Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું

    September 17, 2025

    Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

    September 17, 2025

    Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે

    September 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું
    • Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત
    • Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે
    • Rajkot : બિલ્ડર વિરેન સિંધવે રૂ. 2.50 કરોડની કરી ઠગાઈ
    • Gondal: વિદેશી દારૂના બે દરોડા, ત્રણ ઝડપાયા
    • Rajkot : ચેક રિટન કેસમાં સજાનો હુકમ યથાવત રાખતી સેશન્સ કોર્ટે
    • Rajkot : હત્યાની કોશીષની કલમનો ઉમેરો કરવાની અરજી મંજુર
    • Rajkot : આટકોટના વિરમગામે ઝેરી જનાવરે ડંખ મારતા મહિલાનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»કટુતા પણ કૃપા બની શકે
    ધાર્મિક

    કટુતા પણ કૃપા બની શકે

    Vikram RavalBy Vikram RavalFebruary 6, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કઠોપનિષદમાં પિતાપુત્રની એક વાત આવે છે. ઉદ્દાલકના પુત્રનું નામ નચિકેતા હતું. એક વખત ઉદ્દાલકે વિશ્વજિત નામનો યજ્ઞા કરાવ્યો. યજ્ઞા પતાવી બ્રાહ્મણોને દક્ષિણા આપવા ગાયો લાવવામાં આવી. નચિકેતા ત્યાં ઊભો હતો. તેણે ગાયો જોઈ. કેટલીક ગાયો સાવ દુબળી, બેડોળ, નિર્બળ અને વૃધ્ધ હતી. નચિકેતા બાળક હતો પણ જાણતો હતો કે દાનમાં હંમેશાં શ્રેષ્ઠ અને પ્રિય વસ્તુ અપાય છે. તેને આવું ઊતરતી કક્ષાનું દાન આપવાનું ના ગમ્યું. ”પિતાજી, તમે કહેતા હતા કે દાન આપવાની સામગ્રી ઉત્તમ હોવી જોઈએ, પ્રિયમાં પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ તો તમે આવી દુબળી ગાયો દાનમાં આપવા કેમ તૈયાર થયા છો ? ધર્મની દ્રષ્ટિએ આ સારૂં ના ગણાય!” પુત્ર નચિકેતાની ડાહ્યી વાતો પિતાને ગમતી નહોતી. તે સંસારી હતા. ટૂંકી દ્રષ્ટિવાળા હતા. ”પિતાજી, જો દાનમાં પ્રિય વસ્તુ આપવાની હોય તો હું તમને સૌથી પ્રિય છું. તમે મને કોને દાન આપવાના છો ?” આવા પ્રસંગે પુત્રની શાણી વાતો પિતાને પસંદ ના પડી. તે સહન ના કરી શક્યા. ”પિતાજી બોલોને! (તત કસ્મૈ માં દાસ્યસીતિ) મને દાનમાં કોને આપશો ?” ઉદ્દાલકનો ગુસ્સો વધતો ગયો. તે વધારે અશાંત થઈ ગયા. છંછેડાઈ ગયા. આવેશમાં આવી કહી દીધું. ”જા મર! (મૃત્યવે ત્વાં દદામીતિ) હું તને મોતને દાનમાં આપું છું!”

