Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રત્યાર્પણ કરાયેલા દોષી Abu Salemની અકાળ મુક્તિ પર વિચારણા કરવામાં આવી રહી છે

    May 9, 2025

    Gujaratની તમામ આંગણવાડીઓમાં આગામી બે મહિનામાં સર્વે કરવા જાહેર હિસાબી સમિતિનું તંત્રને સૂચન

    May 9, 2025

    ૩૬ સ્થળોએ ઘૂસણખોરીના પ્રયાસમાં લગભગ ૩૦૦ થી૪૦૦ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, Colonel Sophia Qureshi

    May 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રત્યાર્પણ કરાયેલા દોષી Abu Salemની અકાળ મુક્તિ પર વિચારણા કરવામાં આવી રહી છે
    • Gujaratની તમામ આંગણવાડીઓમાં આગામી બે મહિનામાં સર્વે કરવા જાહેર હિસાબી સમિતિનું તંત્રને સૂચન
    • ૩૬ સ્થળોએ ઘૂસણખોરીના પ્રયાસમાં લગભગ ૩૦૦ થી૪૦૦ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, Colonel Sophia Qureshi
    • PAK સાંસદે PM શાહબાઝને કાયર કહ્યા, મોદી વિરુદ્ધ એક શબ્દય બોલ્યા નહીં
    • Amreli માં વરસાદની બેટિંગ યથાવત્, ખેડૂતો ચિંતિત
    • Indian Air Defence System S-400
    • ગુજરાતમાં 15 મે સુધી ડ્રોન-આતશબાજી પર પ્રતિબંધ, માઉન્ટ આબુમાં બ્લેક આઉટ માટે દિશા-નિર્દેશ જાહેર
    • ભારતની નારીશક્તિ વ્યોમિકા સિંહ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»અવતારવાણીમાં પ્રેમની પરિભાષા
    લેખ

    અવતારવાણીમાં પ્રેમની પરિભાષા

    Vikram RavalBy Vikram RavalMay 7, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રેમની ભાષા સર્વોત્તમ ભાષા છે.સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે. પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમ્ ભાવ દૂર થાય છે,દાસ ભાવનાનો જન્મ થાય છે,નમ્રતા જીવનનું અંગ બને છે.કર્તાની જાણકારી પછી જ સંતુષ્‍ટિનો ભાવ આવે છે.. 

    જેને સત્ય બ્રહ્મની પ્રાપ્‍તિ કરી એવા સંતોની સાથે દુર્જનો સહજ સ્વાભાવિક યુગોથી વૈર કરતા આવ્યા છે.સંસારના લોકોના કાર્યો આશ્ર્ચર્યજનક છે,કેમકે તે અવતારો,પીરોનો તેમના જીવનકાળ દરમ્યાન સન્માન કરતા નથી,પરંતુ તેમના દેહાંત બાદ તેમની પૂજા કરે છે.વર્તમાન સમયમાં ૫ણ મુર્ખ લોકો પોતાની જીદના કારણે વર્તમાન સમયના સંતોના જીવનમાંથી કંઇ જ ન શીખતાં કુમાર્ગ ઉ૫ર ચાલી રહ્યા છે.સંતો પાસેથી બ્રહ્માનુભૂતિનો લાભ ઉઠાવવાના બદલે તેમની સાથે વેર કરી રહ્યા છે.સંતો ક્યારેય દુર્જનોની સાથે વૈરભાવ રાખતા નથી,તે તો તેમને પોતાનું જ સ્વરૂ૫ માનીને પ્રેમપૂર્વક વ્યવહાર કરે છે.(૮)

    તમામ જીવ નર અને માદા જ્યારે એક જ જ્યોત્તિથી બનેલા છે અને એક જ તેમના નિર્માતા છે,શરીર ૫ણ જો બધાનાં એક સરખાં હોય તો ૫છી વિભિન્ન જાતિ-પાંતિના ભેદ અને બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શુદ્ર જેવા ચાર વર્ણ તથા લોકાચાર..વગેરેના વિવાદ કેમ? તમામ જાતિઓની જેમ તમામ તથાકથિત ધર્મ અને સંપ્રદાય ૫ણ જ્યારે એક જ પ્રભુના સંતાન છે તેથી તેમને માનવ સમજીને સમાન રૂ૫થી પ્રેમ કરવો જોઇએ.ક્યારેય જાતિ-પાંતિ-વર્ણ..વગેરેના આધારે કોઇને નાના-મોટા ન માનવા.કોઇ નાનું નથી કે કોઇ મોટું નથી.તમામ એક જ ઇશ્વરના સંતાન છે,ભાઇ-ભાઇ છે માટે સાથે મળીને સફળતાના માટે આગળ વધીએ. (૯/૨)

