મોટર વ્હિકલ એક્ટ હેઠળ ભોગ બનનારા પરિવારજનોને વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે
Vadodara, તા.૧૩
વડોદરામાં હરણી બોટકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે,જેમા ૧૫ આરોપીઓની બિનતહોમત છૂટવા કોર્ટમાં અરજી કરી છે,બોટકાંડમાં મોટો રોલ ન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે,તો આ સમગ્ર કેસમાં ૨૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.અરજી કરનાર મોટા ભાગે ૫ થી ૧૦ ટકાના ભાગીદાર હોવાની વાત સામે આવી છે,બોટકાંડમાં હજુ કોર્ટમાં બંને પક્ષની દલીલો બાકી છે અને કોર્ટમાં અરજીઓ હજુ ન્યાય માટે પેન્ડિંગ છે,ત્યારે કોર્ટ શું નિર્ણય લે શે તેની પર સૌ કોઈની નજર છે.વળતરની રકમ જેમના પર આરોપ છે તેવા કોટિયા પ્રોજેક્ટના માલિકોને ચૂકવવામાં આદેશ કરાયો છે. તેમજ હાઇકોર્ટે આ માટે વડોદરા કલેક્ટરને હરણી બોટ કાંડનો ભોગ બનેલા પીડિતોની તમામ વિગતો રજુ કરવા આદેશ કરાયો હતો. મોટર વ્હિકલ એક્ટ હેઠળ પરિવારજનોને વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં પીડિતોની વિગત મળ્યા બાદ વળતરની રકમ કલેક્ટર દ્વારા નક્કી કરવામાં આવશે. તેમજ આગામી સુનાવણી ૮ આઠવીડિયા બાદ હાથ ધરવામાં આવશે.પીડીતોને મોટર વ્હીકલ એક્ટ મુજબ વળતરની ગણતરી કરવાની રહેશે આ બાબતે પીડિતોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પોતાની રજૂઆત કરવાની રહેશે અને સત્તા મંડળ દ્વારા વકીલ મારફતે નિયુક્ત અધિકારી સમક્ષ દરખાસ્ત કરવામાં આવશેવડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેંચ સમક્ષ સુઓમોટો પિટિશન ઉપર વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પર્યટન પ્રવૃત્તિ વધી છે. સરકારે ૧૯ ફેબ્રુઆરીએ ઠરાવ કરીને લોકોની સલામતી માટે એક હાઇ લેવલ કમિટીની રચના કરી હતી. જે ઈનલેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે લીગલ ળેમવર્ક, સર્ટિફિકેટ આપવાના નિયમો અને નિયમોના અમલીકરણ કરવા ઉપર કાર્ય કરશે.