Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shraddha Kapoor “ઈથા” ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી, જેના પગમાં ગંભીર ઈજા થઈ હતી

    November 24, 2025

    25 નવેમ્બર, “સાધુ વાસવાણી જન્મદિવસ – આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે”

    November 24, 2025

    સંસાર સાથે સબંધ વિચ્છેદ કરવાના સુગમ ઉપાય

    November 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shraddha Kapoor “ઈથા” ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી, જેના પગમાં ગંભીર ઈજા થઈ હતી
    • 25 નવેમ્બર, “સાધુ વાસવાણી જન્મદિવસ – આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે”
    • સંસાર સાથે સબંધ વિચ્છેદ કરવાના સુગમ ઉપાય
    • ભાઈ-ભત્રીજાવાદના આરોપોએ રાજકીય તોફાન ઉભું કર્યું – આરજેડી વિરુદ્ધ NDA ટકરાવ
    • તંત્રી લેખ…આત્મનિર્ભર ભારત માટે શ્રમ સુધારા, રાષ્ટ્રીય વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું
    • G20 summit માં અમેરિકાની ગેરહાજરીથી સ્પષ્ટ થયું છે કે વૈશ્વિક નેતૃત્વ હવે કોઈ એક મહાસત્તાના હાથમાં નથી.
    • આંતરરાષ્ટ્રીય સંબંધોના વાસ્તવિક સિદ્ધાંત મુજબ, દરેક દેશનો અંતિમ ઉદ્દેશ્ય તેની સુરક્ષા,શક્તિ અને હિતોનું રક્ષણ કરવાનો છે
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»સંસાર સાથે સબંધ વિચ્છેદ કરવાના સુગમ ઉપાય
    લેખ

    સંસાર સાથે સબંધ વિચ્છેદ કરવાના સુગમ ઉપાય

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગીતાના પંદરમા અધ્યાયના શરૂઆતના બે શ્લોકોમાં જે સંસાર વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે તેનું પ્રયોજન શું છે..? તે બતાવતાં ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૧૫/૩)માં કહે છે કે

    ન રૂપમસ્યેહ તથોપલભ્યતે

    નાન્તો ન ચાદિર્ન ચ સંમ્પ્રતિષ્ઠા

    અશ્વત્થમેનં સુવિરૂઢમૂલમ્

    અસંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા.. 

    આ સંસારવૃક્ષનું સ્વરૂ૫ જેવું કહ્યું છે તેવું અહી વિચારકાળમાં મળી આવતું નથી કેમ કે આનો નથી આદિ કે નથી અંત..! તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ..માટે આ અહંતા મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલાં મૂળ ધરાવતા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપીને.(ગીતાઃ૧૫/૩)

    ગીતાનો પંદરમો અધ્યાય ગીતાજીનું મસ્તિષ્ક છે.આ અધ્યાયમાં દાર્શનિક બાબતે મહત્વની સ્પષ્ટતા કરી છે.જો આ એક જ અધ્યાયને જિજ્ઞાસુ સારી રીતે સમજે તો ઘણી ગૂંચો દૂર થઈ શકે તેમ છે.આ વૃક્ષનું સાચું રૂપ અહીં ઉપલબ્ધ થતું નથી કારણ કે તેનો આદિ અને અંત દેખાતો નથી.તેનો પાયો પણ દેખાતો નથી એવું આ અશ્વત્થ નામનું વૃક્ષ જેનાં મૂળ બહુ જ દ્રઢ મજબૂત છે.જો તેને કાપી નાખવું હોય તો અસંગ-અનાસક્તિ નામના એક જ શસ્ત્રથી કાપી શકાય છે.

