New Delhi, તા. 9
દેશમાં વધતી જતી મોંઘવારી અને હવે ફરી એક વખત અચ્છે દિન આવી રહ્યા છે તે વચ્ચે હવે સરકારે છુટક ફુગાવાને બદલતી જતી લોકોની જરૂરીયાત અને ખરીદીના સંદર્ભમાં વધુ વાસ્તવિક બનાવવા નિર્ણય લીધો છે અને આ કવાયત દેશના વધુ શહેરો અને ગ્રામ્ય વિસ્તાર સુધી વિસ્તારાશે. કન્ઝયુમર પ્રાઇઝ ઇન્ડેક્ષ એટલે કે સીપીઆઇ એ સૌથી મોટો આંકડો છે જેને રીઝર્વ બેંક પણ વ્યાજદર નકકી કરવા માટે મહત્વનો માને છે અને આ સીપીઆઇ એ દેશમાં મોંઘવારી માટેનો સેન્સેકસ ગણાય છે.
પરંતુ હવે જે રીતે લોકોનો ખાદ્ય તેમજ કપડા સિવાયનો ખર્ચ પણ વધતો જાય છે અને તે તેની આવક ઉપર અસર કરે છે તેમજ બજારના સેન્ટીમેન્ટ પણ તે આધારે બદલે છે તે વચ્ચે કેન્દ્ર સરકારે હવે કુલ 2300 વિસ્તારોમાંથી છુટક ભાવના જે આંકડા લેવાય છે તેના બદલે તેનો વિસ્તાર કરીને 2900 વિસ્તારો સુધી પહોંચાશે નેશનલ સ્ટેટીકલ ઓફિસ કે જે આ કામગીરી કરે છે તે 1114 શહેરી અને 1181 ગ્રામિણ માર્કેટ કે જે 310 પસંદગીના ક્ષેત્રમાં ફેલાયેલી છે.
ત્યારથી દર મહિને આંકડા લે છે આ ઉપરાંત દેશના મોટા 12 શહેરો કે જે મેટ્રો સીટીની વ્યાખ્યામાં આવે છે તેમાં પણ આ આંકડા મેળવીને આખરી ફુગાવાની સ્થિતિ નકકી થાય છે. 2011ના વસ્તી ગણતરીના આંકડા મુજબ આ કામગીરી થતી હતી. પરંતુ એ સમય દરમ્યાન છેલ્લા 15 વર્ષમાં અનેક નવા મોટા શહેરો બન્યા છે. લોકોની આવશ્યકતા બદલી છે ઓફલાઇન માર્કેટની સાથે ઓનલાઇન માર્કેટનું પણ ચલણ વધ્યું છે,
શિક્ષણના માપદંડ બદલાયા છે, લોકોની પસંદગી બદલાઇ છે અને લોકોની આવકમાંથી એક મોટો હિસ્સો એવા ક્ષેત્રમાં ખર્ચાઇ છે કે જેનો આ આંકડામાં નોંધ લેવાતી નથી. તેથી સરકારે હવે તેને વધુ વાસ્તવિકતા બનવા નિર્ણય લીધો છે. જેમાં આગામી સમયમાં સરકાર કુલ 2900 સિલેકટેડ સ્થળો પરના આંકડા મેળવશે.
આ ઉપરાંત ઓનલાઇન માર્કેટના ડેટાને પણ ધ્યાનમાં લેવાશે. દેશમાં ફીઝીકલ માર્કેટમાં રપ ટકા જેવો વધારો થયો છે. જયારે ઓફલાઇન માર્કેટ 40 ટકા જેવી વધી છે. આમ બંને વચ્ચેનું અસંતુલન સતત ચાલી રહ્યું છે અને તેથી જીડીપીના આંકડાને પણ વાસ્તવિકતા બનાવવામાં સફળતા મળતી નથી.