Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ

    June 18, 2025

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025

    India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ
    • Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?
    • India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા
    • 14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં
    • Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ
    • દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ
    • IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે
    • મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»ઇશ્વર ક્યાં રહે છે?
    લેખ

    ઇશ્વર ક્યાં રહે છે?

    Vikram RavalBy Vikram RavalMarch 20, 2025Updated:March 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એકવાર સર્વશક્તિમાન સૃષ્ટિ નિર્માતા પરમપિતા પરમેશ્વર ઇશ્વર ઘણી જ દુવિધામાં પડી ગયા કે મનુષ્ય જ્યારે પણ કોઇ મુસીબતમાં પડી જાય છે તો દોડીને તરત જ મારી પાસે આવીને પોતાની પરેશાની બતાવવા આવી જાય છે અને કંઇને કંઇ માંગવા લાગે છે.આ સમસ્યાના નિવારણ માટે તમામ દેવતાઓની બેઠક બોલાવી અને કહ્યું કે મનુષ્યની રચના કરીને મુસીબતમાં પડી ગયો છું.દરેક મનુષ્યને તેના કર્માનુસાર સર્વકંઇ આપવા છતાં કોઇને કોઇ મનુષ્ય દરેક સમયે ફરીયાદ લઇને આવે છે જેનાથી મારી તપસ્યામાં વિઘ્ન આવે છે.મને એવું સ્થાન બતાવો કે જ્યાં મનુષ્ય નામનું પ્રાણી ત્યાં આવી ના શકે.

    પરમેશ્વરના વિચારોનું સન્માન કરતાં દેવતાઓએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે પ્રભુ ! આપ હિમાલય પર્વતની ટોચ ઉપર ચાલ્યા જાઓ.ત્યારે પ્રભુએ કહ્યું કે આ સ્થાન મનુષ્ય પહોંચની અંદર છે,તેને ત્યાં પહોંચતાં વધુ સમય નહી લાગે.એક દેવતાએ સલાહ આપી કે આપ સમુદ્રમાં છુપાઇ જાઓ.પ્રભુએ ના પાડી અને કહ્યું કે મનુષ્ય પાણીમાં છલાંગ લગાવવાનું અને શોધવાનું શીખી લેશે.કેટલાકે મંતવ્ય આપ્યું કે આપ અંતરિક્ષમાં ચાલ્યા જાઓ ત્યારે પ્રભુએ કહ્યું કે એક દિવસ મનુષ્ય ત્યાં પણ પહોંચી જશે.પ્રભુ નિરાશ થઇને મનોમન વિચારે છે કે શું એવું કોઇ સ્થાન નહી હોય કે જ્યાં હું શાંતિપૂર્વક રહી શકું?

    છેલ્લે એક દેવતાએ કહ્યું કે પ્રભુ ! આપ મનુષ્યના હ્રદયમાં બેસી જાઓ.મનુષ્ય અનેક સ્થાન ઉપર આપને શોધવામાં લાગેલો રહેશે પણ પોતાના હ્રદયમાં ક્યારેય શોધ નહી કરે.ભગવાનને આ સલાહ પસંદ આવી અને પ્રભુએ મનુષ્યના હ્રદયને પોતાનું નિવાસ બનાવ્યું.તે દિવસથી મનુષ્ય પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે ઇશ્વરને ઉપર-નીચે આકાશ-પાતાળમાં શોધી રહ્યો હતો પરંતુ તેને પ્રભુ મળી રહ્યા નથી તેમછતાં મનુષ્ય ક્યારેય પોતાની અંદર હ્રદયરૂપી મંદિરમાં બેઠેલા ઇશ્વરનો અનુભવ કરતો નથી.અરે ભાઇ ! ઇશ્વર તો અમારી સ્થિત છે અને અમારી દરેક ગતિવિધિને જોઇ રહ્યા છે.અમારે ફક્ત રાગ-દ્વેષ ઘૃણા વૈમનસ્ય ક્રોધ ઉપેક્ષા ઇર્ષા અહંકાર અસહિષ્ણુતા હિંસા વગેરે ખરાબીઓને છોડીને પોતાની અંદર ઇશ્વરને જોવાની જરૂર છે.નિર્મળ મનથી જ ઇશ્વરની અનુભૂતિ કરી શકાય છે.ઇશ્વરને પ્રેમ જોઇએ,તે તો પ્રેમના ભૂખ્યા છે.જો વ્યક્તિ છળ-કપળ રાખીને ઇશ્વરને પ્રાપ્ત કરવા ઇચ્છે છે તે ક્યારેય સંભવ નથી.

    ઇશ્વર પોતાના અંશ સ્વરૂ૫ આત્માના રૂ૫માં પ્રાણીમાત્રના હ્રદયપ્રદેશમાં વિરાજમાન છે.ઇશ્વર સમહ્રદય છે.જેવી રીતે પૃથ્વીમાં બધી જગ્યાએ જળ હોવા છતાં પણ જ્યાં કૂવો હોય છે ત્યાંથી જ જળ પ્રાપ્ત થાય છે એવી જ રીતે પરમાત્મા બધી જગ્યાએ સમાનરૂપે વ્યાપ્ત હોવાછતાં પણ હ્રદયમાં પ્રાપ્ત થાય છે.

    આલેખનઃ

    વિનોદભાઇ માછી નિરંકારી

    નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025
    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025
    લેખ

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025
    ધાર્મિક

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025
    ધાર્મિક

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025
    લેખ

    તંત્રી લેખ…વિમાન દુર્ઘટના ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ ત્રણ મહિનામાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે

    June 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ

    June 18, 2025

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025

    India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા

    June 18, 2025

    14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં

    June 18, 2025

    Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ

    June 18, 2025

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ

    June 18, 2025

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025

    India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.