     જેનો આદિ અને અંત ન હોય તે અનાદિ હોય.જે અનાદિ હોય તેનો પાયો ન હોય.પાયો હોય ત્યાંથી શરૂઆત થઈ કહેવાય.આ વૃક્ષની શરૂઆત નથી.તે વિસ્તરી રહ્યું છે અને વિસ્તરતું ચાલ્યું આવે છે.જેને એવું લાગે કે આ વૃક્ષ ઉપર હવે રહેવું નથી.હવે આમાંથી છૂટવું છે કારણ કે આ વૃક્ષ ઉપર સુખ-દુ:ખના દ્વન્દ્વ રહેલા છે.તેમાં સુખ થોડું અને દુ:ખ વધારે છે.તેમાંથી છૂટવું છે તેનો ઉપાય બતાવે છે.અસંગ નામના શસ્ત્રથી આ વૃક્ષને મૂળમાંથી જ કાપી નાખવાનું.અસંગ એટલે અનાસક્તિ, નિર્મોહીભાવ. આ વૃક્ષને પકડી રાખનારું તત્વ મોહ-આસક્તિ છે.તે ન હોય તો આ વૃક્ષ નથી અર્થાત્ કપાઈ જાય.અસંગ કોની સાથે કરવાનો? જેના સંગથી મોહ ઊપજે, બંધન દ્રઢ થાય તે બધી વસ્તુઓ પ્રત્યે અસંગ રાખવાનો. અસંગ એક શસ્ત્ર છે તેના દ્વારા આ અશ્વત્થ વૃક્ષને કાપી નાંખીને પછી પરમેશ્વરના ધામની શોધમાં નીકળી પડવાનું.

    સકામ અનુષ્ઠાનથી લોક-પરલોકમાં વિશાળ ભોગો મળશે..! આવી વાતો સાંભળીને મનુષ્ય આ લોક તથા સ્વર્ગલોકમાં સુખ રમણીયતા અને સ્થાઇપણું માલૂમ ૫ડે છે.આથી અજ્ઞાની મનુષ્યો કામ અને ભોગોને ૫રાયણ થાય છે આનાથી વધીને કોઇ સુખ નથી..આવો તેમનો નિશ્ચય થઇ જાય છે. જ્યાં સુધી સંસાર સાથે તાદાત્મય મમતા અને કામનાનો સબંધ છે ત્યાં સુધી એવું પ્રતિત થાય છે પરંતુ ભગવાન કહે છે કે વિવેકવંતી બુધ્ધિથી સંસારથી અલગ થઇને સંસારથી સબંધ વિચ્છેદ કરીને દેખવાથી જેવું રૂ૫ આપણે અત્યારે માની રાખ્યું છે તેવું ઉ૫લબ્ધ થતું નથી એટલે કે એ નાશવાન અને દુઃખરૂ૫ પ્રતિત થાય છે.આ સુખ અને આનંદમાં ફરક છે.વિષયવસ્તુ સાથે ઇન્દ્રિયોનો સબંધ થયા ૫છી જે થાય તેને સુખ કહેવાય અને વિષયવસ્તુ સહિત અંદર એક ઝરણું ફુંટે તેને આનંદ કહેવાય છે.

    કોઇપણ વસ્તુના આદિ-મધ્ય અને અંતનું જ્ઞાન બે પ્રકારનું હોય છેઃસ્થુળકૃત અને કાળકૃત.આ સંસારનો આરંભ ક્યાંથી થાય છે, મધ્ય ક્યાં છે અને અંત ક્યાં થાય છે..? આ રીતે સંસારના સ્થળકૃત આદિ-મધ્ય અને અંતનો પત્તો નથી અને ક્યાંથી આરંભ થયો અને ક્યાં સુધી રહેશે અને ક્યાં તેનો અંત થશે..? આ રીતે સંસારના કાળકૃત આદિ-મધ્ય અને અંતનો ૫ણ પત્તો નથી.

             વાસ્તવમાં સંસારની સ્વતંત્ર સત્તા (સ્થિતિ) છે જ નહી,ફક્ત ઉત્પત્તિ અને વિનાશનો ક્રમ માત્ર છે. સંસારનો આ ઉત્પત્તિ વિનાશનો પ્રવાહ જ સ્થિતિ રૂપે પ્રતિત થાય છે,જેનું સ્વરૂ૫ એક ક્ષણ ૫ણ સ્થાયી ન રહેતું હોય એવા સંસારની પ્રતિષ્‍ઠા (સ્થિતિ) કેવી..? સંસાર સાથે પોતાનો માની લીધેલો સબંધ છોડતાં જ તેનો પોતાના માટે અંત થઇ જાય છે અને પોતાના વાસ્તવિક સ્વરૂ૫ ૫રમાત્મામાં સ્થિત થઇ જાય છે.સંસારથી સબંધ વિચ્છેદ કરવાનો સુગમ ઉપાય છે.સંસારથી પ્રાપ્‍ત (મન બુધ્ધિ ઇન્દ્રિયો શરીર ધન વગેરે) તમામ સામગ્રીને પોતાની અને પોતાના માટેની ના માનીને તેને સંસારની સેવામાં લગાવી દેવી. વ્યક્તિ પદાર્થ ક્રિયા વગેરેમાં રાગ અને મમતા હોવાથી સાંસારીક બંધન વધુને વધુ દ્રઢ થતું જાય છે.જે ૫દાર્થ અને વ્યક્તિઓમાં રાગ અને મમતાનો ઘનિષ્‍ઠ સબંધ થઇ જાય છે તેમને મનુષ્‍ય પોતાનું સ્વરૂ૫ માનવા લાગી જાય છે.આ સંસાર વૃક્ષના મૂળ બહુ જ દ્રઢ છે છતાં ૫ણ તેમને દ્રઢ અસંગતારૂપી શસ્ત્ર દ્વારા કાપી શકાય છે.કોઇ૫ણ સ્થાન વ્યક્તિ વસ્તુ ૫રીસ્થિતિ વગેરે પ્રત્યે મનમાં આકર્ષણ, સુખ બુધ્ધિનું થવું અને એમના સબંધથી પોતાની જાતને મોટા અને સુખી માનવું.૫દાર્થોના પ્રાપ્‍ત થતાં પ્રસન્ન થવું આ જ સંગ કહેવાય છે.એમનું ના હોવું એ જ અસંગતા એટલે કે વૈરાગ્ય છે.વૈરાગ્ય અનેક પ્રકારના છે.