    જ્યાં સુધી પરમાત્માની અપરોક્ષાનુભૂતિ કરવામાં ના આવે ત્યાં સુધી મનમાં વિશ્વાસ પેદા થતો નથી. જ્યાં સુધી વિશ્વાસ પેદા થતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી,પ્રેમ વિના ભક્તિ થઇ શકતી નથી અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી અને જેમને પ્રભુની અપરોક્ષાનુભૂતિ કરી હોય એવા ગુરૂ વિના ભક્તિ સંભવ નથી.(૭૮)

     સદગુરૂ પરમાત્માના પવિત્ર અને કોમળ ચરણોનો પ્રેમ જો તમારા હ્રદયમાં રહેશે તો અનેક જન્મોના પાપ અને સંસ્કાર નષ્‍ટ થઇને આપણે પોતાના વાસ્તવિક ઘર(હરી)માં નિવાસ કરી શકીશું માટે હરિની ઓળખાણ કરી લઇએ અને અન્યને પણ તેની પ્રેરણા આપીએ કેમકે હરિનામ ધન જ સાચી સંપત્તિ છે.

    જે ભૌતિક માયા સાથે નહી પરંતુ પ્રભુને પ્રેમ કરે છે તે જ સાચા સંત છે,તે જેવું કરે છે તેવો જ ઉ૫દેશ અન્યને આપે છે.જ્ઞાન અને ભક્તિ બન્નેનો આધાર ગુરૂ છે કારણ કે બ્રહ્મજ્ઞાન ગુરૂ પાસેથી જ પ્રાપ્‍ત થાય છે અને ત્યારબાદ જ સંત-ગુરૂ અને જીવમાત્રની તન-મન-ધનથી સેવા અને સમર્પણભાવ ભક્તિ કહેવાય છે.આ સેવા વ્યક્તિભાવથી નહી પરંતુ બ્રહ્મભાવથી જ કરવી.(૧૧૬)

     સદગુરૂને સમર્પિત ભાવે પ્રેમ કરવો તેમની બ્રહ્મભાવે પૂજા કરવી-એ જ્ઞાન અને ભક્તિના માટે આવશ્યક છે.૫રમાત્મા પ્રત્યે જેવો ભાવ અને શ્રધ્ધા દિલમાં હોય છે તેવો જ ભાવ સદગુરૂ પ્રત્યે સાકાર બ્રહ્મ જાણીને કરવામાં આવે તે જ્ઞાન જ દ્રઢ થાય છે.(૧૨૦)

     તમામને ભ્રમિત કરવાવાળી માયા ભક્તોને ભ્રમિત-લિપ્‍ત કરી શકતી નથી.સંતોનાં વચન માયાસક્ત લોકોની જેમ આચરણહીન હોતાં નથી.સંત ૫ણ માયામાં જ રહે છે.તેમનું ખાવું-પીવું અને પોષણ ૫ણ માયાથી જ થાય છે પરંતુ તે માયા સાથે નહી પરંતુ માયાપતિ પ્રભુ સાથે પ્રેમ કરે છે.માયાનો અંધકાર બ્રહ્મજ્ઞાનના પ્રકાશને પ્રભાવિત કરી શકતો નથી.(૧૪૬)

    જીવનમાં સુખ,શાંતિ,આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે.જે આત્મા-૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.જે પ્રભુના બનાવેલ માનવોની સાથે પ્રેમ કરે છે તે જ સાચા અર્થમાં પ્રભુની સાથે પ્રેમ કરે છે. ભક્તજનો તપ અને ત્યાગની ભાવનાથી,વિનમ્રતા અને નિર્મલતાના ભાવમાં રહી પ્રેમને જ મહત્તા આપે છે. જે પ્રભુના બનાવેલ માનવોની સાથે પ્રેમ કરે છે તે જ સાચા અર્થમાં પ્રભુની સાથે પ્રેમ કરે છે.ભક્તજનો તપ અને ત્યાગની ભાવનાથી,વિનમ્રતા અને નિર્મલતાના ભાવમાં રહી પ્રેમને જ મહત્તા આપે છે.

