Jamnagar તા ૧૯
જામનગર શહેરમાં મોબાઇલ ચોરી ના બનાવો વધી રહ્યા હોવાથી એલસીબી ટુકડી એલર્ટ બની હતી, અને એક તસ્કર ને ઝડપી લઇ તેની પાસેથી ચોરાઉ મનાતા છ નંગ મોબાઈલ ફોન કબજે કર્યા છે.
જામનગરમાં જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થી ઉદય કનૈયાભાઈ પરમાર નામના એક બાવરી શખ્સને અટકાયત મા લઈ લીધો હતો, અને તેની તલાસી લેતાં તેના કબજા માંથી અલગ અલગ કંપનીના છ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેના આધાર પુરાવા માગતાં તેની પાસે કોઈ પુરાવા હતા નહીં, અને ચોરી અથવા તો છળ કપટથી મોબાઈલ મેળવી લીધેલા હોય તેમ જાણવા મળ્યું હતું. તેથી પોલીસ દ્વારા તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.