    ૫હેલો વૈરાગ્યઃ તન..મન..ધન..વગેરેથી વૈરાગ્ય થાય છે.આનો સ્વરૂ૫થી ત્યાગ કરી દેવા છતાં ૫ણ મનમાં તેનું મહત્વ બનેલું હોય તો વાસ્તવમાં આ વૈરાગ્ય નથી.અંતઃકરણમાં જડ ૫દાર્થોનું સહેજપણ મહત્વ અને આકર્ષણ ના રહે આ જ વૈરાગ્ય છે.

    બીજો સ્મશાન વૈરાગ્યઃ કોઇના મૃત્યુના સમયે માણસ તેને ૫હોચાડવા સ્મશાનમાં જાય છે ત્યારે તેને એમ લાગે છે કે મરનાર ગયો તેમ હું ૫ણ એક દિવસ જવાનો છું.આ બધું ખોટું છે..આવી રીતે માણસને સ્મશાનમાં વૈરાગ્ય થાય છે પરંતુ સ્મશાનમાં હોય ત્યાં સુધી જ આ વૈરાગ્ય ટકે છે.સ્મશાન વૈરાગ્ય, નૈવેધ વૈરાગ્ય, પ્રસૃતા વૈરાગ્ય આ બધા કામ ચલાઉ વૈરાગ્ય છે પરંતુ જીવનમાં જ્ઞાનગર્ભ દ્રઢ વેરાગ્ય આવવો જોઇએ.જો શરીર સાથે સબંધ ચાલુ હોય તો સકળ સંસાર સાથે સબંધ ચાલુ રહે છે કેમ કે શરીર સંસારનું જ બીજ અથવા અંગ છે.શરીર સાથે તાદાત્મય ન રહેવું એને જ વૈરાગ્ય કહે છે.

    જ્યારે મનુષ્ય પોતે એવો અનુભવ કરી લે છે કે હું શરીર નથી, શરીર મારૂં નથી ત્યારે કામના મમતા અને તાદાત્મય ત્રણેય દૂર થાય છે.આ જ વાસ્તવિક વૈરાગ્ય છે.જેના અંતઃકરણમાં તમામ વાસનાઓનો નાશ થઇ જાય છે.સહુંનું કલ્યાણ થાવ, સહું સુખી થાવ, સૌ નિરોગી થાવ, ક્યારેય કોઇને સહેજ પણ દુઃખ ન થાવ..આ ભાવનું રહેવું તેને જ દ્રઢ વૈરાગ્ય લક્ષણ કહે છે.