    આપણી સાથે સં૫ર્કમાં આવતા દરેક મનુષ્‍યોની સાથે ક્રોધરહીત પ્રેમભર્યો વાર્તાલા૫ કરવો.શુદ્ધ પ્રેમમાં બીજાને સુખી કરવાની ભાવના હોય છે.પ્રેમથી ત્રણ ચીજો સહજ રીતે થયા કરે છેઃબીજાના માટે સ્વસુખનો ત્યાગ,બીજાના દોષોને હસતાં હસતાં સહન કરવા,ભૂલી જવા કે દોષોને દોષો જ ના માનવાની ઉદારતાપૂર્ણ વૃત્તિ,પોતાનું સર્વસ્વ સામેની વ્યક્તિ માટે ન્યોછાવર(અર્પણ) કરી દેવાની તત્પરતા.પ્રેમનો સૌથી મોટો શત્રુ સ્વાર્થ છે અને સ્વાર્થમાં સૌથી પ્રબળ સ્વાર્થ ભોગવાસના છે.જે પ્રભુના બનાવેલ માનવોની સાથે પ્રેમ કરે છે તે જ સાચા અર્થમાં પ્રભુની સાથે પ્રેમ કરે છે.ભક્તજનો તપ અને ત્યાગની ભાવનાથી, વિનમ્રતા અને નિર્મલતાના ભાવમાં રહી પ્રેમને જ મહત્તા આપે છે.પ્રેમ,નમ્રતા,સમદ્રષ્‍ટિ,સહનશીલતાને જીવનનો આધાર બનાવો.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મહિલા વિશેષ

    ભારતની નારીશક્તિ વ્યોમિકા સિંહ

    May 9, 2025
    લેખ

    પક્ષીઓથી ઘણું શીખવા જેવું છે

    May 8, 2025
    લેખ

    જે મનુષ્ય અજન્મા-અનાદિ અને સર્વે લોકોના મહાન ઇશ્વરને જાણે છે તે મોહમુક્ત જ્ઞાની સર્વ પાપોથી છુટી જાય છે

    May 8, 2025
    લેખ

    સમયસર ચૂંટણીઓ દ્વારા લોકશાહીના બંધારણીય આદેશનું સન્માન કરવું મહત્વપૂર્ણ

    May 8, 2025
    લેખ

    તંત્રી લેખ…ઓપરેશન સિંદૂર

    May 8, 2025
    લેખ

    ૮ મે World Thalassemia Day: Thalassemia-સમગ્ર સમાજ માટે પડકાર

    May 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રત્યાર્પણ કરાયેલા દોષી Abu Salemની અકાળ મુક્તિ પર વિચારણા કરવામાં આવી રહી છે

    May 9, 2025

    Gujaratની તમામ આંગણવાડીઓમાં આગામી બે મહિનામાં સર્વે કરવા જાહેર હિસાબી સમિતિનું તંત્રને સૂચન

    May 9, 2025

    ૩૬ સ્થળોએ ઘૂસણખોરીના પ્રયાસમાં લગભગ ૩૦૦ થી૪૦૦ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, Colonel Sophia Qureshi

    May 9, 2025

    PAK સાંસદે PM શાહબાઝને કાયર કહ્યા, મોદી વિરુદ્ધ એક શબ્દય બોલ્યા નહીં

    May 9, 2025

    Amreli માં વરસાદની બેટિંગ યથાવત્, ખેડૂતો ચિંતિત

    May 9, 2025

    Indian Air Defence System S-400

    May 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રત્યાર્પણ કરાયેલા દોષી Abu Salemની અકાળ મુક્તિ પર વિચારણા કરવામાં આવી રહી છે

    May 9, 2025

    Gujaratની તમામ આંગણવાડીઓમાં આગામી બે મહિનામાં સર્વે કરવા જાહેર હિસાબી સમિતિનું તંત્રને સૂચન

    May 9, 2025

    ૩૬ સ્થળોએ ઘૂસણખોરીના પ્રયાસમાં લગભગ ૩૦૦ થી૪૦૦ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, Colonel Sophia Qureshi

    May 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.