Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Market માં `તેજીનો ફેસ્ટીવલ’ શરૂ : સેન્સેકસ 83000ને પાર

    September 18, 2025

    ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું

    September 17, 2025

    Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

    September 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Market માં `તેજીનો ફેસ્ટીવલ’ શરૂ : સેન્સેકસ 83000ને પાર
    • ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું
    • Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત
    • Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે
    • Rajkot : બિલ્ડર વિરેન સિંધવે રૂ. 2.50 કરોડની કરી ઠગાઈ
    • Gondal: વિદેશી દારૂના બે દરોડા, ત્રણ ઝડપાયા
    • Rajkot : ચેક રિટન કેસમાં સજાનો હુકમ યથાવત રાખતી સેશન્સ કોર્ટે
    • Rajkot : હત્યાની કોશીષની કલમનો ઉમેરો કરવાની અરજી મંજુર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»જીવાત્મા વિષયોનું સેવન કેવી રીતે કરે છે..?
    લેખ

    જીવાત્મા વિષયોનું સેવન કેવી રીતે કરે છે..?

    Vikram RavalBy Vikram RavalJanuary 31, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.આજે પંદરમા અધ્યાયના શ્ર્લોક-૯નું ચિંતન કરીશું જેમાં જીવાત્મા વિષયોનું સેવન કેવી રીતે કરે છે? તેનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે..
    શ્રોત્રં ચક્ષુઃ સ્પર્શનં ચ રસનં ઘ્રાણંમેવ ચ
    અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે..
    આ જીવાત્મા મનનો આશ્રય લઇને જ કાન આંખ ત્વચા જીભ અને નાક આ પાંચેય ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે.મનમાં અનેક પ્રકારના સારા-ખરાબ અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ થતા રહે છે તેનાથી સ્વયંની સ્થિતિમાં કોઇ ફેર પડતો નથી કેમકે સ્વયં ચેતનતત્વ આત્મા જડ શરીર, ઇન્દ્રિયો,મન અને બુદ્ધિથી પર અને તેમનો આશ્રય તથા પ્રકાશક છે.સંકલ્પ-વિકલ્પ આવતા જતા રહે છે અને સ્વયં સદા જેમ છે તેમ રહે છે.મનનો સંયોગ થતાં જ સાંભળવા, દેખવા, સ્પર્શ કરવા, સ્વાદ લેવા તથા સુંઘવાનું જ્ઞાન થાય છે.
    કાનોમાં સાંભળવાની શક્તિ છે.આજ સુધી આપણે અનેક પ્રકારના અનુકૂળ શબ્દો જેવા કે સ્તુતિ, માન-બડાઇ, આર્શિવાદ,મધુર ગાન, વાદ્ય વગેરે તથા પ્રતિકૂળ શબ્દો જેવા કે નિંદા અપમાન શ્રાપ અપશબ્દો વગેરે સાંભળ્યા છે પરંતુ તેનાથી સ્વયંમાં કોઇ ફેર પડતો નથી.
    નેત્રોમાં જોવાની શક્તિ છે.આજ સુધી આપણે અનેક સુંદર-અસુંદર મનોહર,ભયાનકરૂપ કે દ્રશ્યો જોયા છે પરંતુ તેનાથી આપણા સ્વરૂપમાં શું ફરક પડ્યો?
    ત્વચામાં સ્પર્શ કરવાની શક્તિ છે.જીવનમાં આપણને અનેક કોમળ કઠોર ચિકણા ઠંડા ગરમ વગેરે સ્પર્શો પ્રાપ્ત થયા છે પરંતુ તેનાથી પોતાના સ્વરૂપમાં શું અંતર પડ્યું?
    જીભમાં સ્વાદ લેવાની શક્તિ છે.કડવો તીખો ગળ્યો તૂરો ખાટો અને ખારો-આ છ પ્રકારના ભોજનના રસ છે.આજસુધી આપણે જાત જાતના રસયુક્ત ભોજન કર્યા છે પરંતુ વિચાર કરવો જોઇએ કે તેનાથી સ્વયંને શું મળ્યું?
    નાસિકામાં સુંઘવાની શક્તિ છે.જીવ દરમ્યાન આપણી નાસિકાએ જાતજાતની સુગંધ અને દુર્ગંધ ગ્રહણ કરી છે પરંતુ તેનાથી સ્વયંમાં શું ફરક પડ્યો?
