Ahmedabadતા.૧૯
અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી લથડી છે. જાહેરમાં શસ્ત્રો લઈને અસામાજીક તત્વો આતંક ફેલાવતા નજરે ચઢ્યા હતા. બીજીતરફ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે આકરો મિજાજ દાખવી શહેરના ૨૮ પીઆઇની બદલી કરીને તેમને સાનમાં સમજી જવાનો મેસેજ પાઠવ્યો છે. જેમાં રામોલના પીઆઇ એસ.બી.ચૌધરીની કંટ્રોલ રૂમમાં બદલી કરી નાંખવામાં આવી છે. જ્યારે એસઓજી પીઆઇ વી.ડી.મોરીને રામોલ પોલીસ સ્ટેશનમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
તે સિવાય બાપુનગર પીઆઇ એ.ડી.ગામીતની એસઓજીમાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદમાં લિવ રિઝર્વ ૪ પીઆઇને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. મુકુમદ રાઠોડને શહેરકોટડા સેકન્ડ પીઆઇ પદે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. જ્યારે સંદિપ દેસાઈ અને સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પીઆઇ જે.કે.ડાંરને ઇઓડબલ્યુડીમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. નિતેષ દેસાઈને એ ડિવીઝન ટ્રાફિકમાં પોસ્ટીંગ અપાયું છે. તે સિવાય હર્ષ જાડેજાને શાહપુર સેકન્ડ પીઆઇ તરીકે પોસ્ટીંગ અપાયું છે. સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા વી.જે.ચૌધરીને સેટેલાઈટ પીઆઇ તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. આમ શહેર પોલીસના ૨૮ પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે.