન Narendra Modi એ લોન્ચ કર્યું વિક્રમ-૧ રોકેટ

    November 27, 2025

    Bihar માં પ્રચંડ જીત બાદ હવે બંગાળનો વારો! ભાજપનો નવો નારો જહાં કમ વહાં હમ

    November 27, 2025

    દિવ્યાંગો માટે વિશેષ શો કરે Samay Raina : સુપ્રીમ કોર્ટનો આદેશ

    November 27, 2025

    OTT પ્લેટફોર્મ ઉપર વાંધાજનક કન્ટેન્ટને લઈને સુનાવણી હાથ ધરાઈ

    November 27, 2025

    જીવાત્મા વિષયોનું સેવન કેવી રીતે કરે છે..?

    November 27, 2025

    વૃક્ષનું જતન પ્રકૃતિનું રક્ષણ, જીવનનો આધાર

    November 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વડાપ્રધાન Narendra Modi એ લોન્ચ કર્યું વિક્રમ-૧ રોકેટ

    November 27, 2025

    Bihar માં પ્રચંડ જીત બાદ હવે બંગાળનો વારો! ભાજપનો નવો નારો જહાં કમ વહાં હમ

    November 27, 2025

    દિવ્યાંગો માટે વિશેષ શો કરે Samay Raina : સુપ્રીમ કોર્ટનો આદેશ

    November 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.