Junagadh તા.10
જુનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા આગામી તા.14 ડિસેમ્બરને શનિવારના રોજ સાંજે 6 વાગ્યે નોબલ કેમ્પસ ખાતે પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કરાશે. આ ઐતિહાસિક પ્રસંગે યુનિ. દ્વારા એમબીએ, એમસીએ, ડીએમએલટી, એમ.ફાર્મ, એમ.કોમ, એમ.એસસી, એમ.ટેક સહિત વિવિધ વિદ્યાશાખાના 364 અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે.
વર્ષ 2007માં સંસ્થાપિત નોબલ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટયુશન્સને વર્ષ 2022માં ગુજરાત સરકાર દ્વારા યુનિ.નો દરજજો મળ્યા પછીનો આ પ્રથમ પદવીદાન સમારોહ છે. આ કાર્યક્રમ દરમિયાન અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 11 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલથી સન્માનિત કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદની ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ, ડો.એમ.એન. પટેલ ઉપસ્થિત રહી સમારોહને સંબોધશે તેમજ નોબલ યુનિ.ના પ્રમુખ નીલેશભાઈ ધૂલેશીયા અધ્યક્ષપદે હાજરી આપશે સાથે યુનિ.ના ઉપપ્રમુખ ગીરીશ કોટેચા, મેનેજીંગ ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી, કો-મેનેજીંગ ટ્રસ્ટી કે.ડી. પંડયા અને કુલપતિ ડો.એચ.એન. ખેર આ સમારંભને ગૌરવશે.
આ માહિતી રજીસ્ટ્રાર અને ડીન ડો. જય તલાટી દ્વારા જાહેર કરવામાં આવી છે અને કાર્યક્રમમાં હાજરી માટે સન્માનિત મહેમાનો અને વિદ્યાર્થીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.