ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, વિદ્યા બાલન, એસ.જે. સુર્યા અને સુરજ વેન્જારામૂડુ પણ મહત્વના રોલમાં જોવા મળશે
Mumbai તા.૨૯
Rajinikanth ની આગામી ફિલ્મ ‘જેલર ૨’ અંગેના તાજેતરના અહેવાલો મુજબ, ફિલ્મના નિર્માતાઓ રિતિક રોશનનો એક ખાસ કેમિયો માટે સંપર્ક કરી રહ્યા છે. શરૂઆતમાં આ રોલ માટે શાહરુખ ખાનનું નામ ચર્ચામાં હતું, પરંતુ કહેવાય છે કે કિંગ ફિલ્મનાં વ્યસ્ત શીડ્યુલને કારણે તેણે આ ઓફર સ્વીકારી નથી.અહેવાલ અનુસાર, હવે નિર્માતાઓ આ રોલ માટે રિતિક રોશન સાથે ચર્ચા કરી રહ્યા છે.
જોકે, અત્યાર સુધી ફિલ્મમેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેથી આ માહિતી હાલમાં માત્ર અટકળો તરીકે જ જોવામાં આવી રહી છે.જેલર ૨નું ડિરેક્શન નેલ્સન દિલીપકુમાર કરી રહ્યા છે અને તેમાં રજનીકાંત ફરી એકવાર મુથુવેલ પાંડિયનના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં પહેલા ભાગની ઘટનાઓ પછીની કહાની આગળ વધારશે.ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, વિદ્યા બાલન, એસ.જે. સુર્યા અને સુરજ વેન્જારામૂડુ પણ મહત્વના રોલમાં જોવા મળશે. સાથે જ મોહનલાલ અને શિવા રાજકુમાર પણ પોતાના પાત્રો ફરી ભજવે તેવી શક્યતા છે.
અહેવાલો અનુસાર, ફિલ્મ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે, જોકે સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથીRajinikanth ની ફિલ્મોની વાત કરીએ તો, તેઓ હાલમાં ટેમ્પરરી ટાઇટલ થલાઈવર ૧૭૩ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ કમલ હાસનના બેનર રાજ કમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ હેઠળ થઈ રહ્યું છે. શરૂઆતમાં સુંદર સી દિગ્દર્શન કરવાના હતા, પરંતુ બાદમાં તેઓ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ સિબી ચક્રવર્તીનું નામ જોડાયું હતું, જોકે હવે અહેવાલો મુજબ આશ્વથ મારિમુથુ ફિલ્મ સંભાળી શકે છે.આગળ જઈને રજનીકાંત અને કમલ હાસન ફરી એકવાર એક સાથે જોવા મળે તેવી પણ ચર્ચા છે. આ પ્રોજેક્ટ પણ નેલ્સન દિલીપકુમાર ડિરેક્ટ કરશે અને અનિરુદ્ધ રવિચંદર સંગીત આપશે.