    નચિકેતા પિતાના વચન સાંભળતો રહ્યો. પણ તે શાંત હતો. તેને પિતાના વચનમાંથી ઈશ્વરી સંકેત દેખાયો. તે પિતાની આજ્ઞા લઈ ખરેખર યમલોક પહોંચી ગયો. સંજોગવશાત યમદેવતા સદનમાં નહોતા. નચિકેતા ત્રણ દિવસ સુધી ભૂખ્યો-તરસ્યો બહાર બેસી રહ્યો. ત્રણ દિવસ બાદ યમદેવતા આવ્યા. તેને અંદર બોલાવ્યો. ”નચિકેતા, તુ અમારો અતિથિ હતો. તારે ત્રણ દિવસ ભૂખે-તરસે રહેવું પડયું. તેનો મને ખેદ છે. હવે તું ત્રણ વરદાન માંગી લે જેથી મને શાંતિ વળે.” વરદાન માંગવાની વાત થતાં જ નચિકેતાને પહેલો વિચાર પિતાનો આવ્યો. તેમના કટુવર્તનથી જ યમદેવતાને મળવાની તક મળી હતી. આત્મજ્ઞાન અને મૃત્યુરહસ્ય જાણવાનો અવસર મળ્યો હતો. તેણે પહેલા વરદાનમાં માંગ્યું. ”હે મૃત્યુદેવ, મારા પિતા (શાંત સંકલ્પઃ) શાંત ચિત્ત વાળા (સુમનાઃ) પ્રસન્ન મનવાળા (વીતમન્યુઃ) ક્રોધ વગરના થાય. અને હું અહીંથી પાછો ઘેર જાઉં ત્યારે સહેજ પણ નાખુશ થયા વગર વાત્સલ્ય ભાવથી પ્રેમપૂર્વક મને મળે.”

    ટૂંકી દ્રષ્ટિવાળા સંસારી માણસોના મનમાં ઘર કરી ગયેલી કડવાશ., અધીરાઈ, અસંતોષ કે અધૂરી વાસનાઓની તાણ ક્યારેક કટુતા તરીકે બહાર આવી જાય છે. When the heart is afire, Some sparks will fly out of the mouth. જ્યારે દિલમાં આગ ભડકી ઊઠી હોય ત્યારે તેના કેટલાક તણખાઓ ઊડીને બહાર આવી જાય છે. પણ એ ચિનગારી અણસમજુને દઝાડે છે. વગર વિચારે બોલી નાખવું એટલે નિશાન તાક્યા વગર ગોળી ચલાવવા જેવું છે. ઘણીવાર કટુવર્તનથી ઘાયલ થયેલું મન ધડથી છુટી પડેલી ગરોળીની પૂંછડીની માફક તરફડે છે. બદલો લેવાની ભાવના જાગે છે. ઘણા અહંકારી માણસ એમ સમજે છે કે પોતાની મોટાઈ કાયમ રાખવા માટે વાણીમાં જેટલી કડવાશ રખાય એટલી વધારે લોકોમાં ધાક રહે ! પણ આ રીતે સંબંધોમાં ખટાશ વધે છે. કડવાશ, ધાક, જોહુકમી, કટુતા કે અળગાપણું અંગત સંબંધોમાં એક પ્રકારનો અણગમો વધારી દે છે. વિવેક કે સંસ્કારને ગુલાબના છોડની માફક ઉછેરવો પડે છે, કટુતા ઘાસની માફક ગમે ત્યાં ઊગી નીકળે છે, પણ સમજદાર માણસે બીજાના વર્તનની ફૂટપટ્ટીથી નહિ ઈશ્વરી કૃપાની ફૂટપટ્ટીથી પોતાની આંતરિક લાગણી માપવી જોઈએ આત્મલક્ષી માણસો ઈન્દ્રિયોની કામનાઓના ઢગલામાંથી પણ આત્મઉધ્ધારક સંસ્કારને શોધી કાઢે છે. આત્મનિયંત્રણના અભાવે ઘણા માણસો જીવનમાં આવેલી મુશ્કેલી જોડે આથડતા રહે છે જ્યારે સંયમી માણસ ધૈર્યથી, સ્વસ્થતાથી ગમે તેવી કડવી પરિસ્થિતિ સહન કરી પોતાની જાત બચાવી તેમાંથી પોતાને ઉપકારક શોધી જીવન જીવવાનો રસ્તો શોધી કાઢે છે. તે દરેક ક્ષણે બદલાની સ્થિતિમાં ઈશ્વર કૃપા જુએ છે.

