Junagadh, તા. 9
જુનાગઢ ભુતનાથ ખાતે ચાલતી શ્રીમદ ભાગવત પારાયણ કથાના અંતિમ દિવવસે અનેક સાધુ, સંતો, મહંતો, થાનાપતિઓ, મહામંડલેશ્ર્વર ઉપરાંત ભવનાથ ક્ષેત્રના વિવિધ સાધુઓ સાથે લાખોની મેદની વચ્ચે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે ભુતનાથ મહંત મહેશગીરીએ ભાગવત પર હાથ રાખીને કહ્યું હતું કે, જે કહીશ જે બોલીશ તે સત્ય જ કહીશ, ખોટુ બોલીશ તો મારૂ દૂધ લાજે. ભાગવત-ભગવાન કે તમે લોકો જે સજા કરશો તે ભોગવવા તૈયાર છું તમારો દિકરો બોલે છે.
મારા કપડા કાઢી લો, મારી આંબડી ઉતારી લો પણ સત્ય નહીં છોડુ, હું નાની ઉંમરે હિમાલયમાં હતો ત્યારે મને સંકેત મળ્યો હતો કે ગીરનાર તારી પ્રતિક્ષા કરે છે. ગિરનાર આવ્યો જયાં 14 વર્ષ અખંડ તપ કર્યુ, અન્નક્ષેત્રમાં 40 કિલોની રોટલી બનાવતો, પાણીની કાવડો તેમજ પ00 થી 1000 કિલો લાકડા લાવી રસોઇ બનાવી યાત્રિકો અને સંતોને જમાડતો હતો. તનસુખગીરી મારા ચોટી ગુરૂ હતા.
હરિગીરી, પ્રેમગીરી અન્ય તેમના સાધુઓની આખી ગેંગ છે. તેમ કહી તેમની સામે ખુલ્લેઆમ બોલ્યા હતા. જો હ્યુમન રાઇટસ અને પીએમ સરકાર હરિગીરી અને તેની ગેંગની તપાસ કરાવે તો દેશના સૌથી મોટા કૌભાંડ બહાર આવશે હરિગીરીને નબડા સાધુઓની જમીન હડપણવાનું કૌભાંડ પાપ કર્યુ છે. તેઓ દિલ્હીના રાજકારણમાં અખાડાની મંજુરી લઇને ગયા હતા.
તેઓએ પરત ફરી બોટાદ ખાતે વિધીવત રીતે ફરી ભગવા ધારણ કરીને મહંતની જવાબદારી સ્વીકારી છે. રાતોરાત સાધુ બનાવી દે છે. સાધુઓનો ભરતી મેળો ચાલુ કર્યો છે. જેના કારણે સાચા સાધુઓને નુકસાન થઇ રહ્યું છે. નાની ઉંમરમાં સાધુ બનાવી લંગોટ ખેંચીને બાંધવાથી અંદર શરીરની પ્રક્રિયા બંધ થતી નથી મનને વાળવા આધ્યાત્મિક રીતે મન શુધ્ધ આત્માને ઓળખવાના પ્રયાસો જરૂરી છે. ડેમ બાંધી પાણી રોકવામાં આવે પરંતુ પાણીનો પ્રવાહ સતત આવતો રહે ત્યારે પાણી બંધ તોડી નાખે છે.
હરીગીરી અને પ્રેમગીરીને કહું છું શરમ કરો, તમે પાપના ભાગીદારના છો બ્રાહ્મણની જગ્યા પચાવી પાડશો તો સત્યાનાશ નીકળી જશે જુનાગઢમાં સાધુ બનાવવા કાશી, હરિદ્વાર, અલ્હાબાદથી સાધુ લાવવા પડે છે. ગિરનારમાં ફેલાયેલી ગંદકીનું સફાઇ અભિયાન કરવા આવ્યો છું. જેનો હકક છે તેને અપાવીને જ રહીશ. મારે અંબાજી કે ભવનાથનો મહંત ગાદી નથી જોઇતી મારા માટે લડવા નથી આવ્યો બપોરના 1ર થી 1ર.47 સુધી (47 મીનીટ) સતત ધર્મસભાને સંબોધી હતી મેં સત્ય બતાવ્યું છે તમારે નિર્ણય કરવાનો છે.
