Bhavnagar,તા.28
ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકની મોત નિપજ્યું હતું.જ્યારે અને એક વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડાયો ખસેડવામાં આવ્યો હતો.
ઉમરાળા તાલુકાના ધોળા ગામના વતની અને હાલ ધંધૂકાના છારોડીયા રહેતા જયદીપસિંહ હરદેવસિંહ ગોહિલ અને શ્રમિક આસમહમદ હિંમતખાન મોટરસાયકલ નંબર જીજે-૩૮-એજી-૫૩૧૨ લઈને ધોળી ગામ પાસે આવેલ છારોડીયા નજીક આવેલ પ્લાન્ટ પર જવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન ધંધુકા-બગોદરા હાઈવે પર પાછળથી આવી રહેલ કાર નંબર જીજે-૨૧-એમ-૯૭૪૨ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બન્ને બાઇક સવારને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આસમહમદ હિંમતખાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે જયદીપસિંહએ કાર ચાલક વિરૃધ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

