Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પહેલાં, યુપીમાં કોઈ નોકરીઓ નહોતી. જો તેઓ આવ્યા હોત તો પણ, કાકા-ભત્રીજાની જોડી,Yogi Adityanath

    July 15, 2026

    CM Bhagwant Mann મુકેરિયન પહોંચ્યા અકાલી દળ અને કોંગ્રેસ પર નિશાન

    July 15, 2026

    Amarnath Yatra 2026 એ ઇતિહાસ રચ્યો, માત્ર ૧૨ દિવસમાં ૩૦૦,૦૦૦ થી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શને ગયા

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પહેલાં, યુપીમાં કોઈ નોકરીઓ નહોતી. જો તેઓ આવ્યા હોત તો પણ, કાકા-ભત્રીજાની જોડી,Yogi Adityanath
    • CM Bhagwant Mann મુકેરિયન પહોંચ્યા અકાલી દળ અને કોંગ્રેસ પર નિશાન
    • Amarnath Yatra 2026 એ ઇતિહાસ રચ્યો, માત્ર ૧૨ દિવસમાં ૩૦૦,૦૦૦ થી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શને ગયા
    • એક સમયે Wular Lake નું પાણી પીતા હતા, આજે વુલર તળાવ પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે
    • ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર SY Qureshi એ એસઆઈઆર પ્રક્રિયા અંગે ચૂંટણી પંચની ટીકા કરી
    • Supreme Court જાતીય ગુનાના કેસોમાં ન્યાયાધીશો અને પોલીસની સંવેદનશીલતા અંગે કડક માર્ગદર્શિકા જારી કરી
    • Anandમાં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ
    • Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ, એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુસાઇડ નોટના આધારે ફરિયાદ; લોન અને વ્યાજના ચક્રમાં ફસાયેલા યુવકને સતત ઉઘરાણી અને ધમકીઓથી મરવા મજબૂર કર્યાનો ફરિયાદમાં આક્ષેપ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૫

    જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને ભંગાર-સ્ક્રેપનો વ્યવસાય કરતા આશિષભાઈ કિશોરભાઈ ચાંદ્રા (ઉ.વ. ૩૭)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાના બનાવમાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધ્યો છે. મૃતકના મોટા ભાઈ અમરીશભાઈ કિશોરભાઈ ચાંદ્રાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    ફરિયાદ મુજબ આશિષભાઈએ વર્ષ ૨૦૧૮માં કેપરી ગ્લોબલ ફાઈનાન્સ પાસેથી માતાના નામના મકાન પર મોર્ગૅજ રાખી આશરે રૂ. ૨૫.૯૪ લાખની લોન લીધી હતી. પિતાના વર્ષ ૨૦૧૯માં હાર્ટ એટેકથી અવસાન બાદ તેઓ ડિપ્રેશનમાં આવી જતા ધંધો બંધ થઈ ગયો હતો, જેના કારણે લોનના હપ્તા સમયસર ભરાઈ શક્યા નહોતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ આશિષભાઈએ અત્યાર સુધી આશરે રૂ. ૨૨ લાખની રકમ ભરપાઈ કરી હોવા છતાં વધુ રૂ. ૩૧ લાખ જેટલી રકમ બાકી હોવાનું કહી કેપરી ગ્લોબલ ફાઈનાન્સના મેનેજર નયનભાઈ મૌરી તથા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા વાઘેલા હપ્તા ભરવા માટે સતત દબાણ કરતા હતા.

    આર્થિક સંકડામણ વચ્ચે આશિષભાઈએ લોનના હપ્તા ભરવા માટે નિલેશ રઘુભાઈ ગંઢા, શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા અને મુનાભાઈ વલ્લભભાઈ વસિયર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. ફરિયાદ મુજબ આ ત્રણેય આરોપીઓ સતત વ્યાજની ઉઘરાણી કરી ધમકીઓ આપતા અને માનસિક ત્રાસ પહોંચાડતા હતા. ઘટનાના એક દિવસ અગાઉ આશિષભાઈએ તેમના ભાઈને ફોન કરી પોતે વ્યાજના ચક્રમાં ફસાઈ ગયા હોવાનું તથા ઉઘરાણીના દબાણથી પરેશાન હોવાનું જણાવ્યું હતું.

    ઘટનાના દિવસે પડોશીએ આશિષભાઈને તેમના ઘરે બેભાન હાલતમાં જોઈ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી મળેલી સુસાઇડ નોટ સહિતના પુરાવાના આધારે નિલેશ રઘુભાઈ ગંઢા, શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા અને મુનાભાઈ વલ્લભભાઈ વસિયર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં તપાસ દરમિયાન જવાબદાર જણાય તેવા અન્ય વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવાના મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

    July 15, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડ નજીક મોટા ભાડુકિયા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પહેલાં, યુપીમાં કોઈ નોકરીઓ નહોતી. જો તેઓ આવ્યા હોત તો પણ, કાકા-ભત્રીજાની જોડી,Yogi Adityanath

    July 15, 2026

    CM Bhagwant Mann મુકેરિયન પહોંચ્યા અકાલી દળ અને કોંગ્રેસ પર નિશાન

    July 15, 2026

    Amarnath Yatra 2026 એ ઇતિહાસ રચ્યો, માત્ર ૧૨ દિવસમાં ૩૦૦,૦૦૦ થી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શને ગયા

    July 15, 2026

    એક સમયે Wular Lake નું પાણી પીતા હતા, આજે વુલર તળાવ પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે

    July 15, 2026

    ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર SY Qureshi એ એસઆઈઆર પ્રક્રિયા અંગે ચૂંટણી પંચની ટીકા કરી

    July 15, 2026

    Supreme Court જાતીય ગુનાના કેસોમાં ન્યાયાધીશો અને પોલીસની સંવેદનશીલતા અંગે કડક માર્ગદર્શિકા જારી કરી

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પહેલાં, યુપીમાં કોઈ નોકરીઓ નહોતી. જો તેઓ આવ્યા હોત તો પણ, કાકા-ભત્રીજાની જોડી,Yogi Adityanath

    July 15, 2026

    CM Bhagwant Mann મુકેરિયન પહોંચ્યા અકાલી દળ અને કોંગ્રેસ પર નિશાન

    July 15, 2026

    Amarnath Yatra 2026 એ ઇતિહાસ રચ્યો, માત્ર ૧૨ દિવસમાં ૩૦૦,૦૦૦ થી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શને ગયા

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.