Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
    • ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
    • પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
    • Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
    • Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
    • Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
    • ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
    • બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»ધર્મનું થોડું ઘણું આચરણ જન્મ-મૃત્યુરૂપી મહાન ભયમાંથી રક્ષણ કરે છે
    ધાર્મિક

    ધર્મનું થોડું ઘણું આચરણ જન્મ-મૃત્યુરૂપી મહાન ભયમાંથી રક્ષણ કરે છે

    Vikram RavalBy Vikram RavalApril 30, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કર્મયોગની શરૂઆત કરતાં પહેલાં તેની મહત્તા સમજાવતાં ભગવાન ગીતા(૨/૪૦)માં કહે છે કે..

    નેહાભિક્રમનાશોઽસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે

    સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત..

    મનુષ્યલોકમાં આ સમબુદ્ધિરૂપ ધર્મના આરંભનો એટલે કે બીજનો નાશ થતો નથી અને તેના અનુષ્ઠાનનું અવળું ફળ પણ થતું નથી અને આ ધર્મનું થોડુંઘણું પણ આચરણ જન્મ-મૃત્યુરૂપી મહાન ભયમાંથી રક્ષણ કરે છે.

    મનુષ્યલોકમાં મનુષ્ય જ સમબુદ્ધિ પ્રાપ્ત કરવાનો અધિકારી છે.મનુષ્ય સિવાય બીજી બધી ભોગ યોનિઓ છે,તેમાં વિષમતા(રાગ-દ્વેષ)નો નાશ કરવાનો અવસર જ નથી કેમકે ભોગ રાગ-દ્વેષપૂર્વક જ થાય છે.સંસારમાં વિષમતાનું હોવું એ જ વિપરીત ફળ છે.આ સમબુદ્ધિરૂપી ધર્મનું થોડુંક પણ અનુષ્ઠાન થઇ જાય, થોડી પણ સમતા જીવનમાં કે આચરણમાં આવી જાય તો મનુષ્ય આ જન્મ-મરણરૂપી મોટા ભયથી રક્ષણ કરી લે છે.ધર્મના બે પ્રયોજન છે દાન કરવું અને વર્ણાશ્રમ પ્રમાણે શાસ્ત્રોમાં જણાવેલાં પોતાના કર્તવ્યકર્મોનું તત્પરતાથી પાલન કરવું.

    જેનામાં સમતા આવી જાય છે તે સિદ્ધ છે.સમતા બે પ્રકારની હોય છેઃઅંતઃકરણની સમતા અને સ્વરૂપ ની સમતા.સમરૂપ પરમાત્મા બધી જગ્યાએ પરીપૂર્ણ છે તેમાં જે સ્થિત થઇ ગયો તે સમગ્ર સંસાર ઉપર વિજ્ય પ્રાપ્ત કરી જીવનમુક્ત થઇ જાય છે.

    આ શ્ર્લોકથી ફક્ત જ્ઞાનની વાતો કરનાર લુખાશથી ભરેલા ઉપાસકો માટે મનોમંથન કરવાના શ્ર્લોકો શરૂ થયા છે.જે કામ હાથ ધર્યુ છે તે વ્યર્થ જતુ નથી.આજે નહિ તો કાલે તેનું ચોક્કસ પરિણામ મળશે જ આ ગીતાનું વચન છે.જે લોકો સતત કાર્યશીલ છે,સતત પોતાના લક્ષ્ય સાથે ચીટકેલા છે,હંમેશા પ્રામાણિક પ્રયત્નો કરતા રહેલા છે અને વિશ્વાસ રાખતા રહેલા છે તે લોકોને કોઈપણ વાત પોતાના ઉદ્દેશથી દુર કરી શકતી નથી.વિરોધ વચ્ચે પણ તે પોતાનું કામ આગળ ધપાવતા જાય છે અને જે હંમેશા મુશ્કેલીઓ સામે ઝઝુમે છે તેને કોઈપણ પરિસ્થિતિ પરેશાન કરી શકતી નથી.

