ગ્રેહાઉન્ડ્સે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન માઓવાદીનો જૂથ જોયો હતો અને તેમને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો
Hyderabad, તા.૨
તેલંગાણાના મુલુગુ જિલ્લામાં રવિવારે સવારે સુરક્ષાદળો સાથેની અથડામણ દરમિયાન ટોચના કમાન્ડર સહિત ૭ માઓવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું કે, સવારે ૫ઃ૩૦ વાગ્યાની આસપાસ માઓવાદીઓ અને સ્પેશિયલ એન્ટિ-નક્સલ ફોર્સ ગ્રેહાઉન્ડ્સ ફોર્સ વચ્ચે ચાલપાકાના જંગલોમાં અથડામણ થઈ હતી. ગ્રેહાઉન્ડ્સે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન માઓવાદીનો જૂથ જોયો હતો અને તેમને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, તેઓએ ગોળીબાર કર્યો, જેના બદલામાં સુરક્ષાદળોએ વળતો ગોળીબાર કરવાની ફરજ પડી હતી.ભદ્્રુ ઉર્ફે કુરસમ મંગુ ઉર્ફે પપન્ના (૩૫) સીપીઆઈ (માઓવાદી)ના યેલાન્ડુ-નરસામ્પેટ વિસ્તાર સમિતિના કમાન્ડર અને તેની તેલંગાણા રાજ્ય સમિતિના સભ્ય પણ માર્યા ગયેલા લોકોમાં સામેલ હતા. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અન્ય છ માઓવાદીઓની ઓળખ ઈગોલાપુ મલ્લૈયા (૪૩), મુસાકી દેવલ (૨૨), મુસાકી જમુના (૨૩), જય સિંહ (૨૫), કિશોર (૨૨) અને કામેશ (૨૩) તરીકે કરવામાં આવી હતી. તેઓ છદ્ભ-૪૭, ય્૩ અને રાઈફલ્સ ઉપરાંત અન્ય શસ્ત્રો અને વિસ્ફોટકોથી સજ્જ હતા, જે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.આ પ્રદેશમાં પોતાની પ્રવૃત્તિઓને પુનઃસંગઠિત કરવા અને પુનર્જીવિત કરવાના પ્રયાસો વચ્ચે તાજેતરના વર્ષોમાં મુલુગુમાં આ પ્રથમ મોટું માઓવાદી એન્કાઉન્ટર છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કેક માઓવાદી ગ્રુપ રાજ્યમાં હિંસક ગતિવિધિઓ કરવાની યોજના બનાવી રહ્યું હતું. ગુપ્ત માહિતીના આધારે પોલીસને તેમનું લોકેશન મળ્યું અને ત્યારબાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.