જાગનાથપરામાં માસિયાઈ બહેનને હેરાનગતિના મુદે ઠપકો આપતા યુવકને માર માર્યો તો
Rajkot,તા.30
શહેરમાં જાગનાથપરામાં માસિયાઈ બહેનને હેરાનગતિ કરવા મુદે ઠપકો આપતા યુવાન ઉપર હુમલો કરવાના કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરતો કોર્ટેએ હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટમાં જાગનાથપરા વિસ્તારમાં રહેતા હાર્દિકકુમાર મહેતાના માસીની દીકરીને હેરાન કરવા મુદ્દે હાર્દિકકુમાર મહેતાએ ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખી હાર્દિક જયેશભાઈ વોરા, પારસ કિશોરભાઈ અંજારિયા, ઉજવલ કિરણભાઈ જોશી અને વિશ્વજીતસિંહ વિક્રમસિંહ જાડેજાએ લાકડી, હોકી અને બેટ વડે માર મારી ફેક્ચર જેવી ઈજા પહોંચાડી હતી જે અંગે હાર્દિકકુમાર મહેતાએ પ્ર.નગર પોલીસ મથકમાં ચારેય હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી જે કેસમાં આરોપી વિરુદ્ધ તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યુ હતું. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ આરોપીઓના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે. આરોપીઓ વતી યુવા એડવોકેટ મહેન એમ. ગોંડલીયા, યોગેશભાઈ જોલાપરા અને રવિન એન. સોલંકી રોકાયા હતા.

