કમ્મરતોડ વ્યાજે નાણાં આપનાર શિવરાજ દરબારે મોટરસાયકલ પણ પડાવી લીધું
Jetpur,તા.28
જેતપુરમાં દોઢ લાખ રૂપિયા દસ ટકા વ્યાજે આપીને વ્યાજખોરે મોટરસાયકલ ગીરવે લઇ લીધા બાદ વારંવાર વ્યાજની ઉઘરાણી કરી ત્રાસ આપતાં મામલાના જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાં રહેતા ભાવનાબેન વિનોદભાઈ ખાચરીયા(ઉ.વ.૪૮)નામની પરિણીતાએ જેતપુર સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં વ્યાજખોર તરીકે શિવરાજ દરબારનું નામ આપતાં જણાવ્યું હતું કે, વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, મારો મોટો દિકરો દર્શનએ જેતપુરના શિવરાજભાઈ દરબાર પાસેથી દોઢેક વર્ષ પહેલા દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધેલ હતા. જેના બદલામાં વ્યાજખોરે અમારું હોન્ડા કંપની સી.બી.આર સ્પોર્ટ બાઈક જેના નંબર એમએચ-06-એટી-5818 ગીરવે લઇ લીધેલું હતું.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારો દીકરો દર્શન મોટર સાઇકલ લે-વેજનો ધંધો કરતો હોઇ જેથી આ મોટર સાઇકલ વેચાણ માટે આવેલ હતુ. જે મોટર સાઇકલના માલીકને તેના રૂપિયા આપી દિધેલ હતા. જે મોટર સાઈકલ શિવરાજભાઈ પાસે ગીરવે મુકેલ હતુ. તે મોટર સાઇકલ શિવરાજભાઈ અમને આપતો ન હતો અને અમેં તેની પાસેથી રૂ.૧,૫૦,૦૦૦ લીધેલ હતા તેનું ૧૦ ટકા લેખે રેગ્યુલર વ્યાજ ભરતા હતા પરંતુ શિવરાજભાઈ અમારા ઘરે આવીને રૂપિયા બાબતે વધુ ત્રાસ આપતા હતા અને મારકુટ કરવાની ધમકી આપીને કહેતા હતા કે મારા રૂપિયા મને આપી દેજો. જેથી અમે તેમને કહેલ કે, અમારૂ મોટર સાઇકલ આપી દેજો પરંતુ તે અમાર મોટર સાઇકલ આપવાની ના પાડતો હોઇ અને અમારી પાસે અવારનવાર વ્યાજની ઉઘરાણી કરતા હોય અંતે જેતપુર સીટી પોલીસની ટીમે મામલામાં ગુનો નોંધી વ્યાજંકવાદીની શોધખોળ શરૂ કરી છે. મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલ સી ટી વસૈયા ચલાવી રહ્યા છે.