Surendranagar,તા.21
સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો વ્યવસ્થા દિન પ્રતિદિન ધજાગરા બોલાવી રહી છે અને પોલીસ તંત્ર સાવ નિષ્ક્રિય અને માયકાંગડું સાબિત થઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરો બેફામ તેમજ જુગારની હાટડીઓ પણ એટલી હદે ધમધમી રહી છે જિલ્લામાંથી દારૂ પણ એટલો બધો સપ્લાય થઈ રહ્યો છે અને અનેક પ્રવૃત્તિઓએ સુરેન્દ્રનગર શહેરમાં માજા મૂકી છે.
ત્યારે છેલ્લા એકાદ માસમાં ત્રણ દુષ્કર્મની ઘટના બનતા જિલ્લામાં હવે મહિલાઓ અને બહેન દીકરીઓ પણ સલામત નથી એવો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકાનો સર્જાયો છે ત્યારે હજુ થાનગઢ ગામ ખાતે દુષ્કર્મની ઘટનાને હજુ શાહી પણ સુકાઈ નથી અને હજુ પોલીસની કામગીરી પણ નક્કર કરવામાં આવી નથી અને જિલ્લાભરમાં જ્યારે આ બનાવે પણ રોઝ પ્રગટ્યો છે અત્યારે ફરીવાર સુરેન્દ્રનગર જિલ્લા માં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે અને બે વ્યક્તિઓ સામે ફરિયાદ પણ નોંધાય છે.
ત્યારે મુળી તાલુકાના ભેટ ગામ ખાતે ફરીવાર 17 વર્ષની સગીરા ઉપર બે યુવકોએ દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે અને આ અંગે તાત્કાલિક પણે મૂડી પોલીસ તંત્રને જાણકારી મળતા તાત્કાલિક અસર એ ફરિયાદ નોંધે છે સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકાઓમાં હાલમાં યુવાનોના વિસ્તૃત માહિતી અને વિકૃત મગજના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોવાની તજજ્ઞ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
ત્યારે આજકાલ મોબાઈલ નો યુઝ એટલી અદેવો વધી ગયો છે કે આ મોબાઈલ ના યુદ્ધ વધવાના કારણે સગીર વયની બાળાઓ પણ આવી ઘટનાઓનો શિકાર બનતી હોવાનું પણ તજજ્ઞ લોકો જણાવી રહ્યા છે ત્યારે મૂડી તાલુકાના ભેટ ગામ ખાતે આવી ઘટના બની છે અને હજુ તાજેતરમાં થાનગઢમાં અને ધાંગધ્રા રાવળીયાવદર ગામમાં પણ આવી ઘટના સામે આવી છે.
ત્યારે આ એક જ માસમાં દુષ્કર્મની ત્રીજી ઘટના હોવાનું સામે આવ્યું છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર મુળી તાલુકાના ભેટ ગામ ખાતે આવેલ એક કારખાનાની ઓડીમાં 17 વર્ષની સગીરાને લઈ જઈ અને વિરામ અને દશરથ નામના બે યુવાનોએ વારાફરતી યુવતીને શિકાર બનાવી અને દુષ્કર્મ આચાર્ય હોવાની હાલમાં ફરિયાદ નોંધાય છે ત્યારે પીડિત પરિવાર મૂડી પોલીસ મથકે પહોંચતા આ લોકો સામે ફરિયાદ નોંધાય છે.
આ બંને યુવકોને ઝડપી લેવા માટેની પણ હાલમાં મૂડી પોલીસે કામગીરી શરૂ કરી હોવાનું જ જાણવા મળે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં મહિલાઓ ક્યાં સલામત છે એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ માસમાં દુષ્કર્મના ત્રણ બનાવો સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો વ્યવસ્થા સામે અનેક પ્રકારના સવાલો હાલમાં ઉત્પન્ન થઈ રહ્યા છે.
સુરેન્દ્રનગરની શહેરી જનતા તો સલામત નથી પરંતુ હવે બહેન દીકરી અને મહિલાઓ પણ સલામત ન હોવાની ઘટનાઓ દિન પ્રતિદિન સૌથી વધુ સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જાહેર તેમજ જિલ્લા અને તાલુકામાં અથવા કોઈ છેડતીના બનાવતો અનેક અને દરરોજ બનતા રહે છે પરંતુ એની કોઈ ફરિયાદ નોંધાતી ન હોવાના કારણે પોલીસ બે ખબર રહે છે.
ત્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પોલીસ કેટલી જાગતી રહે છે તે પણ એક ચર્ચાનો વિષય સાબિત થઈ રહ્યો છે ત્યારે હાલમાં દુષ્કર્મ ની ઘટનામાં આગળની વધુ તપાસ મૂડી પોલીસ ચલાવી રહી હોવાનું જાણવા મળે છે.