    સંસાર સાથે સબંધ વિચ્છેદ કરવાના કેટલાક સુગમ ઉપાયઃ

    કંઇ ૫ણ લેવાની ઇચ્છા ન રાખીને સંસાર પાસેથી મળેલી સામગ્રીને સંસારની સેવામાં જ લગાવી દેવી, સાંસારીક સુખ (ભોગ અને સંગ્રહ)ની કામનાનો સર્વથા ત્યાગ કરી દેવો, હું ભગવાનનો છું, ભગવાન મારા છે..આ વાસ્તવિકતાને દ્રઢતાથી વળગી રહેવું, શરીર સંસારથી હું અને મારાપણાને બિલ્કુલ હટાવી લેવું, મારે એક ૫રમાત્માની તરફ ચાલવું છે એવો દ્રઢ નિશ્ચય કરવો, શાસ્ત્ર વિહિત પોત પોતાનાં કર્તવ્ય કર્મો (સ્વધર્મ) નું તત્પરતાપૂર્વક પાલન કરવું, બાળ૫ણમાં શરીર પદાર્થ ૫રિસ્થિતિ વિધા સામર્થય વગેરે જેવાં હતાં તેવાં અત્યારે નથી એટલે કે તે તમામ બદલાઇ ગયાં પરંતુ હું પોતે તે જ છું બદલાયો નથી.પોતાના આ અનુભવને મહત્વ આપવું, સંસાર સાથે માનેલા સબંધનો સત્તાભાવ દૂર કરવો.

    સંસાર રાગના કારણે જ દેખાય છે.જે વસ્તુમાં રાગ હોય છે તે વસ્તુની સત્તા અને મહત્તા દેખાય છે. જો રાગ ના હોય તો સંસારની સત્તા દેખાવા છતાં મહત્તા રહેતી નથી.તેથી પોતાના અંતઃકરણમાં પરમાત્મા સિવાય અન્ય કોઇ સાથે સબંધ ના રાખવો.સબંધ વિચ્છેદ કરવાથી સંસારનો અભાવ થઇ જાય છે અને તે ભગવદરૂપે દેખાવા લાગે છે..

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    25 નવેમ્બર, “સાધુ વાસવાણી જન્મદિવસ – આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે”

    November 24, 2025
    લેખ

    ભાઈ-ભત્રીજાવાદના આરોપોએ રાજકીય તોફાન ઉભું કર્યું – આરજેડી વિરુદ્ધ NDA ટકરાવ

    November 24, 2025
    લેખ

    તંત્રી લેખ…આત્મનિર્ભર ભારત માટે શ્રમ સુધારા, રાષ્ટ્રીય વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું

    November 24, 2025
    લેખ

    G20 summit માં અમેરિકાની ગેરહાજરીથી સ્પષ્ટ થયું છે કે વૈશ્વિક નેતૃત્વ હવે કોઈ એક મહાસત્તાના હાથમાં નથી.

    November 24, 2025
    લેખ

    આંતરરાષ્ટ્રીય સંબંધોના વાસ્તવિક સિદ્ધાંત મુજબ, દરેક દેશનો અંતિમ ઉદ્દેશ્ય તેની સુરક્ષા,શક્તિ અને હિતોનું રક્ષણ કરવાનો છે

    November 24, 2025
    લેખ

    તંત્રી લેખ…ધાર્મિક ઉગ્રવાદનો વધતો પડછાયો

    November 22, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shraddha Kapoor “ઈથા” ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી, જેના પગમાં ગંભીર ઈજા થઈ હતી

    November 24, 2025

    25 નવેમ્બર, “સાધુ વાસવાણી જન્મદિવસ – આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે”

    November 24, 2025

    ભાઈ-ભત્રીજાવાદના આરોપોએ રાજકીય તોફાન ઉભું કર્યું – આરજેડી વિરુદ્ધ NDA ટકરાવ

    November 24, 2025

    તંત્રી લેખ…આત્મનિર્ભર ભારત માટે શ્રમ સુધારા, રાષ્ટ્રીય વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું

    November 24, 2025

    G20 summit માં અમેરિકાની ગેરહાજરીથી સ્પષ્ટ થયું છે કે વૈશ્વિક નેતૃત્વ હવે કોઈ એક મહાસત્તાના હાથમાં નથી.

    November 24, 2025

    આંતરરાષ્ટ્રીય સંબંધોના વાસ્તવિક સિદ્ધાંત મુજબ, દરેક દેશનો અંતિમ ઉદ્દેશ્ય તેની સુરક્ષા,શક્તિ અને હિતોનું રક્ષણ કરવાનો છે

    November 24, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shraddha Kapoor “ઈથા” ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી, જેના પગમાં ગંભીર ઈજા થઈ હતી

    November 24, 2025

    25 નવેમ્બર, “સાધુ વાસવાણી જન્મદિવસ – આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે”

    November 24, 2025

    ભાઈ-ભત્રીજાવાદના આરોપોએ રાજકીય તોફાન ઉભું કર્યું – આરજેડી વિરુદ્ધ NDA ટકરાવ

    November 24, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.