    પેરિસમાં એક અભણ લુહારનું કુટુંબ રહેતું હતું. એક દિવસ ભઠ્ઠી પાસે બેસી લુહાર ઘોડાગાડીનું સમારકામ કરતો હતો. સળગતી ભઠ્ઠીમાં લોખંડનો સળિયો તપી રહ્યો હતો. થોડી થોડી વારે તે સળિયો બહાર કાઢી જરૂરી આકાર આપવા તેને ટીપી રહ્યો હતો. લુહારનો છોકરો રમતો રમતો ભઠ્ઠી પાસે ક્યારે આવીને ઊભો રહ્યો તેની તેને ખબર ના પડી. અચાનક સળિયો દીકરાને અડી ગયો. તેની આંખો ગરમ સળિયાથી દાઝી ગઈ. સારવાર શરૂ થઈ. ડોક્ટરો બદલ્યા. ઘણી દેખરેખ રખાઈ. પણ દીકરો આંખે આંધળો થઈ ગયો. પસ્તાવાનો પાર નહોતો. જીવન કડવુંવખ થઈ ગયું હતું. શોક છવાઈ ગયો હતો. પણ દીકરો ઉત્સાહી હતો. તે આંખના બદલે આંગળીઓથી વસ્તુઓ ઓળખવા લાગ્યો. તેની આંગળીઓ આંખો બની ગઈ. લૂઈ બ્રેઈલ નામના એ છોકરાએ પંદર વરસની ઉંમરે એક અજબ સ્પર્શલિપિની શોધ કરી. તેણે પ્રયોગો કર્યા. એક નિબંધ તૈયાર કર્યો. અને આમ જિંદગીમાં ભળેલી કડવાશને મિઠાસમાં ફેરવી દીધી. તેણે અંધજનો માટે બ્રેઈલ લિપિની શોધ કરી. આજે કરોડો અંધજનો એ લિપિથી અક્ષરજ્ઞાન મેળવે છે. કટુતાને પણ ઈશ્વરની કૃપા સમજી જીવનને આનંદનો ઓચ્છવ બનાવી દીધું.

    ચાહે વર્તન હો, વાણી હો, કે કુદરતી રીતે આવેલી કટુતા હો. સંસ્કારી માણસ તેને ભીતર રહેલી શક્તિને ઓળખવાની તક સમજે છે. કડવું વચન સાવરણી જેવું હોય છે. તે બોલનારને મેલો કરે છે. પણ વ્યક્તિને સાફ કરે છે.

    Even bitterness can be a blessing
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    આ વખતે નવરાત્રી ૯ દિવસને બદલે ૧૦ દિવસ કેમ લાંબી રહેશે?

    September 17, 2025
    લેખ

    જેવી કરણી તેવી ભરણી

    September 15, 2025
    ધાર્મિક

    નવરાત્રી દરમિયાન, ભક્તો ૯ દિવસ માટે મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે

    September 13, 2025
    લેખ

    દયાળુ રાજા રન્તિદેવ જે જન ઈચ્છે બીજાનું સુખ તો તેમને ક્યારેય નહિ આવે દુઃખ..

    September 13, 2025
    લેખ

    પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ શાસ્ત્રોક્ત નિષ્કામભાવપૂર્વક કરવું જોઇએ.

    September 11, 2025
    ધાર્મિક

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ

    September 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું

    September 17, 2025

    Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

    September 17, 2025

    Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે

    September 17, 2025

    Rajkot : બિલ્ડર વિરેન સિંધવે રૂ. 2.50 કરોડની કરી ઠગાઈ

    September 17, 2025

    Gondal: વિદેશી દારૂના બે દરોડા, ત્રણ ઝડપાયા

    September 17, 2025

    Rajkot : ચેક રિટન કેસમાં સજાનો હુકમ યથાવત રાખતી સેશન્સ કોર્ટે

    September 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું

    September 17, 2025

    Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

    September 17, 2025

    Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે

    September 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.