Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhakitnagar-Kotharia-Aji Dam ના 45 સોસાયટી વિસ્તારોમાં અશાંતધારો લંબાવાયો

    June 26, 2026

    મહોરમ પર્વ : કલાત્મક તાજીયાના વિરાટ ઝુલુસમાં કોમી એકતાના દર્શન

    June 26, 2026

    Saurashtra University ના પત્રકારત્વ ભવનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

    June 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhakitnagar-Kotharia-Aji Dam ના 45 સોસાયટી વિસ્તારોમાં અશાંતધારો લંબાવાયો
    • મહોરમ પર્વ : કલાત્મક તાજીયાના વિરાટ ઝુલુસમાં કોમી એકતાના દર્શન
    • Saurashtra University ના પત્રકારત્વ ભવનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
    • Surendranagar: મિલન સિનેમા નજીક ઇલેક્ટ્રીક ટીસીમાં આગ લાગી
    • Surendranagar: જિલ્લા પંચાયતની સમિતિઓ જાહેર
    • Surendranagar: મહોરમ-તાજીયાના તહેવારને લઈને ટ્રાફિક રૂટ ડાયવર્ઝન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
    • Surendranagar: ધ્રાંગધ્રા પોલીસે પ્રોહીબિશન ડ્રાઇવ યોજી : પાંચ શખ્સો સામે ગુનો દાખલ
    • Surendranagar: વધુ એક વિકાસના કામમાં કૌભાંડ આવ્યું સામે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: મહોરમ-તાજીયાના તહેવારને લઈને ટ્રાફિક રૂટ ડાયવર્ઝન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
    સૌરાષ્ટ્ર

    Surendranagar: મહોરમ-તાજીયાના તહેવારને લઈને ટ્રાફિક રૂટ ડાયવર્ઝન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar તા.26
    તા.26 અને 27 જૂન 2026ના રોજ મહોરમ-તાજીયાનો તહેવાર મનાવવામાં આવનાર છે. આ તહેવાર અંતર્ગત સુરેન્દ્રનગર શહેરના સીટી `એ’, સીટી `બી’ તથા જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 28 જેટલા તાજીયાઓનું ઝુલુસ ટાવર, ટાંકી ચોક, જવાહર ચોક, જેલચોક, કોર્ટ અને કલેકટર કચેરીથી ટાવર સુધીના રૂટ પર પરંપરાગત રીતે નીકળનાર છે.

    આ ધાર્મિક પ્રસંગે આશરે 6000 થી 8000 જેટલા લોકો એકત્રિત થવાની સંભાવના રહેલી છે. જેને પગલે સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રૂપે જળવાઈ રહે અને કોઈ આકસ્મિક બનાવ ન બને તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વી.ડી. સાકરીયા દ્વારા એક જાહેરનામું બહાર પાડીને તાજીયાના રૂટ પર વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.

    આ આદેશ તા.26/06ના રોજ સાંજે 16 થી રાત્રે 24 કલાક સુધી તથા તા.27/06ના રોજ બપોરે 12 થી રાત્રે 24 કલાક સુધી અમલી રહેશે. જાહેરનામા અનુસાર, મોટા વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે અંતર્ગત ધ્રાંગધ્રા તરફથી આવીને રાજકોટ તરફ જવા માંગતા મોટા વાહનોએ બહુચર હોટલથી ઓવરબ્રીજ થઈ, આંબેડકર ચોકથી રિવરફ્રન્ટ રોડ પર થઈને ન્યુ સર્કીટ હાઉસ પાસેથી રાજકોટ હાઇવે તરફ જવાનું રહેશે.

    તેવી જ રીતે રાજકોટ તરફથી આવીને ધ્રાંગધ્રા તરફ જતા મોટા વાહનો માટે સર્કીટ હાઉસથી જિલ્લા પંચાયત ત્રણ રસ્તા, રિવરફ્રન્ટ થઈ વાળીનાથ સર્કલ અને આંબેડકર ચોકથી ઓવરબ્રીજ થઈને બહુચર હોટલથી ધ્રાંગધ્રા તરફ જવાનો રૂટ નક્કી કરાયો છે.

