Una,તા.15
ઔષધ નિયમન તંત્ર જનતા માટે શુદ્ધ, સાત્વિક અને સલામત ખાદ્યચીજોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો કાયદો રાજ્ય સરકારે અમલ માં હોવાં છતાંય તંત્ર નાં ભષ્ટ્રાચાર નાં કારણે બેફામ રીતે ખાઘ ચીજ વસ્તુઓ તેલ, ધી, દુધ,છાસ, માખણ અને જીવન જરૂરી સસ્તું માં મિલાવટ કરી તહેવારો ટાણે બેફામ વેચાણ કરી લોકો નાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતાં હોવાનો પર્દાફાશ થયો છે.

ઊનાનાં દેલવાડા રોડ ઉપર આવેલ ભવાની એન્ટર પ્રાઈઝ નામે ચલાવાતી ઓઈલ મીલ માં મિસબ્રાન્ડિંગ-રિસાઇકલ્ડ તેલ બનાવી વેચાતું હોવાનું કલેકટર ને બાતમી મળતાં દરોડા પાડ્યાં બાદ બે દિવસ માં મોટો જથ્થો તેલ સીઝ પુરવઠા તંત્ર એ કરેલ પરંતુ આ મીલ માંથી નિકળેલ જથ્થો શહેર નાં વિવિધ વિસ્તારોમાં છુપાવ્યો હોવાનું મરીન પોલીસ અને એલસીબી બ્રાન્ચ એ પકડી પાડતાં વેપારી માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ગત રાત્રિના ઊના નાલીયા માંડવી ગામે મોટો તેલ ડબ્બા 325 જથ્થો દેલવાડા નાં નામાંકિત વેપારી નરેન્દ્ર કોટક ની માલીકો નો ઝડપાયાં બાદ બીજે દિવસે બપોરે ગીર સોમનાથ જિલ્લા એલ સી બી પોલીસ બ્રાન્ચ એ ગીરગઢડા નાં જશરાજ ટાઉન સીપ ખાતે આવેલાં આલીશાન બંગલામાં છુપાવેલા 197 તેલ નાં ડબ્બા પકડી પાડી ઊના મામલતદાર ડી કે ભીમાણી પુરવઠા નાયબ મામલતદાર સહિત નાં સ્ટાફ ને બોલાવી સોંપતા સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ જથ્થો પણ દેલવાડા નાં નામાંકિત વેપારી નરેન્દ્ર કોટક નો હોવાનું અને બીલ વગર આ માલ સંતાડેલ હોવાનું બહાર આવ્યું છે. સ્પર્ધાત્મક યુગમાં દરેક વ્યક્તિના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લેતાં ગુણવત્તાયુક્ત ખાદ્યચીજો અને ખાસ કરીને ખાદ્યતેલની ગુણવત્તા ખૂબજ અગત્યની પ્રાથમિકતા બની છે ત્યારે અમૂક લેભાગુ ઉત્પાદકો ગ્રાહકોના આરોગ્યની અવગણના કરીને તેલમાં ભેળસેળ, રિસાઇકલ કરેલા ટીનનો ખાદ્ય તેલના પેકેજિંગ માટે વપરાશ અને મિસબ્રાન્ડિંગ જેવી ગેરરીતિ આચરી કપાસિયા તેલ સહિતના ખાદ્યતેલોમાં સોયાબીન અને પામોલિન તેલની ભેળસેળ કરીને ગ્રાહકોના આરોગ્યની ચિંતા કર્યાં વગર સસ્તી અને હલકી પ્રોડક્ટ્સ બજારમાં પધરાવી દે છે.
વેપારીઓ રિફાઈન્ડ પામ તેલને વિવિધ કદના કન્ટેનર્સમાં રિપેક કરીને, બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને કપાસિયા તેલ, સિંગતેલ સનફ્લાવર,રાણી ,ગણેશ,અદાણી વીસમાર, રાણી,ગુલાબ , તિરૂપતિ, બાલાજી જેવી બ્રાન્ડેડ કંપનીના લેબલ પેકીગ પ્રિન્ટ લેબલ,સીલ મારી માર્કેટમાં પધરાવે છે. ઘણાં વેપારીઓ આવા ડબ્બાનું વેચાણ બિલ વગર અને માત્ર બ્રાન્ડનું નામ લખીને કાચા બિલથી કરે છે.
