Amreli ,તા.9
અમરેલીના પુર્વ ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પાટીદાર યુવતિ સહિતનાઓ સામે ખોટી પોલીસ ફરિયાદ કરી અને માર મારવા સહિતના મુદાઓને લઇ બે દિવસ પહેલાં પ્રેસ કોન્ફરસ યોજી પીડિત યુવતીએ કરેલ માંગણી મુજબ યુવતીને માર માર મારનારા પોલીસ અધિકારી તથા પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી પીડિત યુવતીને ન્યાય આપવા અલ્ટીમેટમ આપેલ હતું. જે અલ્ટીમેટમનો સમય ગઈકાલે પુર્ણ થતાં અમરેલીના પુર્વ ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી આજથી શાસકો સામે રાજકીય, સામાજિક અને કાયદાકીય લડત શરૂ કરેલ છે.
આજે સવારે 10 વાગ્યાથી અમરેલીના પુર્વ ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અમરેલીના ડો.જીવરાજ મહેતા ચોકમાં 24 કલાક સુધી ભૂખ્યા પેટે એક દિવસના ધરણા ઉપર બેસી ગયા છે. તેઓ સતત 24 કલાક એટલે કે આવતીકાલ સબર્બ સુધી ત્યાં બેસી રહેશે.
આમ છતાં પણ આ પીડિત યુવતિને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વધુ જલદ આંદોલન કરવા પણ અમરેલીના પુર્વ ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે.
આજના ધરણાના કાર્યક્રમના પગલે પોલીસ દ્વારા પણ પુરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે આગામી સમયમાં અમરેલીના પુર્વ ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી આગામી શાસકો સામે રાજકીય, સામાજિક અને કાયદાકીય લડત કેવી રીતે લડશે તેને લઇ લોકોમાં પણ ભારે ઉતેજના ફેલાય છે.
આ ધરણા કાર્યક્રમમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા, મહામંત્રી નરેશ અધ્યારૂ, જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી,બાંધકામ સમિતિના પૂર્વ પ્રમુખ ટીકુભાઈ વરૂ સહિતના અનેક આગેવાનો-કાર્યકરો જોડાયા છે.
નાયબ દંડક ઉપર જાહેરમંચ ઉપરથી ગંભીર આક્ષેપો
અમરેલીનાં બહુચર્ચિત લેટરકાંડ અને બાદમાં થયેલ આરોપીઓ અને ખાસ કરીને યુવતી ઉપર કથિત માર મારી, સરઘસ કાઢવા તથા રાત્રિનાં અટકાયત કરવા સહિતનાં મુદાને લઈને રાજયભરમાં દેકારો મચ્યો છે. તેવા સમયે ભાજપનાં નેતા અને નાયબ દંડક ઉપર લેટરમાં ભાજપનાં કાર્યકર્તાઓ ઘ્વારા થયેલ ગંભીર આક્ષેપોને લઈને મામલો કડકડતી ઠંડીમાં ગરમાયો છે.
જે અંતર્ગત અમરેલીનાં પૂર્વ ધારાસભ્યએ મંગળવારે સવારે નાયબ દંડકને મીડિયા મારફત સંદેશ પાઠવેલ કે તમારા સામે તમારા જ પક્ષનાં કાર્યકર્તાઓએ જે ગંભીર આક્ષેપો કર્યા છે. તેની જાહેરમાં ચર્ચા કરવા ડો. જીવરાજ મહેતા ચોકમાં ર4 કલાકમાં આવો. પરંતુ તે સમય ગઈકાલે સાંજે પૂર્ણ થતાં પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી સહિતનાં આગેવાનોએ જાહેર સભા સંબીધીને નાયબ દંડક અને સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
આ તકે જિલ્લા કોંગી પ્રમુખ, પૂર્વ પ્રમુખ ડી.કે. રૈયાણી, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર, પૂર્વ સાંસદ વિરજી ઠુંમર, સહિત સૌ આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહૃાા હતા.બનાવનાં પગલે પોલીસ ઘ્વારા ચાંપતોબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અમરેલી સહિત રાજયભરમાં ચકચારી બનેલ લેટરકાંડની ઘટનાને અનુલક્ષીને નિર્દોષ યુવતી સહિતનાં અન્ય 3 આરોપીઓને પોલીસે માર માર્યો હોવાનાં આક્ષેપ વચ્ચે હાઈકોર્ટનાં એડવોકેટ આનંદ યાજ્ઞિક અમરેલી આવી પહોંચ્યા હતા.
તેઓએ આજે વિઠ્ઠલપુર ગામે પીડિત યુવતીની મુલાકાત લઈને સઘળી વિગતો એકત્ર કરી હતી અને બાદમાં તેઓ પીડિત યુવતી સાથે અમરેલી ખાતે પોલીસ અધિક્ષક સંજય ખરાતને રૂબરૂ મળીને બાદમાં પત્રકારો સમક્ષ વિગતો રજૂ કરી હતી.
તેઓએ જણાવ્યું કે, તેઓએ પોલીસ અધિક્ષક સમક્ષ 4 બાબત રજૂ કરી છે. જેમાં નિર્દોષ યુવતી સહિતનાં 4 આરોપીઓને પત્રકાર પરિષદ બોલાવીને મીડિયા સામે ઉભા રાખીને આરોપીઓએ ખૂની કે ડ્રગ્ઝ પેડલર હોય તેમ તેને બંધારણ ઘ્વારા મળેલ મર્યાદા અને વિવેકનો ભંગ કર્યો છે.
વધુમાં જણાવેલ કે, પોલીસ અધિક્ષકની રૂબરૂમાં જ આરોપીઓનેમાર મારવામાં આવ્યો ત્યારે પોલીસ અધિક્ષકની ફરજ હતી કે તેઓ તાબાનાં અધિકારીઓને કાયદો સમજાવે. પરંતુ તેવું થયું નથી અને હવે તેઓએ કથિત આરોપો અંગે નાયબ પોલીસ અધિક્ષક અને બે મહિલા પોલીસ અધિકારીઓની ભભસીટભભની રચના કરી છે. જે યોગ્ય ન હોવાથી પીડિત યુવતી ભભસીટભભની તપાસમાં સહકાર નહી આપે અને પોતે બે દિવસમાં હાઈકોર્ટમાં પિટિશન કરશે તેમ જણાવેલ.