    કાનનો વાણી સાથે, નેત્રનો પગ સાથે, ત્વચાનો હાથ સાથે, જીભનો ઉપસ્થ સાથે અને નાકનો ગુદા સાથે આમ પાંચ જ્ઞાનેન્દ્રિયોનો પાંચ કર્મેન્દ્રિયો સાથે ધનિષ્ઠ સબંધ છે જેમકે જે જન્મથી બહેરો હોય છે તે મૂંગો પણ હોય છે.પગના તળિયામાં માલિશ કરવાથી નેત્રો ઉપર અસર પડે છે.ત્વચાના લીધે જ હાથ સ્પર્શનું કામ કરે છે.જીભના વશમાં થવાથી ઉપસ્થ ઇન્દ્રિય પણ વશમાં થઇ જાય છે.નાકથી ગંધનું ગ્રહણ તથા તેનાથી સબંધિત ગુદાથી ગંધનો ત્યાગ થાય છે.પાંચ મહાભૂતોમાં એક-એક મહાભૂતના સત્વગુણ અંશથી જ્ઞાનેન્દ્રિયો, રજોગુણ અંશથી કર્મેન્દ્રિયો અને તમોગુણ અંશથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગેરે પાંચેય વિષયો બન્યા છે.
    પાંચ મહાભૂતોના મળેલા સત્વગુણ અંશથી મન, રજોગુણ અંશથી પ્રાણ અને તમોગુણ અંશથી શરીર બન્યું છે.જીવાત્મા એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે અને જેવી રીતે પહેલા શરીરમાં વિષયોનું રાગપૂર્વક સેવન કરતો હતો તેવી જ રીતે બીજા શરીરમાં જતાં તેવો જ સ્વભાવ હોવાથી વિષયોનું સેવન કરવા લાગે છે.આ રીતે જીવાત્મા વારંવાર વિષયોમાં આસક્તિ કરવાના લીધે ઉંચ-નીચ યોનિઓમાં ભટકતો રહે છે.
    ભગવાને આ મનુષ્યશરીર સુખભોગ ભોગવવા માટે નહી પરંતુ પોતાનો ઉદ્ધાર કરવા માટે આપ્યું છે. વિષયસેવન કરવાથી પરીણામમાં વિષયોમાં રાગ-આસક્તિ વધે છે કે જે પુનર્જન્મ તથા તમામ દુઃખોનું કારણ છે.વિષયોમાં વસ્તુતઃ સુખ છે જ નહી ફક્ત આરંભમાં ભ્રમવશ સુખ પ્રતિત થાય છે.જો વિષયોમાં સુખ હોત તો જેમની પાસે પ્રચુર ભોગસામગ્રી છે એવા મોટા મોટા ધનવાનો, ભોગી અને પદાધિકારીઓ સુખી થઇ જાત પરંતુ વાસ્તવમાં જોઇએ તો સમજાશે કે તેઓ દુઃખી અને અશાંત છે.
    જેવી રીતે સ્વપ્નમાં જળ પીવાથી તરસ છીપાતી નથી એવી જ રીતે ભોગપદાર્થોથી શાંતિ મળતી નથી કે અંતરની ઇચ્છા દૂર થતી નથી.મનુષ્ય વિચારે છે કે આટલું આટલું ધન મળી જાય, આટલો સંગ્રહ થઇ જાય, આટલી વસ્તુઓ પ્રાપ્ત થઇ જાય તો શાંતિ મળી જશે પરંતુ એટલું મળી જવા છતાં પણ શાંતિ મળતી નથી.ઉલટાની વસ્તુઓના મળવાથી તેની લાલસા વધી જાય છે.ભોગપદાર્થોના ઉપભોગથી કામના ક્યારેય શાંત થતી નથી પરંતુ જેવી રીતે ઘી ની આહૂતિ આપવાથી અગ્નિ વધારે ભડકી ઉઠે છે તેવી જ રીતે ભોગવાસના પણ ભોગોને ભોગવવાથી પ્રબળ થાય છે.
    ધન વગેરે ભોગપદાર્થો મળવા છતાં પણ તે વધારે મળી જાય એ ક્રમ ચાલતો રહે છે પરંતુ સંસારમાં જેટલું ધનધાન્ય છે, જેટલી સુંદર સ્ત્રીઓ છે, જેટલી ઉત્તમ વસ્તુઓ છે તે તમામ એકસામટી કોઇ એક વ્યક્તિને મળી જાય તો પણ તેમનાથી તેને તૃપ્તિ થતી નથી.એનું કારણ એ છે કે જીવ અવિનાશી પરમાત્માનો અંશ અને ચેતન છે અને ભોગપદાર્થો નાશવાન પ્રકૃતિના અંશ તથા જડ છે.ચેતનની ભૂખ જડ પદાર્થોના દ્વારા કેવી રીતે મટી શકે?
    આપણે આજે જ દ્રઢ નિશ્ચય કરી લેવાનો છે કે મારે ભોગબુદ્ધિથી વિષયોનું સેવન કરવાનું નથી.સકળ સંસાર મળીને પણ મને તૃપ્ત કરી શકવાનો નથી.આમ કરવાથી ઇન્દ્રિયો નિર્વિષય બની જતાં મન નિર્વિકલ્પ અને બુદ્ધિ આપોઆપ સમ થઇ જાય છે અને બુદ્ધિ સમ થઇ જવાથી પરમાત્માની પ્રાપ્તિનો આપોઆપ અનુભવ થઇ જાય છે કેમકે પરમાત્મા તો સદા પ્રાપ્ત જ છે.વિષયોમાં પ્રવૃત્તિ હોવાના કારણે એમની પ્રાપ્તિનો અનુભવ થતો નથી.
    ગોસ્વામી તુલસીદાસજી રામચરીત માનસના અંતમાં પ્રાર્થના કરે છે કે જેવી રીતે કામીને સ્ત્રી,ભોગી અને લોભીને ધન સંગ્રહ પ્રિય લાગે છે તેવી રીતે શ્રી રઘુનાથજીનું રૂપ અને રામનામ મને નિરંતર પ્રિય લાગો.