    જે પોતાના ધર્મનું પાલન કરે છે તેનું મોટા ભયથી રક્ષણ થાય છે.ધર્મ એટલે વ્યક્તિધર્મ અને સમષ્ટિધર્મ.વ્યક્તિગત અને સામાજીક જવાબદારીઓ એ જ મારો ધર્મ.ઘેર હું દિકરો છું,પતિ છું,બાપ છું તેવી રીતે ઓફિસમાં બોસ છું..આવી રીતનો મારો દરેક ધર્મ (ફરજ) મારે તેની પવિત્રતાને ધ્યાનમાં લઈને પાળવો જોઈએ.જો આવું પદ્ધતિસરનું થોડુ પણ પાલન કરીશ તો વિવિધ પ્રકારનાં ભયથી મને રક્ષણ મળશે તેમ ભગવાન કહે છે.જે લોકો વિપરિત પરિસ્થિતિમાં ભણ્યા છે,સંજોગો સામે લડ્યા છે,સતત પ્રયત્ન કરતા રહ્યા છે તે જ લોકો ઈતિહાસ લખે છે-આ જ વાસ્તવિકતા છે.હિંમતથી કામ કરે છે,વિરોધ વચ્ચે પણ મક્કમ રહે છે,ધ્યેય તરફ સતત વધે છે તે લોકો સફળ થાય છે-આ આપણે જાણીએ છીએ.પ્રાર્થના-પ્રયત્ન અને પ્રતિક્ષા સતત કરતા રહે છે તે લોકો જ દિવ્ય બને છે તો આવો આપણે નક્કી કરીએ કે જવાબદારીથી ભાગવાના બદલે તેના માટે પ્રયત્નશીલ રહીશું.

    સાધકની દ્રઢતા-મક્કમતા વિશે સમજાવતાં ભગવાન ગીતા(૨/૪૧)માં કહે છે કે..

    વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ કુરૂનંદન

    બહુશાખા હ્યનન્તાશ્ચ બુદ્ધયોઽવ્યવસાયિનામ્

    હે કુરૂનંદન ! આ સમબુદ્ધિની પ્રાપ્તિના વિષયમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક જ હોય છે.જેમનો એક નિશ્ચય નથી એવા માણસોની બુદ્ધિ અનંત અને ઘણા પ્રકારની હોય છે.જીવન સાધનાના ક્ષેત્રમાં સાધકમાં દ્રઢ નિશ્ચય જરૂરી હોય છે.વારંવાર ઇષ્ટદેવ,સાધનામાર્ગ બદલ બદલ કરવાથી કશું ફળ મળતું નથી.લાલચું અને ફળની ઉતાવળવાળો દ્રઢતા રાખી શકતો નથી.

    કર્મયોગી સાધકોનું લક્ષ્ય જે સમતાને પ્રાપ્ત કરવાનું રહે છે તે સમતા પરમાત્માનું સ્વરૂપ છે. જ્ઞાનયોગમાં પહેલાં સ્વરૂપનો બોધ થાય છે પછી એના પરીણામસ્વરૂપ બુદ્ધિ આપોઆપ એક નિશ્ચયવાળી બની જાય છે અને કર્મયોગ તથા ભક્તિયોગમાં પહેલાં બુદ્ધિનો એક નિશ્ચય થાય છે પછી સ્વરૂપનો બોધ થાય છે.આમ જ્ઞાનયોગમાં જ્ઞાન મુખ્ય છે અને કર્મયોગ તથા ભક્તિયોગમાં એક નિશ્ચય મુખ્ય હોય છે.જેઓના અંતરમાં સકામભાવ હોય છે અને જેઓ ભોગ અને સંગ્રહમાં આસક્ત હોય છે તેઓને અવ્યવસાયી કહે છે.

    આ માર્ગ પર જે લોકો દ્રઢતાથી ચાલે છે તેને જ સફળતા મળે છે કારણ કે તેની કૃતિની દિક્ષા અને ધ્યેયની દિક્ષા ભગવદનિષ્ઠાથી પરિપક્વ બને છે અને તેથી કર્મયોગ આ લોકોના દરેક પગલે છતો થાય છે.અહિં કર્મયોગની વાત ભગવાન કરે છે.જે પોતાનાં વિચારો લુખા તત્વજ્ઞાનના બદલે વિચારો કાર્યાન્વિત કરે છે તેની બુદ્ધિ વ્યવસાયિક બુદ્ધિ કહેવાય.

    ઈતિહાસમાં એક કવિ હર્ષ થઈ ગયાં.એક વખત પંડિતો સાથે તેમણે વેદોનાં તત્વજ્ઞાનની ચર્ચા કરવાની હતી.ચર્ચાનાં વિરામ વખતે પંડિતોએ કહ્યું કે તમારા વિચારો સરસ છે પણ અમે તે સમજી શકતા નથી.અમે હાર્યા નથી પણ તમારી વાત અમે સમજી શકતાં નથી. એ વખતે કવિ હર્ષને થયું કે જો પંડિતો મારી વાત ન સમજી શકતાં હોય તો સામાન્ય લોકો કેવી રીતે સમજી શકશે? આ વિચારે તેમને વ્યાકૂળ બનાવ્યા.કવિ હર્ષએ સરસ્વતી માતાની ઉપાસના કરી અને માઁ ને પ્રાર્થના કરી કે મારી બુદ્ધિ થોડી ઓછી કર કેમકે પંડિતોને પણ હું સમજાવી શકતો નથી. કેટલું વિરલ ચરિત્ર છે ! આજ સુધીના ઈતિહાસમાં દરેકે ભગવાન પાસે બુદ્ધિ માંગી છે જ્યારે કવિ હર્ષ પોતાની બુદ્ધિ સરળ બને તેવી પ્રાર્થના કરી હતી. કહેવાનો અર્થ એટલો છે કે સિદ્ધાંતો જીવનમાં ગ્રહણ કરી શકાય તેવી રીતની બુદ્ધિ કાર્યાન્વિત થવી જોઈએ.આ બુદ્ધિ પરિણામલક્ષી હોય પણ એક ધ્યેય પર ન ચોંટે તો કરેલી મહેનતનું ફળ મળતું નથી.કોઈપણ કામમાં એકાગ્રતા ન હોય તો તેનું પરિણામ અપેક્ષા મુજબનું મળતું નથી.ધ્યેય નક્કી હોવું જોઈએ,બુદ્ધિ જીવનમાં સિદ્ધાંતો સમજાવી શકે તેવી હોવી જોઈએ.આપણા ઋષિઓએ મેધાવી બુદ્ધિ માંગતાં પ્રાર્થના કરી છે કે..

    આયુર્બલ યશોવર્ચ પ્રજા પશૂન વસૂનિ ચ

    બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાં ચ ત્વન્નો દેહિ વનસ્પતે

    તમે આયુષ્ય,બળ,યશ,તેજસ્વીપણું,પ્રજા,પશુઓ અને ધન તેમજ બ્રહ્મને જાણવાની અને સમજવાની ઉંચી, તેજસ્વી બુદ્ધિ અમોને આપો.આવી બુદ્ધિ જેની નથી તે લોકો બધે ભટકતા ફરે છે.એક વાત પર ચીટકી બેસવાને બદલે સિદ્ધાંત-પદ્ધતિ અને પ્રવૃત્તિનો ભાર લઈને ફરે છે.જેમણે ઉપદેશો આપવા સિવાય કંઈ કરવું નથી તેની બુદ્ધિમાં દુર્ગંધ આવે છે.પદ છોડવા માંગતા નથી,સમાજસેવા ને જ સર્વસ્વ સમજનારા આવા લોકો એક ધ્યેય પર ન ચીટકી બેસતા ફક્ત વાતો કરે છે.સમાજને વક્તા નહિ પણ કાર્યકર્તા જોઈએ છે જે દરેક વર્ગને સાથે લઈને પ્રયોગાત્મક દ્રષ્ટિથી સિદ્ધાંતો સરળ ભાષામાં સમજાવીને બહુજન સમુદાયને લઈને આદર્શ જીવન જીવી બતાવે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    જેવી કરણી તેવી ભરણી

    September 15, 2025
    ધાર્મિક

    નવરાત્રી દરમિયાન, ભક્તો ૯ દિવસ માટે મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે

    September 13, 2025
    લેખ

    દયાળુ રાજા રન્તિદેવ જે જન ઈચ્છે બીજાનું સુખ તો તેમને ક્યારેય નહિ આવે દુઃખ..

    September 13, 2025
    લેખ

    પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ શાસ્ત્રોક્ત નિષ્કામભાવપૂર્વક કરવું જોઇએ.

    September 11, 2025
    ધાર્મિક

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ

    September 11, 2025
    ધાર્મિક

    પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે

    September 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025

    Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી

    September 15, 2025

    Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી

    September 15, 2025

    Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.