શહેનાઝબેને ચારિત્ર્ય બાબતે બોલવાની ના પાડતા હુમલો કરી પતિ નાસી ગયો
Rajkot,તા.30
શહેરના જંગલેશ્વર પંધી સોસાયટીમાં પતિએ ચારિત્ર્ય પર શંકા કરી પત્ની પર છરીથી હુમલો દેતાં ચકચાર મચી જવા પામી છે, તેણી લોહીલુહાણ થઈ જતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જંગલેશ્વર ગાંધી સોસાયટી-૨ ડીલક્સ પાનવળી શેરીમાં રહેતાં શહેનાઝબેન મોઇનભાઈ ગોગદા (ઉ.વ.૩૦)ના પતિ મોઇન મુસાફભાઈ ગોગદા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે. હુમલામાં ઘાયલ શહેનાઝબેને ફરિયાદમાં જણાવ્યું છે કે આજે સવારે હું અને મારા સાસુ હમીદાબેન તથા પતિ મોઈન ઘરે હતાં ત્યારે હું વૈશીંગ મશીનમાં કપડા નાંખીને હોલમાં સોફા પર બેઠી હતી ત્યારે ૯:૩૦ વાગ્યે પતિએ મારા ચારિત્ર્ય બાબતે શંકા કરી બેલાચાલી કરી હતી. મેં તેને આડુ અવળુ બોલવાની ના પડતાં તેણે ઉશ્કેરાઈ હાથમાં રેહલી છરીથી હુમલો કરી મને આડેધડ ઘા માર્યો હતો અને પોતે હુમલો કરીને તે ભાગી ગયો હતો.
ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં તેમની સાસુ અને જેઠાણીએ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. પતિએ મારા ચારિત્ર્ય પર ખોટી શંકા કરી જેમતેમ બોલતાં તેને એવું બોલવની ના પડતાં ઉશ્કેરાઈ જઈ છરીથી હુમલો કરી ઇજાએ પહોંચાડી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇજાગ્રસ્તના પતિ ચિકનની દુકાન ચલાવે છે તેમણે સંતાનમાં એક દીકરી છે. શહેનાઝબેને કહેતાં પીઆઈ જે.ડી.પરમારની રાહબરીમાં પઐસઆઈ વી. એલ. રાઠોડ, નિલેષભાઈ મકવાણા સહિતે ગુનો દાખલ કરાવી વિશેષ તપાસ હાથ ધરી છે.

