જંકશન પ્લોટમા આગાખાન હોસ્ટેલ બિલ્ડિંગમાં એક દુકાનનો ભાડુત પાસેથી કબજો છોડાવવાની દાદ માંગી તી
Rajkot,તા.16
શહેરના જંકશન પ્લોટ શેરી નં. ૫/૧૫, માં આવેલ આગાખાન હોસ્ટેલ બિલ્ડિંગમાં એક દુકાનનો ભાડુત પાસેથી કબજો છોડાવવાનો દાવો રદ કરવાના સ્મોલ કોઝ કોર્ટના હુકમ સામેની અપીલ પર સેશન્સ કોર્ટ દ્વારા કાઢી નાખવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ ઉપરોક્ત સ્થળે આગાખાન હોસ્ટેલ વાળા બિલ્ડિંગમાં રાધાકિશ્ના ગોધુમલજી આહુજાએક દુકાન આહુજા ક્રિમ કેન્ડીનાં નામથી આશરે ૪૮ વર્ષથી ભાડુત દરજજે વાપરતા હોઇ, તે દુકાન સંદર્ભે દુકાન પેટા ભાડે આપેલ છે, કાયમી પ્રકારનું બાંધકામ કરેલ છે, ભાડુતી જગ્યાને નુકશાન કરવામાં આવેલ છે અને આજુબાજુના રહેવાશીઓને તેમજ અન્ય લોકોને ત્રાસ અને હેરાનગતી થાય છે, વપરાશમાં ફેરફાર કરવાના કારણોસર કબજો સોંપી દેવા મકાન માલીક આગાખાન હોસ્ટેલનાં એકઝીક્યુટીવ સેક્રેટરીએ રાજકોટની સ્મોલ કોઝ કોર્ટ માં ૨૦૦૭ની સાલમાં કેસ દાખલ કર્યો હતો.
સદરહુ કેસમાં ટાયલ કોર્ટે ૨૦૧૯માં જજમેન્ટ આપીને દુકાનના માલીકનો દાવો રદ કરેલ. આથી નારાજ થઈને આગાખાન હોસ્ટેલના સેકેટરીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ૨૦૧૯માં અપીલ દાખલ કરેલ. જેની સુનાવણીમાં રાધાક્રિશ્ના ગોધુમલજી આહુજા વતી વકીલ અશ્વિન જે. પોપટે એવી રજૂઆત કરેલી કે, ટ્રાયલ કોર્ટે મુળ દાવામાં રજુ થયેલ તમામ પુરાવાનું બારીકાઈથી નિરીક્ષણ કરેલ છે, જેમકે આ દાવો ટ્રસ્ટ વતી કરવામાં આવેલ છે. પરંતુ ટ્રસ્ટ દાવો ફાઈલ કરવા માટે કોઈ સતા આપેલ હોય તેવો કોઇ દસ્તાવેજી પુરાવો રજુ કરેલ નથી. આ ઉપરાંત મકાન માલીકે જે કારણોસર આ દાવો રજુ કરેલ છે એ આ કેસમાં પુરવાર થયેલ નથી. તેમજ આ ઉપરાંત એવી પણ રજુઆત કરવામાં આવેલ કે ભાડુતી દુકાન અંગે કોઈ ભાડા અંગેનો કરાર કરવામાં આવેલ નથી. આથી મકાન માલીક જણાવે છે એ મુજબ ભાડા કરારની કોઈ શરતોનો ભંગ થયેલ છે એ માની શકાય એમ નથી. આથી ટાયલ કોર્ટએ જે જજમેન્ટ આપેલ છે
યોગ્ય હોવાનું ઠરાવી એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્રસિંઘે વાદીની અપીલ પણ રદ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં ભાડુઆત વધે એડવોકેટ અશ્વિન જે. પોપટ અને કલ્પેશ વાઘેલા રોકાયા હતા.