Rajkot, તા.૨૨
કવોલીટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને નેશનલ કમિશન ઓફ હોમિયોપેથી તરફથી એ+ગ્રેડ મેળવનાર સૌરાષ્ટ્રના યુનિવર્સિટીની એકમાત્ર કોલેજ એલ.આર.શાહ હોમિયોપેથી કોલેજે ઈતિહાસ રચ્યો રહયો છે. ભારતભરની આશરે ૨૮૦ કોલેજમાં થોડા સમય પહેલા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તથા નેશનલ કમિશન ઓફ હોમિયોપેથી તરફથી એક ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતુ. જેમાંથી ભારતભરની માત્ર ૪૩ કોલેજને એ-પ્લસ ગ્રેડ મળેલ છે અને અખા ગુજરાતમાં ૪૬ કોલેજ હોમીયોપેથીની છે. જેમાંથી માત્ર દસ કોલેજને આ એ-પ્લસ ગ્રેડ મળેલ છે. ત્યારે રાજકોટની એકમાત્ર એલ.આર.શાહ હોમીઓપેથી કોલેજ એ-પ્લસ પ્રાપ્ત કરી શિક્ષણ ક્ષેત્રે રાજકોટનુ નામ રોશન કર્યુ છે.
આ એ-પ્લસ ગ્રેડ મેળવવા માટે ઘણા બધા માપદંડમાંથી પસાર થવુ પડે છે. જેવા કે વિદ્યાર્થીઓને એડમિશન લેવા માટેની પૂર્તિ યોગ્યતા છે કે કેમ? તથા નીટની પરીક્ષામાં ગોગ્ય માર્કસ મેળવેલ છે નહીં? વિદ્યાર્થીઓનુ એડીમશન કમિટી દ્વારા થયેલ છે નહીં તે પણ ઈન્ફેકશનનો એક ભાગ છે. કોલેજમાં પૂરતો સ્ટાફ હોવો, રોજ પૂરતા પ્રમાણમાં લેક્ચર લેવા, સ્ટુડન્ટને પૂરતા પ્રમાણમાં લેબોરેટરીનુ અને હોસ્પિટલનુ જ્ઞાન મળી રહે તથા જુદા જુદા રોગોના દર્દીઓ તપાસતા શીખવવામાં આવે તથા હોસ્પિટલમાં સાફ સફાઈ, પૂરતા પ્રમાણમાં ચોખ્ખાઈ કેવી રીતે રાખવામાં આવે અને તેના દ્વારા રોગને કેવી રીતે રોકવામાં આવે તેની પણ સમજણ આપવામાં આવે છે.
એલ.આર.શાહ હોમિયોપેથીનો આભાર વ્યકત કરે છે. ટી.વી.મહેતા ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન ડી.વી.મહેતા તથા ગાર્ડી વિદ્યાર્થી મેનેજીંગ ડાયરેકટર જયભાઈ મહેતા દ્વારા કોલેજને આ સફળતા પ્રાપ્ત કરવા બદલ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.