Savarkundla,તા.19
સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે આવેલ પુલનું કાર્ય તો બંધ જ હાલતમાં છે પરંતુ તેની નજીકથી પસાર કરેલ ડાયવર્ઝન વધારે વરસાદને કારણે ધોવાઈ ગયેલ અગાઉ પણ અહેવાલ પ્રસારિત થયેલ પરંતુ તંત્ર ગાંધીજીના ડાહ્યા ત્રણ વાંદરા જેવી હાલતમાં સાબિત થયેલ છે ત્રણ દિવસ થયા છતાં હજી સુધી માટીનો એક પણ ફેરો કે કંઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી માત્ર પટ્ટી બાંધીને કામગીરી ઓકે કરી હોય તેવું તસ્વીરમાં સામે આવેલ છે
આ જગ્યા ઉપર પાણીનો પ્રવાહ વધારે પ્રમાણ વહેતો હોય છતાં યોગ્ય પાકો ડાઈવર્ઝન કરેલ નથી. ચોમાસાની સિઝનમાં વધારે પ્રમાણમાં વરસાદ હોય અને છાશવારે આ રસ્તો બંધ થઈ જવા પામેલ વાહન વ્યવહાર અવારનવાર બંધ થઈ જતો હોય છે. લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને સરકારી બાબુઓ આંખ આડા કાન કરીને જાણે મુક્ત બધીર બનીને જોતા રહે છે..!!! સમસ્યા હજુ પણ ફાઈલોમાં કેદ થઈ હોય તેવું લાગે છે..એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું