Junagadh તા.10
રાજય સરકાર દ્વારા મુસદા રૂપ નવી જંત્રીની જાહેરાત કરાઈ છે તેની સામે વાંધા સૂચનો મંગાવાયા છે. આ નવી જંત્રીમાં 200થી 2000 ટકાનો વધારો અસહ્ય ઝીંકી દેતા જુનાગઢમાં પણ મોટો વિરોધ ઉઠવા પામ્યો છે. નવી જંત્રીના વિરોધમાં ક્રેડાઈ, સિવિલ એન્જીનીયર એસો. અને જુનાગઢ બિલ્ડર્સ એસો. દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
બિલ્ડર્સ લોબીના જણાવ્યા મુજબ આ જંત્રી વધારો 200થી 2000 ટકા વધારાથી મકાનો 40થી 50 ટકા મોંઘા થશે. જેથી લોકોનું પોતાનું ઘરનું સ્વપ્ન સ્વપ્ન જ રહી જશે. સાથે બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ સીધી અસર થશે પરીણામે રાજય સરકારને પણ આર્થીક ફટકો પડી શકે છે.
નવી જંત્રીમાં અનેક સુધારાઓ કરવા જરૂરી છે. કલેકટર અનીલ રાણાવસીયાને આવેદન પત્ર આપતી વખતે જુનાગઢ બિલ્ડર્સ એસો. ક્રેડાઈના પ્રમુખ પુનીત શર્મા ચેરમેન નિલેષ ધૂલેશીયા, સિવિલ એન્જીનીયર એસો.ના પ્રમુખ વિનુ અમીપરા, પ્રોપર્ટી ડિલર્સ એસો.ના કેવલભાઈ ત્રિવેદી વ્યવસાયકારો હાજર રહ્યા હતા.
જંત્રી સુધારો કરવા સિવિલ એન્જીયર વિનુ અમીપરાના જણાવ્યા મુજબ નવી જંત્રી સામે વાંધા ઓનલાઈનના બદલે ઓફલાઈન કરોડ. જંત્રી સુધારા વધારાના સૂચનો 1 માસના બદલે 90 દિવસ એટલે 30 માર્ચ 2025નો સમય આપો. 2011માં સરકારની નવી ગાઈડલાઈન મુજબ પ્રતિ વર્ષે 8 ટકા જંત્રીનો વધારો કરવાનો નિર્ણય કરાયો હતો પરંતુ 2023 સુધી કંઈ જ ન કરાયું બાદ જંત્રીમાં 100 ટકા વધારો કરી જંત્રી સીધી ડબલ કરી દેવામાં આવી અને 2024થી 5 ગણી 8 ગણી કે 10 ગણી કરી દીધી તે સાવ યોગ્ય નથી.
જંત્રીમાં વધારો કરતા ખરીદનારને સ્ટેમ્પ ડયુટી વધી જશે. વેચનાર કેપીટલ ગેઈનથી વિકટીમ ભોગ બનશે સ્ટેમ્પ ડયુટીથી રાજય સરકારની કેપીટલ ગેઈનથી કેન્દ્ર સરકારની આવક વધશે.
રાજયની અંદર આટલો મોટો અસહ્ય વધારો જો આવે તો લોકો પોતાનું મકાન ખરીદી નહીં શકે, પ્લોટ વહેંચી નહી શકે પરીણામે આવડો મોટો બાંધકામને લગતા વ્યવસ્થા બંધ થઈ જાય જેથી સરકારને ટેકની ધારેલી રકમ મળી શકે નહીં. લોકો શ્રમજીવીઓ બેકાર બની જશે એક તરફ નુકશાન થશે નવી જંત્રી 8 ટકા વધારા સાથે મુકવા અમીપરાએ જણાવ્યું છે.
નિલેષ ધુલેશીયા બિલ્ડર્સ એસો.ના પ્રમુખના જણાવ્યા મુજબ જંત્રીમાં કરાયેલા વધારો નોન સાઈન્ટિફિકલી તબલધી છે. બિલ્ડર્સોને એએસઆઈથી લઈને પરચેજ જીએસટી અને ઈન્કમટેક્ષ સુધી અસર થશે. નુકશાન કરીને કોઈ ધંધો ન કરે એટલે પાઘડીનો વળ છેડે આવે તેમ સરવાડે આવે અને મિલ્કત ખરીદનાર પર જ ભાર આવશે. આથી ખરીદનારમાં મોટી બ્રેક આવશે જેથી મંદીની ભીતી ઉભી થશે.
રેરામાં પ્રોપર્ટી કાર્ડ મંગાય છે. પ્રોપર્ટી કાર્ડ કાઢવામાં માત્ર 2નો જ સ્ટાફ હોય કામનું ભારણના કારણે સમયસર પ્રોપર્ટી કાર્ડ મળતા નથી એટલે મંજુરીમાં મુશ્કેલી ઉભી થાય છે. ડીએલઆર, એસએલઆરમાં પણ માપણી સીટ સમયસર ન મળતા બીન ખેતી થઈ શકતું નથી એજ રીતે ટીપીના પ્રશ્ર્નો છે અમે બિલ્ડરો પણ વકાસના ભાગીદાર છીએ તે વાત ધ્યાને લેવાની માંગ નિલેષ ધૂલેશીયાએ કરી છે.