Islamabadતા.22
પહલગામ આતંકી હુમલાની વર્ષગાંઠ પહેલા પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકારે ભારત વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાને પોતાની એરસ્પેસમાં ભારતીય વિમાનો પર લગાવેલો પ્રતિબંધ 24 મે સુધી વધારી દીધો છે.
ગત વર્ષે 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાને એક બીજાના વિમાન માટે પોતપોતાના એરસ્પેસ બંધ કરી દીધા હતા. ગયા વર્ષે 30 એપ્રિલથી પાકિસ્તાની વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી નથી.
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ નોટિસ ટુ એરમેન (NOTAM) માં જણાવ્યું હતું કે, “24 મે, 2026 ના રોજ સવારે 5 વાગ્યા સુધી તમામ ભારતીય-રજિસ્ટર્ડ, લીઝ્ડ, કોમર્શિયલ અને લશ્કરી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.”
આ નોટિસ 24 એપ્રિલના રોજ અગાઉની નોટિસ સમાપ્ત થાય તેના થોડા દિવસો પહેલા જ જારી કરવામાં આવી હતી. પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ લાદવામાં આવ્યાને લગભગ એક વર્ષ થઈ ગયું છે, જેના પરિણામે ભારતીય વિમાનોને વિવિધ આંતરરાષ્ટ્રીય સ્થળોએ જવા માટે લાંબા રૂટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
ભારતે 24 એપ્રિલના રોજ સવારે 530 વાગ્યા સુધી પાકિસ્તાની વિમાનોને તેના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, અને આ પ્રતિબંધ વધુ લંબાવવામાં આવે તેવી શક્યતા છે.

