Rajkot, તા.૨૨
વર્તમાન સમયમાં સમાજની અંદર અભ્યાસનું મહત્વ ખુબ વધતુ જાય છે અને એમાં પણ ધોરણ ૧૨ સાયન્સમાં બાળક હોય તો બાળક તથા તેમના માં-બાપ પણ પરીક્ષાને લઈને સતત તણાવમાં રહેતા હોય છે. જેના લીધે છેલ્લી ઘડીએ બાળકો હિંમત હારી જાય છે અને પોતાનુ લક્ષ્ય હાંસલ કરી શકતા નથી. સમાજના આવા જ સર્વે ભાઈઓ તથા બહેનોને ઘ્યાનમાં રાખીને હરહંમેશ સેવાર્થે અગ્રેસર રહેતુ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આ વખતે પણ ધોરણ-૧૨ સાયન્સના એ-ગ્રુપના વિદ્યાર્થીઓ કે જેઓ ૨૦૨૪ ની જાન્યુઆરી જી.મેઈનની તૈયાર કરતા હોય તેમના માટે ટાર્ગેટ ૯૯ પર્સન્ટાઈલ નામનો એક રેન્ક બુસ્ટર પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે. સમાજ પ્રત્યે પોતાનુ ઉત્તરયાદિત્વ સમજીને ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આ પ્રોગ્રામ સર્વ સમાજના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ચલાવવામાં આવશે.
રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે ટાર્ગેટ ૯૯ પર્સન્ટાઈલ કાર્યક્રમ હેઠળ સમગ્ર દેશના શ્રેષ્ઠ ફેકલ્ટીઝ દ્વારા કે જેમની કોર ટીમમાં પ્રો.સુનિલ શર્મા પ્રો.અંકિત અગ્રવાલ પ્રો.મોહરસિંઘ, પ્રો.સુનિલ રાણા દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમ હેઠળ કોર ટીમ દ્વારા તૈયાર કરાયેલ ૪૫ દિવસના સચોટ રિવિઝન પ્લાન કે જેમાં ૪૫ દિવસનુ દિવસવીસ પ્લાનિંગ કે જેમાં લેક્ચર, પ્રેક્ટિસ કલાસ, ટેસ્ટ સીરીઝ, હોમ વર્ક ટ્રેકિંગની સાથે માતા-પિતાને નિયમિત ફોલો-અપ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વહેલા તે પહેલાના ધોરણે વિદ્યાર્થીઓનુ રજીસ્ટ્રેશન કરીને તેમની પસંદગી કરવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં.૭૦૬૯૯ ૨૯૨૯૫ પર સંપર્ક કરવો.