મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે આ કથિત છેતરપિંડીના કેસને હવે મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોકલી આપ્યો છે
New Delhi, તા.૧૩
પંજાબ નેશનલ બૅન્ક (CBI) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના કેસમાં એક મહત્ત્વનો વળાંક આવ્યો છે. મુંબઈની સ્પેશિયલ ઝ્રમ્ૈં કોર્ટે આ કથિત છેતરપિંડીના કેસને હવે મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોકલી આપ્યો છે.
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એ છે કે, CBIને તપાસ દરમિયાન પંજાબ નેશનલ બૅન્કના અધિકારીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ(ભ્રષ્ટાચાર નિવારણ કાયદો) હેઠળ ભ્રષ્ટાચારના કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી. ફરિયાદના આધારે શરૂ થયેલા આ કેસમાં નીરવ મોદીની કંપનીઓ પર આરોપ હતો કે તેણે સર્ક્યુલર ટ્રાન્ઝેક્શન કરીને ૩૨૧.૮૮ કરોડ રૂપિયાની ક્રેડિટ સુવિધાઓનો ખોટો ઉપયોગ કર્યો હતો. હવે ભ્રષ્ટાચારના પુરાવા ન હોવાથી આ કેસ સામાન્ય છેતરપિંડીના કેસ તરીકે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલશે.
કેસમાંથી ભ્રષ્ટાચારના આરોપો હટી જતાં હવે તેની આખી કાનૂની દિશા બદલાઈ ગઈ છે. હવે સરકારી બૅન્કના કોઈ અધિકારી આમાં સંડોવાયેલા ન હોવાથી, ઝ્રમ્ૈં માત્ર ખાનગી વ્યક્તિઓ વિરુદ્ધ જ ચાર્જશીટ દાખલ કરશે.
આ ફેરફારના કારણે આ કેસ હવે સ્પેશિયલ CBIકોર્ટના અધિકારક્ષેત્રમાં રહેતો નથી, જેથી તેની સુનાવણી સામાન્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં કરવામાં આવશે. મેજિસ્ટ્રેટ કોર્ટ સામાન્ય રીતે એવા જ કેસો સંભાળે છે જેમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદા જેવી વિશેષ કલમો ન હોય. આ પ્રક્રિયા દર્શાવે છે કે પુરાવાઓનો અભાવ કેવી રીતે હાઇ-પ્રોફાઇલ નાણાકીય કૌભાંડોની કાનૂની દિશા બદલી નાખે છે.
CBIતરફથી હાજર રહેલા પબ્લિક પ્રોસિક્યુટર વિક્રમ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે, સઘન તપાસ છતાં બૅન્ક અધિકારીઓ કે ખાનગી વ્યક્તિઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી. જો કે, પ્રોસિક્યુશનનું માનવું છે કે ખાનગી પક્ષો વિરુદ્ધ કાર્યવાહી આગળ વધારવા માટે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીના બાકીના આરોપો પૂરતા છે. CBIની આ વ્યૂહરચના દર્શાવે છે કે તેઓ હવે એવા આરોપો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેના મજબૂત પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ૩૨૧.૮૮ કરોડ રૂપિયાનો ફ્રોડ કેસ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સાથે જોડાયેલા દેશના સૌથી મોટા ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના ઁદ્ગમ્ કૌભાંડનો જ એક ભાગ છે. આ બંને પર લેટર્સ ઑફ અંડરટેકિંગ (ર્ન્ેંજ) અને ફોરેન લેટર્સ ઑફ ક્રેડિટનો ઉપયોગ કરીને નાણાંની હેરાફેરી કરવાનો આરોપ છે. હાલમાં બંને આરોપીઓ વિદેશમાં પ્રત્યાર્પણની કાનૂની લડાઈ લડી રહ્યા છે, જેમાં ચોક્સી બેલ્જિયમમાં અને નીરવ મોદી યુકે)માં છે. આ નિર્ણયથી ભલે તાત્કાલિક કેસ મર્યાદિત થયો હોય, પરંતુ મુખ્ય કૌભાંડની તપાસ હજુ પણ વિવિધ એજન્સીઓ દ્વારા ચાલુ છે.