    નાના વાહનો માટે પણ ડાયવર્ઝનની વિગતવાર વ્યવસ્થા કરવામાં આવી છે. દુધરેજ તરફથી આવી જોરાવરનગર કે રતનપર જવા માંગતા નાના વાહનો બહુચર હોટલથી જે.પી.બેગ ત્રણ રસ્તા, એન.ટી.એમ સર્કલ, પતરાવાળી ચોક થઈ પરશુરામ સર્કલથી રેલ્વે અંડરબ્રીજ થઈને આંબેડકર ચોકથી રિવરફ્રન્ટ તરફ જઈ શકશે.

    જ્યારે જોરાવરનગર અને રતનપરથી દુધરેજ તરફ આવતા નાના વાહનો માટે રિવરફ્રન્ટથી આંબેડકર ચોક ઓવરબ્રીજ થઈ બહુચર હોટલ થઈને દુધરેજ રોડ તરફ જવાનો માર્ગ ખુલ્લો રહેશે.

    આ જાહેરનામાના સુચારૂ અમલ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને સંસ્થાઓને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. મહાનગરપાલિકાને સંબંધિત રૂટો પર જરૂરી સાઇનબોર્ડ, બેરીકેટ્સ લગાવવા તેમજ રસ્તાની મરામત કરવા જણાવાયું છે. આ ઉપરાંત, તાજીયાના રૂટ પર નીચા કે લટકતા વીજ વાયરો તેમજ નમી ગયેલા વીજ પોલને તાત્કાલિક અસરથી દૂર કરવા પી.જી.વી.સી.એલ. ને આદેશ અપાયો છે.

    આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ભંગ કરવામાં મદદગારી કરનાર તમામ ઈસમો વિરૂદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ શિક્ષાત્મક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

     

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: મિલન સિનેમા નજીક ઇલેક્ટ્રીક ટીસીમાં આગ લાગી

    June 26, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: જિલ્લા પંચાયતની સમિતિઓ જાહેર

    June 26, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ધ્રાંગધ્રા પોલીસે પ્રોહીબિશન ડ્રાઇવ યોજી : પાંચ શખ્સો સામે ગુનો દાખલ

    June 26, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: વધુ એક વિકાસના કામમાં કૌભાંડ આવ્યું સામે

    June 26, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: વિઠલાપરા વિરમગામ રોડ ઉપર ત્રીપલ અકસ્માતમાં આધેડનું મોત

    June 26, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: તરણેતર પાસેથી ગેરકાયદેસર ખનીજ ભરેલું ડમ્પર ઝડપાયું

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhakitnagar-Kotharia-Aji Dam ના 45 સોસાયટી વિસ્તારોમાં અશાંતધારો લંબાવાયો

    June 26, 2026

    મહોરમ પર્વ : કલાત્મક તાજીયાના વિરાટ ઝુલુસમાં કોમી એકતાના દર્શન

    June 26, 2026

    Saurashtra University ના પત્રકારત્વ ભવનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

    June 26, 2026

    Surendranagar: મિલન સિનેમા નજીક ઇલેક્ટ્રીક ટીસીમાં આગ લાગી

    June 26, 2026

    Surendranagar: જિલ્લા પંચાયતની સમિતિઓ જાહેર

    June 26, 2026

    Surendranagar: ધ્રાંગધ્રા પોલીસે પ્રોહીબિશન ડ્રાઇવ યોજી : પાંચ શખ્સો સામે ગુનો દાખલ

    June 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhakitnagar-Kotharia-Aji Dam ના 45 સોસાયટી વિસ્તારોમાં અશાંતધારો લંબાવાયો

    June 26, 2026

    મહોરમ પર્વ : કલાત્મક તાજીયાના વિરાટ ઝુલુસમાં કોમી એકતાના દર્શન

    June 26, 2026

    Saurashtra University ના પત્રકારત્વ ભવનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

    June 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.