તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે, અર્જુન દેવ પોતાની મૂળ જવાબદારી સંભાળવાને બદલે ટ્રસ્ટના અન્ય કામોમાં વધુ એક્ટિવ રહેતા હતા
Ayodhya, તા.૨૭
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરી મામલે એક મોટો ખુલાસો થયો છે. આ સમગ્ર કાંડની તપાસ કરી રહેલી જીૈં્એ પોતાના રિપોર્ટમાં ઝ્રઝ્ર્ફ કંટ્રોલ રૂમની દેખરેખ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ચોરીના આ કેસમાં હવે પોલીસના વાયરલેસ ડિપાર્ટમેન્ટના અધિકારી અર્જુન દેવ પણ સીધા તપાસના ઘેરામાં આવી ગયા છે. વાસ્તવમાં જે રૂમમાં નોટોની ગણતરી થતી હતી, ત્યાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરા દ્વારા નજર રાખવાની મુખ્ય જવાબદારી આ જ અધિકારી પાસે હતી. આ ખુલાસા બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થા ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.
તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે, અર્જુન દેવ પોતાની મૂળ જવાબદારી સંભાળવાને બદલે ટ્રસ્ટના અન્ય કામોમાં જરૂર કરતાં વધુ એક્ટિવ રહેતા હતા. મંદિર પરિસરની અંદર ફફૈંઁ લોકોને દર્શન કરાવવાથી લઈને સમગ્ર મેનેજમેન્ટ સુધીના કામોમાં તેમની સીધી દખલગીરી હતી. રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવની જેમ જ અર્જુન દેવની આ ભૂમિકાએ હવે તપાસ ટીમની શંકા પ્રબળ બનાવી દીધી છે. જીૈં્ રિપોર્ટ પ્રમાણે આટલી મોટી સુરક્ષા ચૂક પાછળ આ લોકોની બેદરકારી એક મોટું કારણ રહી છે.
આ મામલાનું સૌથી ચોંકાવનારું પાસું એ છે કે અર્જુન દેવ વર્ષ ૨૦૦૯થી, એટલે કે છેલ્લા ૧૭ વર્ષથી અયોધ્યામાં જ તહેનાત છે. આ લાંબા સમયગાળા દરમિયાન કેટલીય વખત તેમના ટ્રાન્સફર ઓર્ડર જાહેર થયા, પરંતુ દરેક વખતે તેઓ તેને રોકાવવામાં સફળ રહ્યા હતા. તાજેતરમાં જ લખનઉથી જાહેર થયેલી તેમની બદલી પણ આ જ કારણે રદ થઈ ગઈ હતી.
તપાસમાં સામે આવ્યું છે કે ચંપત રાય સહિત ટ્રસ્ટના અનેક પદાધિકારીઓ સાથે અર્જુન દેવના ખૂબ જ નજીકના સંબંધો છે. આ ઊંચી પહોંચ અને મોટા કનેક્શનના કારણે જ તેમનું ટ્રાન્સફર વારંવાર અટકી જતું હતું. હવે જીૈં્એ પોતાના રિપોર્ટમાં આ બાબતે સખત વાંધો ઉઠાવ્યો છે કે સુરક્ષા સાથે જોડાયેલા મહત્વના પદો પર બેઠેલા લોકોની જરૂર કરતાં વધુ દખલગીરી જ આ મોટી ચોરીનું મુખ્ય કારણ બની છે.
હાલમાં રિપોર્ટમાં કેટલાય સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આગળની કાર્યવાહી તપાસ એજન્સીઓ અને સંબંધિત અધિકારીઓના નિર્ણય પર નિર્ભર રહેશે.