જે જીએસટી કાયદાઓનું પણ સરેઆમ ઉલ્લંઘન કરીને ખાદ્યતેલના પેકેજિંગ માટે રિસાઇકલ કરેલા ટીનના ઉપયોગથી પણ ગ્રાહકોના આરોગ્ય સંબંધિત ચિંતાઓ પ્રવર્તી રહી છે. એફએસએસએઆઈ દ્વારા નિર્ધારિત નિયમો મૂજબ ખાદ્યતેલના પેકિંગ માટે માત્ર પ્રાઈમ-ગ્રેડ ટીન પ્લેટનો જ વપરાશ કરવામાં આવે તથા કોઇપણ ખાદ્ય ચીજોના પેકિંગ માટે એકવાર ઉપોયગમાં લેવાયેલા ટીનનો પુન:ઉપયોગ કરી શકાય નહીં.
ઊના પંથકમાં છેલ્લા પાંચ દિવસથી ચાલતાં બ્રાન્ડેડ કંપનીના નામે ડૂપલીકેટ ભેળસેળ કરીને તેલ વેચતાં વેપારી ને ત્યાં બેનામી જથ્થો સંતાડેલ હોય તે પકડી પાડવા પોલીસ અને પુરવઠા તંત્ર નાં સંયુક્ત ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયા નાં તેલ નાં જથ્થા જડપી સીઝ કર્યા છે.
હજું પણ સમાજમાં વ્હાઈટ કોલર નાં ઉજળા દેખાતાં લુંટારા ભેળસેળીયા વેપારીઓ ગરીબ સામાન્ય ખેત મજૂરી કરતાં પરીવાર નાં આરોગ્ય ને હાનિકારક ખાઘ તેલ નાં મોટાં પ્રમાણમાં જથ્થો દિવાળી નાં તહેવાર સમયે છુપાડી બેઠાં હોય તેને પાતાળ માંથી શોધી કાઢવા તત્પર બની શોધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા એ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ ભેળસેળ કરતી ભવાની એન્ટર પ્રાઈઝ દ્વારા જીલ્લામાં 10જેટલી પેઢીને તેલ નું વેચાણ કર્યું હતું અને હાલ 3850 ડબ્બા સીઝ કર્યા હતા તે પૈકી 3110 ડબ્બા તેલ પ્રતિબંધીત હોય તેને રીડયુઝ કર્યા છે આ ઉપરાંત ટાંકા બનાવી તેમાં ભેળસેળ તેલ 9690 લીટર લુઝ મળી આવ્યું છે.
આ ઊપરાંત હજુ અંલગ અંલગ પેઢી પર જુદીજુદી ટીમો શોધખોળ કરવાં ની કામગીરી શરૂ હોય આ તેલ નાં જથ્થા ની ફ્રુડ અધિકારીઓ ની ટીમ સાથે જોડી પુરવઠાની નાં કાયદા અને ફ્રુડ નિયમન કાયદા હેઠળ ડીટેન કરેલ શંકાસ્પદ જથ્થા ની ચેકાસણી કરી આવી પ્રવૃત્તિઓ ને સદંતર દાબી દેવાશે આકરાં પગલાં ભરાશે.
કલેકટર દ્વારા એવું પણ જણાવ્યું હતું કે હજુ અમારાં પાસે ધણી માહિતી છે કે તેલ સિવાય દુધ,માખણ,ધી,મધ ,પનીર અને ડેરી પ્રોડક્ટ જેવી ખાઘ ચીજોના ભેળસેળ કરીને મોટાં પાયે હોલસેલ છુટક વેચાણ ચાલી રહ્યું છે અને આ બાબતે ફ્રુડ નિયમન અધિકારીઓ ને સુચનાઓ આપી આવાં ભેજાબાજ ભેળસેળ કરનારાં તત્ત્વો વેચનારા વેપારી સામે કાયદાનો દંડો ઉગામી ભેળસેળ ને ડામી દેવાશે
અધિકારીઓ મૌન?
રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ તેમજ ગ્રાહકોને લગતી બાબતોના વિભાગ એવા છે જે સક્રિય હોય તો નાગરિકો માટે મોટી સેવા થઇ શકે તેમ છે. કમનસીબે આવિભાગના મંત્રી હોય કે અધિકારી તેની ગંભીરતા સમજી શક્યા ન હોય તેમ ઉપરછલ્લી કામગીરીથી સંતોષ માની લે છે.
કંટ્રોલ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારના કારણે આ ભેળસેળ કરનારા તત્વો બે ફામ બનતાં ફૂડ પોઇઝનિંગથી લઇને કેન્સર થવા સુધીનો ખતરો આમ પ્રજા પર ઊભોથયો છે ભેળસેળિયા તત્વો ઉપર કોઇપણ ધાકનો અભાવ કે સાતત્યભરી કામગીરી નહીં હોવાથીનાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યા છે.