ધર્મસભાને સંબોધન કરતા આક્રોશ ઠાલવ્યો હતો જેમાં વિધર્મીઓથી ગિરનાર બચાવવો છે અમે ભાંડરણા છીએ, ભેગા થવાના છીએ, મારો અંગત સ્વાર્થ કંઇ જ નથી અખાડાને વિનંતી છે. પરિવર્તનનો સમય આવી ગયો છે બહાર આવીને બોલવું પડશે. ખોટુ બોલું કે સત્તા સેવા કરતો હોઉ તો સજા દંડ આપજો લેવા તૈયાર છું, તમારો દિકરો છું, ગિરનારમાં સડો ન બેસે, સંપ્રદાયના ભગવાન અખાડા છે. સાચી વાત વડાપ્રધાન, ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી સુધી સાચી વાત પહોંચાડવાનો સમય આવી ગયો છે.
ડોબા હું દિલ્હીથી સીધો નથી આવ્યો દાયકાઓ ગિરનારમાં વિતાવ્યા છે. 40-40 કિલોની રોટી, પાણીની કાવડો, પ00 થી 1000 કિલો લાકડા જંગલમાંથી દાયકા સુધી યાત્રિકોને ભોજન કરાવ્યું છે. લોહી પાણી એક કર્યા છે.
અખાડાના આદેશ લઇને ગિરનારને બચાવવા ધર્મના બાતર સાંસદ થયો હતો તે પેન્ટ-શર્ટ પહેર્યા હતા ફરી રાાણપુરમાં ચોટી દીક્ષા લીધી હતી. પ્રેમગીરીએ યૌન શોષણ કર્યુ તે બાળક હજુ ગુમ છે. ચાદર વિધિ કરવા કાશી, વારાણસીથી પહેલા ન આવતા સ્થાનિક અખાડાના સાધુઓ જ દિક્ષા આપતા હતા. હવે પોતાના લાગતા વળગતાની જ ભરતી મેળો થઇ રહ્યો છે.
નાની ઉંમરે મને હિમાલયમાં લઇ જવાયો હતો. ગિરનાર તારી પ્રતિક્ષા કરે છે તેઓ ગુરૂનો આદેશ હતો. મારા માતા-પિતા-ગુરૂએ સેવા કરવાનો અને પાખંડ ન કરવા આદેશ આપ્યો છે. શિવરાત્રીના મેળામાં સાધુ મુજરા કરાવે છે, દારૂ પીવે છે, આસન છોડી મૈયા પાછળ દોડે છે તેનો જવાબદાર કોણ ? આવા દારૂડીયા યૌન શોષણવાળા સાધુ નથી જોઇતા.
પરિવર્તન આસાન નથી, જે થવું હોય તે થાય બદલીને રહીશ. હરિગીરીના ચેલાએ બળાત્કાર કર્યો તેને દંડ નહીં ? હરીગીરી અખાડો નથી, અખાડામાં હરીગીરી છે, અખાડા એ જ ભગવાન છે. સનાતન ધર્મમાં નારાયણ-સ્વામિનારાયણ, ઓમ નમો નારાયણ, વૈષ્ણવ સર્વે સંપ્રદાયોને સાથે રાખી ચાલવું છે. સંત ન હોય આ દુનિયામાં તો બ્રાહ્મણ પણ બળીને ખાખ થઇ જાય તેમ મહંત મહેશગીરીએ સંબોધનમાં જણાવ્યું હતું.
એક અખબાર મારી પાછળ પડયું છે પણ મુકીશ નહીં: મહંત મહેશગીરી
જુનાગઢ ખાતેની ધર્મસભામાં મહંત મહેશગીરીએ બની બેઠેલા ધર્માચાર્યો અને પત્રકારો સામે આક્રોશ ઠાલવ્યો હતો. મહંત મહેશગીરીએ જણાવ્યું હતું કે ધર્માચાર્યોને પત્રકારો બે પ્રકારના હોય છે બંને પક્ષે સાચી વાત સાંભળી લખનાર અને એક લાવારીશ જે માતા પિતા નથી હોતા એક અખબાર મારી પાછળ પડયું છે જે મને ધમકાવે છે પણ હું ઝુકીશ નહીં હું કોઈનાથી ડરતો નતી તેમ જણાવી એક અખબાર સાથે બની બેઠેલા ધર્માચાર્યો સામે રોષ વ્યકત કર્યો હતો.