    વિનોદભાઇ માછી નિરંકારી

    નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Fish Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું

    September 17, 2025
    લેખ

    તંત્રી લેખ…વકફ સુધારા કાયદા પર વિપક્ષના દાવા પણ નિષ્ફળ ગયા

    September 17, 2025
    રાષ્ટ્રીય

    પીએમ મોદીનાં જન્મદિને BJP ના દિગ્ગજ નેતાઓ વર્ણવે છે:PM સાથેના રસપ્રદ સંસ્મરણો

    September 17, 2025
    લેખ

    અમૃતકાળના સ્વપનદૃષ્ટાના અમૃતવર્ષ નિમિત્તે ઋણ-સ્વીકાર સાથે વંદન સહ અભિનંદન

    September 16, 2025
    લેખ

    Drugs સમાજને ખાલી કરે છે અને રાષ્ટ્ર નિર્માણમાં સૌથી મોટો અવરોધ છે

    September 16, 2025
    લેખ

    16 સપ્ટેમ્બર, વર્લ્ડ ઓઝોન ડે

    September 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Stock Market માં `તેજીનો ફેસ્ટીવલ’ શરૂ : સેન્સેકસ 83000ને પાર

    September 18, 2025

    ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું

    September 17, 2025

    Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

    September 17, 2025

    Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે

    September 17, 2025

    Rajkot : બિલ્ડર વિરેન સિંધવે રૂ. 2.50 કરોડની કરી ઠગાઈ

    September 17, 2025

    Gondal: વિદેશી દારૂના બે દરોડા, ત્રણ ઝડપાયા

    September 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Market માં `તેજીનો ફેસ્ટીવલ’ શરૂ : સેન્સેકસ 83000ને પાર

    September 18, 2025

    ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું

    September 17, 2025

    Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

    September 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.