Jetpur,તા.18
જેતપુરમાં એક યુવક પર લાકડાના પાટિયાથી હુમલો થયાની ઘટના સામે આવી છે. સરકારી જમીન પર ખડકી દેવાયેલા બાંધકામ અંગે ભોગ બનનારે નગરપાલિકાને અરજી કરતા દુકાનો સીલ કરી દેવામાં આવી હતી જે અરજીનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો.
જેતપુરના ગોંડલ દરવાજા નજીક રહેતા હેમતભાઇ બટુકભાઈ શેખવા (ઉ.વ.૪૦)એ નોંધાવેલી ફરિયાદમાં ચિરાગ ઉર્ફે ભાયો અશોકભાઈ પરમારનું નામ આપ્યું છે. ગત તા. 17 ડિસેમ્બરના સાંજનાં આશરે સવા સાતેક વાગ્યાની આસપાસ હું ખોડપરામાં હતો ત્યારે ચીરાગ ઉર્ફે ભાયો અશોકભાઈ પરમાર, રહે.દેરડીધાર, આવાસ યોજના, જેતપુરવાળાનો મને ફોન આવેલ અને મને કહેલ કે, તીનબતી ચોક આવ તારુ કામ છે. જેથી હું તીનબતી ચોક ખાતે આવેલ કામદાર હોટલે ગયો હતો. જ્યાં ચીરાગ ઉર્ફે ભાયો ઉભેલ હોય તેણે મને કહેલ કે, તે નગરપાલીકામાં અરજી કરેલ છે એટલે મારી દુકાન નગરપાલીકાવાળાએ શીલ કરી દિધેલ છે. તેમ કહી મને જેમ ફાવે તેમ બીભત્સ ગાળો આપવા લાગેલ હતો. મે ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ જઈ મને દુકાન પાસે પડેલ લાકડાનાં પાટીયાથી માથાના ભાગે તથા ડાબા હાથે મારેલ અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. જેથી આજુબાજુમાં માણસો ભેગા થયેલ અને આ માણસોએ મને વધુ મારથી બચાવેલ હતો. જે બાદ હું જેતપુર સરકારી હોસ્પિટલમાં દાખલ થયો હતો.
ફરિયાદીએ જણાવ્યુ હતું કે, આ બનાવનું કારણ એ છે કે, આશરે છ માસ પહેલા મેં નગરપાલીકામાં ભાગ્લા ચોકડી પાસે પ્લાઝા હોટલ, પ્લાઝા પાન એન્ડ કોલડ્રીન્કસ નામની બે દુકાનનું કોઇએ બાંધકામ સરકારી જમીન પર કરેલ હોય જે બાબતની અરજી કરેલ હતી અને આ દુકાન ચીરાગ ઉર્ફે ભાયો અશોકભાઇ પરમારે ભાડે રાખી ચલાવતો હોય અને થોડા દિવસ પહેલા જેતપુર નગરપાલીકાએ આ દુકાનો શીલ કરેલ હોય જે બાબતનો ખાર રાખી ચીરાગ ઉર્ફે ભાયો અશોકભાઇ પરમારે મારી ઉપર હુમલો કર્યો હતો.