Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Shriji Maharaj પ્રબોધેલી ૧૯૯મી શિક્ષાપત્રી જયંતી
    લેખ

    Shriji Maharaj પ્રબોધેલી ૧૯૯મી શિક્ષાપત્રી જયંતી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 1, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આવતીકાલે વસંત પંચમીએ ૧૯૯મી શિક્ષાપત્રી જયંતી છે. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં સંવત ૧૮૮૨ના વસંતપંચમીના દિવસે સંપ્રદાયના તમામ આશ્રિત ગૃહસ્થ સત્સંગી, સુવાસિની અને વિધવા બાઈઓ, સાધુ વગેરે પ્રત્યે શિક્ષાપત્રી લખી છે. શિક્ષાપત્રી સર્વ શાસ્ત્રોના નિચોડરૂપ, સારરૂપ છે. શિક્ષાપત્રીમાં ૨૧૨ શ્લોકોને વિસ્તારથી સમજાવતાં અર્થદીપિકા ટીકામાં ૩૪૬ શાસ્ત્રોમાંથી ૩૮૧૪ પ્રમાણો આપ્યાં છે.
            સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા, ‘દેશના લોકો જો શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો,પોલીસ અને અદાલતોની ઓછી જરૂર પડે.’ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ કહેતા કે, ‘જે ગામમાં સ્વામિનારાયણનું મંદિર હોય ત્યાં પોલીસ કે સુધરાઈની જરૂર ન પડે, કારણ કે શિક્ષાપત્રીના આદેશો મુજબ જ બધા વર્તતા હોય.’
           કવિ ન્હાનાલાલ કહે છે, ‘શિક્ષાપત્રી એટલે વ્યવહાર અને સંસારને પરિશુદ્ધતી વિદ્વાન ભાષામાં રચાયેલી નિત્ય નિયમાવલી. આચાર, વિચાર, આહાર, વિહાર વગેરેની વાતો શિક્ષાપત્રીમાં છે. ગાળ્યા વગરનું જળ તથા દૂધ ન પીવું, જે જળને વિષે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી, લોક અને શાસ્ત્ર નિષિદ્ધ કરેલાં સ્થળોમાં મળમૂત્ર ન કરવાં કે થૂંકવું પણ નહિ.’ શ્રી કિશોરલાલ મશરૂવાળાને ભારતના રોગો ટાળવાનો ઉપાય દેખાય છે. તેઓ કહે છે કે, ‘શ્રીજીમહારાજે તેમના શિષ્યો જે ઘણા ખરા નીચલા વર્ગ ના હતા તેમના પ્રત્યે અપાર કરુણા, દયા કરીને સમૃદ્ધ અને આચારશુદ્ધ કર્યા.’
          શિક્ષાપત્રી અંગે ગુજરાતના સાક્ષર ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કહે છે, ‘ગાગરમાં સાગર રુપ શિક્ષાપત્રી સર્વ શાસ્ત્રોના દોહનરૂપ કલ્યાણની સીડી છે. તેનો ઉપલો છેડો આધ્યાત્મિક શ્રેયની સર્વોચ્ચ ભૂમિકાને લાગેલો છે. ત્યારે નીચલો છેડો છેક સામાન્ય લોકજીવનની ભૂમિકા પર ઠેરવેલો છે.’
              અંગ્રેજરાજ વખતે મુંબઈના ગવર્નર સર જૉન માલ્કમને સ્વામિનારાયણ ભગવાને તા. ૨૬-૨-૧૮૩૦ના રોજ રાજકોટમાં(હાલ રેલ્વેના કોઠી કમ્પાઉન્ડમાં) શિક્ષાપત્રી ભેટ આપી. જે આજે ઓક્સફર્ડની બોડલિયન લાઇબ્રેરીના એક વિભાગ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ’ લાઇબ્રેરીમાં આદરપૂર્વક સાચવવામાં આવી છે. આ શિક્ષાપત્રીનો વિશ્વની ૩૮થી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે.
           સંવત ૧૯૧૩માં જૂનાગઢમાં માધવચરણદાસે ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામી…! અમે દેશમાં ફરવા જઈએ છીએ ત્યારે હરિભક્તો વરસાદનું પૂછે છે તો અમારે શું કહેવું?’ ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ‘આપણે તો શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે તે પ્રમાણે સૌને વર્તવાનું કહેવું. તે પ્રમાણે જે વર્તશે તે વરસાદ નહિ વરસે તો પણ સુખી થશે અને જો શિક્ષાપત્રી લોપશે તો વરસાદ વરસશે તો પણ દુઃખી થશે. માટે શિક્ષાપત્રી પાળવાનું સૌને કહેવું.’
             સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે, ‘અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારાં આશ્રિત સર્વેએ નિત્યે કરવો. જેને ભણતાં ન આવડતું હોય તેને નિત્યે શ્રવણ કરવું અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્યે શિક્ષાપત્રીની પૂજા કરવી, ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો.’ શિક્ષાપત્રીમાં  શ્રીજીમહારાજે આશ્રિતો પ્રત્યેની ચિંતા અને કરુણા કરીને આશીર્વાદ આપ્યાં છે કે, ‘આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ,અર્થ,કામ અને મોક્ષએ પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે.’

    Shikshapatri Jayanti
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    03 મે, વિશ્વ હાસ્ય દિવસ

    May 2, 2026
    લેખ

    3 મે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ

    May 2, 2026
    લેખ

    અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણ-શું ડિજિટલ યુગમાં દ્વેષપૂર્ણ ભાષણ રમખાણો

    May 2, 2026
    લેખ

    તંત્રી લેખ…વધતી ગરમી આજીવિકા સંકટને વધુ વધારશે

    May 2, 2026
    ધાર્મિક

    ભગવાનને સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે.

    May 1, 2026
    ધાર્મિક

    પરમાત્માથી વિમુખ થતાં નાશવાન પદાર્થોમાં ‘રાગ’ થઇ જાય છે

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.